ભરૂચ: ઉત્તરાયણ નિમિત્તે સાર્થક ફાઉન્ડેશન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ઘાયલ પક્ષીઓ માટે સારવાર કેન્દ્ર શરૂ કરાયા
સાર્થક ફાઉન્ડેશન ચેરીટેબલ ટ્રસ્ટ છેલ્લા ૧૫ વરસ થી મકરસંક્રાંત દરમિયાન ધાયલ પક્ષીઓની સારવાર નું અવિરત અભિયાન ચલાવી રહ્યુ છે
BY Connect Gujarat Desk14 Jan 2024 9:50 AM GMT
X
Connect Gujarat Desk14 Jan 2024 9:50 AM GMT
ભરૂચમાં સાર્થક ફાઉન્ડેશન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ઉતરાયણ પર્વ નિમિતે ઘાયલ પક્ષીઓ માટે સારવાર કેન્દ્ર કાર્યરત કરાયું હતું. ભરુચ માં છેલ્લા ૧૫ વરસ થી મકરસંક્રાંત દરમિયાન ધાયલ પક્ષીઓની સારવાર નું અવિરત અભિયાન ચલાવી રહ્યુ છે. જે અંતર્ગત આ વર્ષે લલ્લુભાઇ ચકલા ખાતે સંસ્થાના પ્રમુખ હેતલ ભાઈ અને સ્વયં સેવકો દ્વારા ધાયલ પક્ષીઓનું સારવાર કેન્દ્ર સવારે શરૂ કરાયું હતું.જ્યાં સ્વયંસેવકો અને પશુ ચિકિત્સક દ્વારા ઘાયલ પશુઓને સારવાર આપવામાં આવી રહી હતી.
Next Story