Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વરમાં ફરી એકવાર ભારે ટ્રાફિક જામની પરિસ્થિતી, અનેક વાહનચાલકો અટવાયા...

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેર ખાતે ફરી એકવાર ટ્રાફિક જામ સર્જાતા અનેક વાહનચાલકોને હેરાન પરેશાન થવાનો વારો આવ્યો છે,

X

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેર ખાતે ફરી એકવાર ટ્રાફિક જામ સર્જાતા અનેક વાહનચાલકોને હેરાન પરેશાન થવાનો વારો આવ્યો છે, ત્યારે હવે ટ્રાફિકની સમસ્યાનો કાયમી નિકાલ લાવવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે.

ભરૂચ જીલ્લામાં વાહનોથી સતત ધમધમતા અંકલેશ્વર શહેરમાંથી ફરી એકવાર ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સામે આવ્યા છે. અંકલેશ્વરના ગડખોલ પાટિયા ઓવર બ્રિજ, મહાવીર ટર્નિંગ, પ્રતિન ચોકડી ખાતે ટ્રાફિક જામ સર્જાયો હતો. જોકે, પિક અવર્સમાં જ ભારે ટ્રાફિક જામ સર્જાતા નોકરી ધંધે જતાં લોકો તેમજ શાળા-કોલેજના વિદ્યાર્થીઓને હેરાન પરેશાન થવાનો વારો આવ્યો હતો. તો બીજી તરફ, નેશનલ હાઇવે પર વડોદરાથી સુરત તરફ જતાં ટ્રેક પર ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. વહેલી સવારથી જ ટ્રાફિકજામ થતાં અનેક વાહનચાલકો ટ્રાફિકમાં અટવાયા હતા. અંકલેશ્વર નજીક વારંવાર થતાં ટ્રાફિક જામના કારણે અનેક વાહનચાલકોને હાલાકી વેઠવાનો વારો આવે છે, ત્યારે પોલીસ વિભાગ દ્વારા દરેક પોઈન્ટ ઉપર ટ્રાફિક જવાનો અને પોલીસકર્મીઓ ગોઠવી યોગ્ય પગલાં ભરવામાં આવે, જેથી ટ્રાફિકજામની સમસ્યાનું મહદઅંશે નિરાકરણ આવી શકે તેવું વાહનચાલકોનું માનવું છે.

Next Story