છત્રપતિ શિવાજીના શાસનમાંથી “વર્તમાન” શીખ : ભારતીય વિચાર મંચ-ભરૂચ દ્વારા વિચાર ગોષ્ઠી
છત્રપતિ શિવાજીના શાસનમાંથી વર્તમાન શીખ વિષય ઉપર વિચાર ગોષ્ઠીનું ભારતીય વિચાર મંચ-ભરૂચ દ્વારા જે.પી. કોલેજ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.
BY Connect Gujarat Desk12 March 2023 11:13 AM GMT
X
Connect Gujarat Desk12 March 2023 11:13 AM GMT
છત્રપતિ શિવાજીના શાસનમાંથી વર્તમાન શીખ વિષય ઉપર વિચાર ગોષ્ઠીનું ભારતીય વિચાર મંચ-ભરૂચ દ્વારા જે.પી. કોલેજ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચ શહેરની જે.પી. આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ખાતે ભારતીય વિચાર મંચ ભરૂચ દ્વારા છત્રપતિ શિવાજી મહારાજના શાસનમાંથી વર્તમાન શીખ વિષય પર આયોજિત કાર્યક્રમમાં જાણીતા લેખક અને વિચારક ડૉ. અજીત આપ્ટેએ રસાળ શૈલીમાં શિવાજી શાસન પદ્ધતિ વર્ણવી હતી. આ સાથે જ વર્તમાન સમયમાં તેમાંથી શીખ લેવા ઉપસ્થિત શ્રોતાઓને અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે ભારતીય વિચાર મંચ ભરૂચના પ્રમુખ ડો. સુનિલ શ્રોત્રિય, મંત્રી હરેશ પટેલ સહિતના હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં રાષ્ટ્રપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Next Story