અંકલેશ્વર હાંસોટ વિધાનસભા બેઠક માટે ભાજપના નિરીક્ષકોની સેન્સ લેવાની પ્રક્રિયા પૂર્ણ, જુઓ કોણે કોણે માંગી ટિકિટ

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ભાજપ દ્વારા ઉમેદવારોની પસંદગીની કવાયત શરૂ કરવામાં આવી છે

New Update
અંકલેશ્વર હાંસોટ વિધાનસભા બેઠક માટે ભાજપના નિરીક્ષકોની સેન્સ લેવાની પ્રક્રિયા પૂર્ણ, જુઓ કોણે કોણે માંગી ટિકિટ

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ભાજપ દ્વારા ઉમેદવારોની પસંદગીની કવાયત શરૂ કરવામાં આવી છે ત્યારે આજે ભરૂચ જિલ્લાની 5 વિધાનસભા બેઠકોના ઉમેદવારોની પસંદગી માટે નિરીક્ષકોએ દાવેદારોને સાંભળ્યા હતા

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થવામાં ગણતરીના દિવસો બાકી છે ત્યારે ભાજપ દ્વારા હવે ઉમેદવારોની પસંદગી માટે કવાયત શરૂ કરવામાં આવી છે. ભાજપ દ્વારા ઉમેદવારોની પસંદગી માટે નિરીક્ષકોની નિમણૂક કરવામાં આવી છે ત્યારે ભરૂચ જિલ્લાની 5 વિધાનસભા બેઠક માટે સેન્સ લેવાની પ્રક્રિયા આજરોજ હાથ ધરાય હતી. નિરીક્ષક તરીકે ભુપેન્દ્રસિંહ ચુડાસમા, શબ્દશરણ બ્રહ્મભટ્ટ અને મનીષા સુથાર ભરૂચ આવી પહોંચ્યા હતા. ભરૂચની રાજપૂત છાત્રાલય ખાતે આ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. સૌ પ્રથમ અંકલેશ્વર હાંસોટ વિધાનસભા બેઠકના ભાજપના દાવેદારોને નિરીક્ષકોએ સાંભળ્યા હતા. અંકલેશ્વર બેઠક પર દાવેદારી કરનારાઓમાં વર્તમાન ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, ભરૂચ જિલ્લા ભાજપ યુવા મોરચાના પૂર્વ પ્રમુખ સુરેશ પટેલ, અંકલેશ્વર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ ભરત નાગજી પટેલ, અંકલેશ્વર નગર સેવા સદનના મહિલા નગર સેવિકા મનીષા પટેલ, આર.એસ.એસ.ના આગેવાન બલદેવ પ્રજાપતિ અને હાંસોટના શાંતા બહેન પટેલે ટિકિટ માંગી હોવાની સૂત્રો તરફથી માહિતી મળી રહી છે ત્યારે ભાજપનો ગઢ ગણાતી અંકલેશ્વર હાંસોટ વિધાનસભા બેઠક પર ભાજપ કોણે પોતાનો મુરતિયો જાહેર કરે છે તેના પર સૌ કોઇની મીટ મંડાઇ છે

Read the Next Article

અંકલેશ્વર: અસ્થિર મગજના ઇસમે વૃદ્ધ પર ચપ્પુના ઘા ઝીંકી ગામ માથે લીધું, અંતે પાલિકા અને પોલીસની ટીમે પકડ્યો

અંકલેશ્વરમાં અસ્થિર મગજના ઈસમે ગામ માથે લીધું હતું.ચપ્પુ લઇ એક વૃદ્ધ પર 3 થી 4 ઘા ઝીંકી દીધા હતા.લોકો પકડવા દોડ્યા તો ડાંગ અને છરી લઇ લોકો પાછળ દોડ્યો હતો. 

New Update
ank

અંકલેશ્વરમાં અસ્થિર મગજના ઈસમે ગામ માથે લીધું હતું.ચપ્પુ લઇ એક વૃદ્ધ પર 3 થી 4 ઘા ઝીંકી દીધા હતા.લોકો પકડવા દોડ્યા તો ડાંગ અને છરી લઇ લોકો પાછળ દોડ્યો હતો. 

અંકલેશ્વર માં શુક્વારના રોજ એક વિચિત્ર ઘટનાએ  લોકોને દોડતા કરી દીધા હતા. અંકલેશ્વર વ્હોરવાડ ખાતે રહેતા ફારુખ નામનો માનસિક રીતે બીમાર વ્યક્તિ 2 મહિના પહેલા જ વડોદરાથી પરિવારજનો દ્વારા સારવાર કરી પરત આવ્યા હતા જોકે દવા બંધ થઇ જતા ફારુખ પુનઃ માનસિક બીમારીમાં આવી અભદ્ર વર્તન કરવાનું શરુ કરી દીધું હતું. ફળીયામાં નગ્ન ફરવા સાથે લાકડાની ડાંગ , કુહાડી ચપ્પુ લઇ નીકળી પડતો હતો. જેણે આજરોજ ફળિયામાં રહેતા 65 વર્ષીય વૃદ્ધ કાસીમભાઈ પર અચાનક ચપ્પુ વડે હુમલો કરી દીધો હતો અને એક પછી એક 3 થી 4 ધા કરી દીધા હતા જેઓએ બુમાબુમ કરતા લોકો તેને પકડવા માટે દોડ્યા હતા જો કે લાકડાના ડંડા અને ચપ્પુ લઇ પકડવા આવતા લોકો પર પણ હુમલો કરતો હતો.અંતે ફાયર વિભાગ અને પોલીસની ટીમ દ્વારા તેને ઝડપી પાડવામાં આવ્યો હતો. હુમલામાં ઘવાયેલા કાસીમભાઈ હાલ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.