યુવરાજસિંહના સમર્થનમાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શન,ન્યાયિક તપાસની કરવામાં આવી માંગ

વિદ્યાર્થી નેતા યુવરાજસિંહની ધરપકડ મામલે સુરેન્દ્રનગર અને અમરેલી સહિત રાજ્યમાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું

New Update
યુવરાજસિંહના સમર્થનમાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શન,ન્યાયિક તપાસની કરવામાં આવી માંગ

વિદ્યાર્થી નેતા યુવરાજસિંહની ધરપકડ મામલે સુરેન્દ્રનગર અને અમરેલી સહિત રાજ્યમાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ સમગ્ર મામલે ન્યાયિક તપાસની માંગ કરવામાં આવી હતી

વિદ્યાર્થી નેતા યુવરાજસિંહની ડમીકાંડ મામલે ધરપકડ કરવામાં આવી છે આ બાબતે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત સુરેન્દ્રનગર જીલ્લા કલેકટર કચેરી ખાતે આમ આદમી પાર્ટી દ્વારા યુવરાજસિંહ જાડેજાના સમર્થનમાં રજૂઆત કરવામા આવી હતી.સરકારની વિવિધ ભરતી પરીક્ષાના પેપરલીક કૌભાંડને ઉજાગર કરનાર વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાની ધરપકડ અને ખોટા કેસનો વિરોધ કર્યો હતો. યુવરાજસિંહ દ્વારા જાહેર કરેલ અને પેપરકાંડમા સંડોવાયેલ દોષિત નેતાઓ અને આગેવાનોની પણ ધરપકડ કરવાની માંગ કરવામાં આવી હતી. યુવરાજસિંહ સામે કરવામાં આવેલ આક્ષેપ અને ગુન્હાઓ રદ કરી મુક્ત કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી હતી

તો આ તરફ અમરેલીમાં પણ યુવરાજસિંહના સમર્થનના વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.અમરેલીના યુવાનો દ્વારા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. યુવરાજસિંહ પર ખોટા કેસો પરત ખેંચી તાત્કાલિક મુક્ત કરવા વિદ્યાર્થીઓ દ્વારા માંગ કરવામાં આવી હતી.

Read the Next Article

અંકલેશ્વર: મહોરમનું પર્વ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થતા તાજીયા કમિટી દ્વારા તંત્રનો આભાર વ્યક્ત કરાયો

અંકલેશ્વર શહેર-તાલુકા તાજીયા કમિટી દ્વારા વહીવટી તંત્ર, પોલીસ પ્રશાસન, ગુજરાત વિદ્યુત બોર્ડ અને અંકલેશ્વર નગરપાલિકાનો આભાર વ્યક્ત કરી સન્માન કરવામાં આવ્યું

New Update
Tajiya Commitee
અંકલેશ્વર શહેર-તાલુકા તાજીયા કમિટી દ્વારા વહીવટી તંત્ર, પોલીસ પ્રશાસન, ગુજરાત વિદ્યુત બોર્ડ અને અંકલેશ્વર નગરપાલિકાનો આભાર વ્યક્ત કરી સન્માન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વરમાં મોહરમનું પર્વ શાંતિપૂર્ણ અને કોમી એખલાસભર્યા વાતાવરણમાં સંપન્ન થયું છે જે બદલ અંકલેશ્વર શહેર તાલુકા તાજીયા કમિટી દ્વારા પ્રાંત અધિકારી, મામલતદાર  કરણસિંહ રાજપૂત, નાયબ પોલીસ અધિક્ષક,ડો.કુશલ ઓઝા,પોલીસ ઇન્સ્પેકટર  પી જી ચાવડા, પાલિકા પ્રમુખ લલીતાબેન રાજપુરોહિત, શિક્ષણ સમિતિ ચેરમેન ગણેશ અગ્રવાલ, ભાજપ શહેર પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કર્ણા સહિતના આગેવાનોનો આભાર વ્યક્ત કરી તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

Tajiya Commitee Ankleshwar

આ પ્રસંગે કમિટીના પ્રમુખ બખ્તિયાર પટેલ, સેક્રેટરી વસીમ ફડવાલા, ઉપપ્રમુખ અમન પઠાણ, નૂર કુરેશી, લીગલ એડવાઈઝર હારુન મલેક સહિતના આગેવાનો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.