Connect Gujarat
ભરૂચ

ભારતીય સેનામાંથી નિવૃત થયેલ જવાન અંકલેશ્વર આવી પહોંચતા પરિવારજનો-મિત્રોએ કર્યું ભવ્ય સ્વાગત...

ભારતીય સેનામાંથી નિવૃત થયેલ જવાન અંકલેશ્વર ખાતે આવી પહોંચતા પરિવારજનો અને મિત્રોએ ભવ્ય સ્વાગત કર્યું

X

19 વર્ષ ભારતીય સેનામાં વલ્લભ પટેલે ફરજ નિભાવી

જવાન સેવામાંથી નિવૃત થતાં અંકલેશ્વર આવી પહોચ્યા

ભારતીય સેનામાંથી નિવૃત થયેલ જવાનનું સન્માન કરાયું

જવાનના પરિજનો અને મિત્રો દ્વારા ભવ્ય સ્વાગત કરાયું

જવાને બાબા સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી

ભારતીય સેનામાંથી નિવૃત થયેલ જવાન અંકલેશ્વર ખાતે આવી પહોંચતા પરિવારજનો અને મિત્રોએ ભવ્ય સ્વાગત કર્યું હતું. મૂળ હાંસોટ તાલુકાના બાડોદરા ગામના વતની અને હાલ અંકલેશ્વર ખાતે રહેતા હરેશ વલ્લભ પટેલએ 19 વર્ષ ભારતીય સેનામાં જમ્મુ-કશ્મીર, અરુણાચલ પ્રદેશ, તામિલનાડું અને કેરલા સહિત કન્યાકુમારી ખાતે ફરજ અદા કરી દેશની સેવા કરી હતી. જેઓ સેવામાંથી નિવૃત થતાં અંકલેશ્વર આવી પહોંચતા પરિવારજનો અને મિત્રો દ્વારા તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. સિપાઈ હરેશ પટેલે અંકલેશ્વર રેલ્વે સ્ટેશન સ્થિત બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી, અને સ્વાગત કરનાર તમામ લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો.

Next Story