/connect-gujarat/media/post_banners/6add66e56305ab6266af61c38c907772ab2643b94e3dc810b63ba1751ad7cfad.webp)
અંકલેશ્વરના ગડખોલ વિસ્તારમાં આવેલ નીરવકુંજ સોસાયટીમાં તસ્કરોએ બંધ મકાને નિશાન બનાવી સોના-ચાંદીના ઘરેણાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા અંકલેશ્વર પંથકમાં ચોરીની ઘટનાઓ દિનપ્રતિદિન વધી રહી છે ત્યારે ગતરોજ અંકલેશ્વરના ગડખોલ વિસ્તારમાં આવેલ નીરવકુંજ સોસાયટીમાં બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું તસ્કરો મકાનનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને ઘરમાં રહેલ સોના-ચાંદીના ઘરેણા મળી અંદાજીત લાખોના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા ચોરી અંગે અંકલેશ્વર બી ડીવીઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.