જુઓ, ફૈઝલ પટેલ અને મુમતાઝ પટેલની નારાજગી અંગે AAPના ચૈતર વસાવાએ પ્રતિક્રિયા આપતા શું કહ્યું..!

ભરૂચ લોકસભા બેઠક આમ આદમી પાર્ટીને ફાળવવાના અહેવાલ સામે આવતા જ જિલ્લાના કોંગીજનોમાં નારાજગી જોવા મળી રહી છે

New Update
જુઓ, ફૈઝલ પટેલ અને મુમતાઝ પટેલની નારાજગી અંગે AAPના ચૈતર વસાવાએ પ્રતિક્રિયા આપતા શું કહ્યું..!

ભરૂચ લોકસભા બેઠક AAPને ફાળવવાના અહેવાલ સામે આવ્યા

AAPના ચૈતર વસાવાએ કોંગ્રેસના અગ્રણીઓનો માન્યો આભાર

ચૂંટણી લડવાની ઈચ્છા હોવાથી ફૈઝલ પટેલને રહી છે નારાજગી

કોંગ્રેસને સાથે રાખી ભરૂચ લોકસભા બેઠક જીતીશું : ચૈતર વસાવા

રાહુલ ગાંધીની ન્યાય યાત્રામાં હજારો લોકો જોડાઈશું : ચૈતર વસાવા

INDIA ગઠબંધનમાં ભરૂચ લોકસભા બેઠક પર AAPના ઉમેદવાર તરીકે અરવિંદ કેજરીવાલે ડેડીયાપાડા-AAPના ધારાસભ્ય ચૈતર વસાવાના નામની જાહેરાત કરી હતી, ત્યારે ગઠબંધનમાં ભરૂચ લોકસભા બેઠક આમ આદમી પાર્ટીને ફાળવવાના અહેવાલ સામે આવતા જ જિલ્લાના કોંગીજનોમાં નારાજગી જોવા મળી રહી છે. તો બીજી તરફ, AAPના ઉમેદવાર ચૈતર વસાવાના નામની જાહેરાત થયા બાદ તેઓએ કોંગ્રેસ પક્ષનો આભાર માન્યો છે. ભરૂચ લોકસભા બેઠક પર જાહેર કરાયેલા AAPના ઉમેદવાર ચૈતર વસાવાએ કોંગેસના નેતા મલિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી, ગુજરાત કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સહિત સ્વ. અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલ અને પુત્રી મુમતાઝ પટેલનો આભાર માન્યો હતો.

ગઠબંધન અંગે ભાજપ કોંગ્રેસ અને આપની પ્રતિક્રિયા:-

" max-width="100%" class="video-element note-video-clip" height="360">

ફૈઝલ પટેલ અને મુમતાઝ પટેલની નારાજગી અંગે ચૈતર વસાવાએ જણાવ્યુ હતું કે, તેમને ચૂંટણી લડવાની ઈચ્છા હતી એટલે નારાજગી છે. પરંતુ 1-2 દિવસમાં તેમનો સમય લઈને અમે મળવા જઈશું અને સાથે ભેગા થઈને ચૂંટણી લડીશું. ભરૂચ જીલ્લામાં આમ આદમી પાર્ટી કોંગ્રેસ પક્ષને સાથે લઈને ચાલશે અને ભરૂચ લોકસભા બેઠક જીતીને સ્વ. અહેમદ પટેલને શ્રદ્ધાંજલી આપવામાં આવશે. વધુમાં ચૈતર વસાવાએ AAPની સ્વાભિમાન યાત્રામાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકારોને પણ સહભાગી થવા આમંત્રણ આપ્યું હતું. સાથે જ રાહુલ ગાંધી સામેના નિવેદન અંગે ચૈતર વસાવાએ ખુલાસો આપતા રાહુલ ગાંધીની ન્યાય યાત્રામાં હજારો લોકો સાથે જોડાવાની વાત કહી હતી.

Read the Next Article

ભરૂચ : નંદેલાવ બ્રિજ નીચે કેમિકલ ભરેલું કન્ટેનર પિલર સાથે ધડાકાભેર અથડાતા મંગલદીપ સોસાયટીની દિવાલ તૂટી

ભરૂચની મઢુલી ચોકડી નજીક કેમિકલ ભરેલ કન્ટેનરના ચાલકે નવા બ્રિજના પિલરને ટક્કર મારી હતી. ત્યારબાદ કન્ટેનર મંગલદીપ સોસાયટીની કમ્પાઉન્ડ વોલ સાથે અથડાતા અફરાતફરી મચી હતી

New Update
  • નંદેલાવ બ્રિજ પાસે સર્જાયો અકસ્માત

  • બેલગામ કન્ટેનર બ્રિજના પિલરમાં ભટકાયું

  • પિલર બાદ મંગલદીપ સોસાયટીમાં પણ અથડાયું

  • સોસાયટીના મંદિરની દીવાલ તૂટતા નુકસાન

  • જાનહાની ટળતા લોકોએ લીધો રાહતનો શ્વાસ

ભરૂચની મઢુલી ચોકડી નજીક કેમિકલ ભરેલ કન્ટેનરના ચાલકે નવા બ્રિજના પિલરને ટક્કર મારી હતી. ત્યારબાદ કન્ટેનર મંગલદીપ સોસાયટીની કમ્પાઉન્ડ વોલ સાથે અથડાતા અફરાતફરી મચી હતી.
 
ભરૂચ દહેજ બાયપાસ માર્ગ પર નંદેલાવ પાસે નવા બ્રિજ નીચે ગુરુવારે એક ગંભીર અકસ્માત થયો હતો. હજીરા અદાણીથી કેમિકલ ભરેલું કન્ટેનર દહેજ સ્થિત મેઘમણી કંપનીમાં જઈ રહ્યું હતું. એ દરમિયાન કન્ટેનર ચાલકનો સ્ટિયરિંગ પર નિયંત્રણ ખોરવાતા કન્ટેનર સીધું નવા પિલરને અથડાઈને સીધુ મંગલદીપ સોસાયટીની મંદિરે જોડાયેલી કમ્પાઉન્ડ વોલમાં ટકરાયું હતું.

આ અકસ્માતમાં બ્રિજના પિલર સાથે સાથે મંદિરની દિવાલને પણ ગંભીર નુકસાન થયું હતું. જોકે, ઘટના દરમિયાન કોઈપણ જાતની જાનહાની ન પહોંચતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. કન્ટેનરનો ચાલક દ્વારા કન્ટેનરને બેલગામ દોડાવવામાં આવી રહ્યું હતું.ઘટનાના પગલે સ્થળ પર તાત્કાલિક ફાયર વિભાગ તથા પોલીસ દોડી આવી હતી. ભારે વજનના કેમિકલ ભરેલા કન્ટેનરને સ્થળ પરથી દૂર કરવા ત્રણ હાઇડ્રાની મદદ લેવાઈ હતી. લાંબા સમય બાદ માર્ગ પર સર્જાયેલો ટ્રાફિક પુનઃ રાબેતા મુજબ થયો હતો.મંગલદીપ સોસાયટીના પ્રમુખ જીતુ  પ્રજાપતિએ જણાવ્યું હતું કે,કન્ટેનર અમારા મંદિરની દીવાલ તોડી ઘૂસી ગયું હતું. સદનસીબે કોઈ વ્યક્તિ ત્યાં નહોતી. પરંતુ આવી ઘટનાઓથી ભવિષ્યમાં વધુ ગંભીર પરિસ્થિતિ ઉભી ન થાય એ માટે પગલાં લેવા જરૂરી છે.