Connect Gujarat
ગુજરાત

જૂનાગઢ: આયુર્વેદિક શિરપના નામે કેફી પીણાનું વિતરણ, 5 લાખના મુદ્દામાલ સાથે 2 આરોપીની ધરપકડ

જૂનાગઢના જોશીપુરામાથી આયુર્વેદિક શીરપના નામે કેફી પીણાનુ વેચાણ કરતા બે લોકોને પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

X

જૂનાગઢના જોશીપુરામાથી આયુર્વેદિક શીરપના નામે કેફી પીણાનુ વેચાણ કરતા બે લોકોને પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચે જોષીપરાના આંબાવાડી વિસ્તારમાં ગત જૂન 2023માં ઓમ શિવ પાન એન્ડ કોલ્ડ્રીક્સ નામની દુકાન ધરાવનાર મુકેશ ધનશ્યામ સીંધી ગેરકાયદેસર રીતે આધાર પુરાવા વગરની આયુર્વેદીક આલ્કોહોલ યુક્ત દવાની બોટલો રાખી વેચાણ કરતો હોવાની બાતમી મળતા જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચે રેઇડ કરતા દુકાનમાંથી જુદી-જુદી નામના સીરપની પ્લાસ્ટીકની બોટલો મળી તમામ મુદામાલ કબ્જે કરી બી ડિવિઝન પોલીસ મથકમાં જાણવા જોગ અરજી કરી કેમીકલ તપાસણી અર્થે એફ.એસ.એલ. ગાંધીનગર ખાતે મોકલાતા મુદામાલમાં ઇથાઇલ આલ્કોહોલ અને આઇશો પ્રોપાઇલ આલ્કોહોલની હાજરી મળી આવેલ, આરોપીઓ ઇથાઇલ આલ્કોહોલ આઇશો પ્રોપાઇલ આલ્કોહોલ યુક્ત ભેળસેળ વાળુ કે જે બોટલો 100 ટકા હર્બલ ન હોવા છતા લોકો સાથે વિશ્વાસઘાત કરી તેમજ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવાના ઇરાદે અખાધ હોય જેનો ઉપયોગ કેમીકલ પ્રોડકટ તરીકે અને હેન્ડ સેનેટાઈઝરમાં થતો હોય જે વધુ પડતું પીવાથી માણસનું મૃત્યુ થવાની પુરી સંભાવના હોવાનુ અને લોકો સાથે વિશ્વાસઘાત કરી માનવ જીવનને નુકશાનકારક કેમીકલ ઉમેરી વેચાણ કરતા હતા, પોલીસે 5 લાખ જેટલી રકમની કુલ ૩૪૧૬ બોટલ ઝડપી મુકેશ ઘનશ્યામ બજાજ અને આદીલ દાઉદમુલ્લા નાગોરની ઝડપી લીધા હતા જ્યારે લખધીરસિંહ જાડેજા હજુ પોલીસ સકંજામાં આવ્યો નથી

Next Story