સતત ત્રીજા દિવસે ઘટી ગયો સોનાનો ભાવ ! જાણો 22 અને 24 કેરેટ સોનું કેટલું સસ્તું થયું

24 કેરેટ સોનું સૌથી શુદ્ધ છે પરંતુ 22 કેરેટ સોનું થોડું ઓછું શુદ્ધ પરંતુ મજબૂત છે, તેથી તેનો ઉપયોગ ઘરેણાં બનાવવામાં થાય છે. ભારતમાં સોનાના ભાવ ઘણા પરિબળો પર આધાર રાખે છે

New Update
goldpricetoday

નિષ્ણાતો કહે છે કે વેપાર યુદ્ધના પરિબળોને કારણે સોનાના ભાવમાં વધઘટ થઈ રહી છે. જોકે, સ્થાનિક બુલિયન બજારમાં ભાવ સતત ઘટી રહ્યા છે. જે ખરીદદારો માટે રાહતની વાત છે. જ્યારે, વાયદા બજારમાં ભાવમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે ચાલો જાણીએ આજે સોનું કેટલા રુપિયે સસ્તું થયું

લગ્નની મોસમ ચાલી રહી છે. આવી સ્થિતિમાં, જો તમે સોનું અને ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા છો, અથવા સોના અને ચાંદીમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો, તો આજે તમારા માટે આ મહત્વપૂર્ણ સમાચાર છે. તમને જણાવી દઈએ આજે સતત ત્રીજા દિવસે સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો છે.

મંગળવારે 10 જૂનના રોજ દિલ્હીમાં 22 અને 24 કેરેટ સોનાના ભાવમાં ફરી મોટો ઘટાડો જોવા મળ્યો છે. આજે દિલ્હીમાં 22 કેરેટ સોનાનો ભાવ 89,690 રૂપિયા અને 24 કેરેટ સોનાનો ભાવ 97,830 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો છે.

જ્યારે મુંબઈ, બેંગ્લુરુ, હૈદરાબાદ, અને ચેન્નાઈ જેવા શહેરોમાં આજે 24 કેરેટ સોનું 97,680 રુપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોચ્યું છે જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ 89,540 પર છે.

આ સાથે ગુજરાતના અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા જેવા શહેરોમાં આજે 24 કેરેટ સોનાના ભાવની વાત કરીએ તે 10ગ્રામ સોનું 97,730 રુપિયા પર છે તેવી જ રીતે 22 કેરેટ સોનાનો ભાવ 89,590 રુપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યો છે.

સોમવારને 9 જૂને ચાંદીના ગઈકાલની સરખામણીમાં આજે ફરી વધારો થયો છે. ગઈકાલે ચાંદીનો ભાવ 1,06,100 રૂપિયા પ્રતિ કિલો હતો, જ્યારે આજે કિલો ચાંદી 1,08,100 રુપિયે પહોંચી ગઈ છે. એટલે કે એક દિવસમાં ચાંદીના ભાવમાં 2000 રુપિયાનો વધારો થયો છે.

24 કેરેટ સોનું સૌથી શુદ્ધ છે પરંતુ 22 કેરેટ સોનું થોડું ઓછું શુદ્ધ પરંતુ મજબૂત છે, તેથી તેનો ઉપયોગ ઘરેણાં બનાવવામાં થાય છે. ભારતમાં સોનાના ભાવ ઘણા પરિબળો પર આધાર રાખે છે, જેમ કે આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવ, સરકાર દ્વારા લાદવામાં આવતા કર અને રૂપિયાના મૂલ્યમાં ફેરફાર.

સોનું ફક્ત એક રોકાણ નથી, પરંતુ તે આપણી પરંપરાઓ અને તહેવારોનો એક મહત્વપૂર્ણ ભાગ પણ છે. ખાસ કરીને લગ્ન અને તહેવારો દરમિયાન તેની માંગ ઘણી વધી જાય છે.

ખરેખર, લગ્નની મોસમ દરમિયાન સોનાના ભાવમાં ઝડપી ઉથલપાથલ જોવા મળી રહી છે. નિષ્ણાતો કહે છે કે વેપાર યુદ્ધના પરિબળોને કારણે સોનાના ભાવમાં વધઘટ થઈ રહી છે. જોકે, સ્થાનિક બુલિયન બજારમાં ભાવ સતત ઘટી રહ્યા છે. જે ખરીદદારો માટે રાહતની વાત છે. જ્યારે, વાયદા બજારમાં ભાવમાં વધારો થઈ રહ્યો છે. તે જ સમયે, વિદેશી બજારોમાં પણ ઘણો ઉત્સાહ છે. નિષ્ણાતો કહે છે કે ભવિષ્યમાં પણ સોના અને ચાંદીના ભાવમાં વધઘટ થશે.

 

Latest Stories