કેન્દ્ર સરકારે સોમવારે (07 એપ્રિલ) પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઇઝ ડ્યુટી વધારવાનો નિર્ણય લીધો છે. મહેસૂલ વિભાગના નોટિફિકેશન મુજબ, કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઇઝ ડ્યુટીમાં 2 રૂપિયાનો વધારો કર્યો છે. પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ 8 એપ્રિલથી લાગુ થશે.
સત્તાવાર આદેશ મુજબ, પેટ્રોલ પર એક્સાઇઝ ડ્યુટીમાં પ્રતિ લિટર ૧૩ રૂપિયા અને ડીઝલ પર પ્રતિ લિટર ૧૦ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે એક્સાઇઝ ડ્યુટી એ કેન્દ્ર સરકાર દ્વારા લાદવામાં આવતો કર છે, જે ઇંધણના ભાવનો મોટો ભાગ બનાવે છે.
શું છૂટક ભાવ વધશે?
પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે માહિતી આપી હતી કે જાહેર ક્ષેત્રની તેલ માર્કેટિંગ કંપનીઓએ જાણ કરી છે કે આજે એક્સાઇઝ ડ્યુટી દરમાં વધારા બાદ પેટ્રોલ અને ડીઝલના છૂટક ભાવમાં કોઈ વધારો થશે નહીં.
કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રીએ શું કહ્યું?
આ સમગ્ર મુદ્દા પર, કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ કહ્યું, "તમે નાણા મંત્રાલયનું એક નોટિફિકેશન જોયું હશે, જેમાં કહેવામાં આવ્યું છે કે પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઇઝ ડ્યુટીમાં 2 રૂપિયાનો વધારો કરવામાં આવી રહ્યો છે. હું સ્પષ્ટ કરી દઉં છું કે આ બોજ ગ્રાહક પર નાખવામાં આવશે નહીં. ક્રૂડ ઓઇલની આંતરરાષ્ટ્રીય કિંમત પ્રતિ બેરલ લગભગ $60 થઈ ગઈ છે, પરંતુ કૃપા કરીને યાદ રાખો કે આપણી ઓઇલ માર્કેટિંગ કંપનીઓ 45 દિવસના સમયગાળા માટે સ્ટોક રાખે છે.