કોરોના મહામારી : ગુજરાત રાજ્યમાં આજે 1272 નવા કેસ નોંધાયા,17 દર્દીઓના મોત

New Update
કોરોના મહામારી : રાજ્યમાં સંક્રમિત કુલ દર્દીઓની સંખ્યા 1 લાખને પાર, આજે વધુ 1325 નવા કેસ નોંધાયા

ગુજરાત રાજ્યમાં કોરોના વાયરસનો કહેર સતત વધી રહ્યો છે. રાજ્યમાં આજે કોરોનાના વધુ 1272 નવા પોઝીટીવ કેસ નોંધાયા છે. આજે વધુ 17 દર્દીઓના મોત થયા છે. જ્યારે 1095 દર્દીઓને સારવાર આપ્યા બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ કેસનો આંકડો 95155 પર પહોંચ્યો છે. અને કુલ મુત્યુઆંક 3008 થયો છે.

રાજ્યમાં આજે 1272 નોંધાયેલ કેસ પૈકી સુરત કોર્પોરેશનમાં 174 અમદાવાદ કોર્પોરેશનમાં 146, વડોદરા કોર્પોરેશનમાં 93, જામનગર કોર્પોરેશમાં 87, રાજકોટ કોર્પોરેશમાં 83, સુરતમાં 83, રાજકોટ 36, ભાવનગર કોર્પોરેશનમાં 35, પંચમહાલમાં 35, વડોદરામાં 35, ભાવનગરમાં 33, ભરૂચમાં 30, કચ્છમાં 26, ગાંધીનગરમાં 25, ગાંધીનગર કોર્પોરેશનમાં 24, અમદાવાદ 23, મોરબી 23, અમરેલી 21, જામનગર 19, બનાસકાંઠા 18, સુરેન્દ્રનગર 18, દાહોદ 17 અને મહેસાણામાં 17 કેસ નોંધાયા છે.

રાજ્યમાં આજે 17 દર્દીઓના કોરોનાને કારણે મોત થયા છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનનમાં 4, સુરત કોર્પોરેશનમાં 3, ભાવનગરમાં 2, સુરતમાં 2, અમરેલીમાં 1, બનાસકાંઠામાં 1, જામનગરમાં 1, સાબરકાંઠામાં 1, વડોદરામાં 1 અને વડોદરા કોર્પોરેશનમાં 1 નું મોત થયું છે.

રાજ્યમાં હાલ 15390 એક્ટિવ કેસ છે, જ્યારે 76757 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં 84 દર્દી વેન્ટીલેટર પર છે અને 15306 લોકો સ્ટેબલ છે.

Latest Stories