કોરોના મહામારી : રાજ્યમાં આજે 1310 નવા કેસ નોધાયા,વધુ 14 દર્દીઓના મોત

New Update
દેશમાં છેલ્લા 24 કલાકમાં એક લાખ 45 હજાર નવા કેસ, સક્રિય કેસ 10 લાખથી વધુ છે

ગુજરાત રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત છે. રાજ્યમાં આજે કોરોનાના વધુ 1310 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. અને વધુ 14 દર્દીઓના મોત થયા છે.જ્યારે 1131 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ કેસની સંખ્યા 97745 પર પહોચી છે. અને કુલ મૃત્યુઆંક 3036 થયો છે.

રાજ્યમાં આજે 1310 નોધાયેલ કેસ પૈકી સુરત કોર્પોરેશનમાં 174, અમદાવાદ કોર્પોરેશનમાં 145,  સુરતમાં 114, જામનગર કોર્પોરેશમાં 97, રાજકોટ કોર્પોરેશનમાં 89, વડોદરા કોર્પોરેશનાં 85, ભાવનગર કોર્પોરેશન અને પંચમહાલમાં 37-37, રાજકોટ અને વડોદરામાં 36-36, અમરેલીમાં 31, મહેસાણામાં 30, પાટણમાં 26, ભરૂચમાં 25, મોરબીમાં 23, કચ્છ-નવસારી-સુરેન્દ્રનગરમાં 20-20, દેવભૂમિ દ્વારકા અને ગાંધીનગર કોર્પોરેશનમાં 19-19 કેસ નોંધાયા હતા.

રાજ્યમાં આજે 14 દર્દીઓના કોરોનાના કારણે મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનનમાં 4, સુરતમાં 4, સુરત કોર્પોરેશનમાં 2, ગીર સોમનાથમાં 1, જામનગર કોર્પોરેશમાં 1, વડોદરામાં 1, વડોદરા કોર્પોરેશનમાં 1  નું મોત થયું છે.  

રાજ્યમાં હાલ 15,796  એક્ટિવ કેસ છે, જ્યારે 78,913 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં 92 દર્દી વેન્ટીલેટર પર છે અને 15,704 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં સાજા થવાનો દર 80.73 ટકા છે.

Latest Stories