કોરોના મહામારી : રાજ્યમાં સતત બીજા દિવસે 1300થી વધુ કેસ નોંધાયા,12 દર્દીઓના મોત

New Update
દેશમાં છેલ્લા 24 કલાકમાં એક લાખ 45 હજાર નવા કેસ, સક્રિય કેસ 10 લાખથી વધુ છે

રાજ્યમાં સતત બીજા દિવસે 1300થી વધુ કેસ નોંધાયા છે. રાજ્યમાં આજે કોરોનાના 1305 નવા પોઝીટીવ કેસ નોંધાયા છે. અને વધુ 12 દર્દીઓના મોત થયા છે.જ્યારે 1141 દર્દીઓને સારવાર આપ્યા બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ સંક્રમિત કેસની સંખ્યા 99,050 પર પહોંચી છે.અને કુલ મૃત્યુઆંક 3048 થયો છે.

રાજ્યમાં આજે 1305 નોંધાયેલ કેસ પૈકી સુરત કોર્પોરેશનમાં 176, અમદાવાદ કોર્પોરેશનમાં 149,  જામનગર કોર્પોરેશનમાં 125, રાજકોટ કોર્પોરેશનમાં 89, સુરતમાં 89, વડોદરા કોર્પોરેશનમાં 89, રાજકોટમાં 54, વડોદરામાં 36, પંચમહાલમાં 34, ભાવનગર કોર્પોરેશનમાં 27, અમરેલીમાં 26, જામનગરમાં 25, મહેસાણામાં 24, ભરૂચમાં 23, ભાવનગરમાં 21, ગાંધીનગરમાં 21, અમદાવાદ અને મોરબીમાં 20-20 કેસ નોંધાયા છે.

રાજ્યમાં આજે  12 દર્દીઓના કોરોના કારણે મોત થયા છે. જેમાં સુરતમાં 4, અમદાવાદ કોર્પોરેશનમાં 3, સુરત કોર્પોરેશનમાં 2, ગાંધીનગરમાં 1, ગાંધીનગર કોર્પોરેશનમાં 1, વડોદરા કોર્પોરેશનમાં 1  નું મોત થયું છે.

રાજ્યમાં હાલ 15,948  એક્ટિવ કેસ છે, જ્યારે 80,054 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં 94 દર્દી વેન્ટીલેટર પર છે અને 15,854 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં સાજા થવાનો દર 80.82 ટકા છે.


Latest Stories