/connect-gujarat/media/post_banners/60bb6b4e0b2d06517ed13c1e2d6179db9242664f2fc78b8b60dd2b5a7731be1e.jpg)
અમદાવાદ શહેરની સાબરમતી જેલમાં પુસ્તકની પરબ શરૂ કરવામાં આવી છે. જેમાં બેંગ્લોરની સત્સંગ સંસ્થા દ્વારા અલગ અલગ પુસ્તકો જેલની લાયબ્રેરીને અર્પણ કરવામાં આવ્યા છે.
સાબરમતી જેલમાં મોટી સંખ્યામાં કેદીઓ વર્ષોથી જેલવાસ ભોગવી રહ્યા છે. આ કેદીઓ પુસ્તકનું વાંચન કરે અને તેઓમાં આધ્યાત્મિક તેમજ સામાજિક જ્ઞાન વધે તે હેતુથી બેંગ્લોરની સત્સંગ સંસ્થા દ્વારા સાબરમતી જેલને વિવિધ પુસ્તકો અર્પણ કરવામાં આવ્યા છે. આ પુસ્તકોમાં જેલના પુસ્તકો કે, જેમાં દેશની વિવિધ જેલો અંગેની માહિતી આપવામાં આવી છે. આ પ્રસંગે મોટી સંખ્યામાં જેલના કેદીઓ, જેલ સુપ્રિટેન્ડેન્ટ અને સત્સંગ સંસ્થાના સભ્યો હાજર રહ્યા હતા.