અમદાવાદ : ભગવાન જગન્નાથજી 148મી રથયાત્રાની તૈયારીઓનો અક્ષય તૃતિયા નિમિત્તે પ્રારંભ, રથની ચંદન પૂજા કરાય...

અમદાવાદમાં અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથજી નગરયાત્રાએ નીકળે છે. 148મી રથયાત્રાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. રથયાત્રા પહેલા ભગવાનના રથનું સમારકામ કરવામાં આવે છે

New Update
  • અમદાવાદમાં રથયાત્રાની તૈયારીઓનો આજથી પ્રારંભ

  • ભગવાન જગન્નાથજીના રથની ચંદન પૂજા કરવામાં આવી

  • જગન્નાથજીની ચંદન યાત્રામાં સાધુ-સંતો આપશે હાજરી

  • 148મી રથયાત્રાની તૈયારીઓનો પ્રારંભ કરવામાં આવ્યો

  • મોટી સંખ્યામાં લોકો ચંદન યાત્રામાં જોડાય તેવું આહ્વાન 

Advertisment

અમદાવાદ શહેરમાં ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રાની તૈયારીઓનો આજરોજ અક્ષય તૃતિયા નિમિત્તે પ્રારંભ કરવામાં આવ્યો છે. જેના ભાગરૂપે જગન્નાથ મંદિરમાં રથની ચંદન પૂજાનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું.

અમદાવાદમાં અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથજી નગરયાત્રાએ નીકળે છે. 148મી રથયાત્રાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. રથયાત્રા પહેલા ભગવાનના રથનું સમારકામ કરવામાં આવે છે. રથના પૈડા સહિતનું સમારકામ હાથ ધરાય છેત્યારે આજે અખાત્રીજ પર્વથી રથયાત્રાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

અક્ષય તૃતિયાનું પાવન પર્વ પર તૈયારીની શરૂઆત કરાઈ છે. જગન્નાથ મંદિરમાં ઐતિહાસિક રથની ચંદન પૂજા થશે. અખાત્રીજ પર ચંદન યાત્રાનું વિશેષ મહત્વ છે. ચંદન પૂજા બાદ વિધિવત રીતે રથનું સમારકામ કરાય છે. જગન્નાથજીની ચંદન યાત્રામાં સાધુ-સંતો હાજર રહેશે. પરંપરાગત રીતે ચંદન પૂજા બાદ વિધિવત રીતે રથનું સમારકામ કરાય છે.

અખાત્રીજ પર ચંદનયાત્રાનું વિશેષ મહત્વ રહેલું છે. જગન્નાથજીની ચંદન યાત્રામાં સાધુ સંતો પણ હાજરી આપશે. અમદાવાદમાં ભગવાન જગન્નાથની 148મી રથયાત્રાના યજમાન નક્કી કરવામાં આવ્યા હતાં. ગત 6 એપ્રિલે ભગવાનના મામેરા માટે સરસપુર ખાતે ડ્રો આયોજિત કરાયો હતો.

જેમાં ભગવાનના મામેરાના યજમાન તરીકે જાગૃતિબેન ત્રિવેદીને લાભ મળ્યો હતો. 148મી રથયાત્રામાં મામેરુ કરવા માટે 6 જેટલા યજમાનો દ્વારા નામ નોંધાવવામાં આવ્યા હતા. ભગવાનની 148મી રથયાત્રામાં મામેરુ કરવા માટે 6 યજમાનો દ્વારા નામ નોંધાવાયા હતા.

Advertisment
Latest Stories