New Update
-
આજે ખોડિયાર જયંતિની ઉજવણી
-
અંકલેશ્વરમાં કરવામાં આવ્યું આયોજન
-
જીઆઇડીસીમાં માતાજીની રથયાત્રા નિકળી
-
મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા
-
ગરબે ઘૂમી માતાજીની કરી આરાધના
આજરોજ મહાસુદ આઠમ ખોડિયાર જયંતિ નિમિત્તે અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતના રહેણાંક વિસ્તારમાં માં ખોડીયારની ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આજરોજ મહાસુદ આઠમ એટલે કે ખોડીયાર જયંતિની ઠેર ઠેર ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી ત્યારે અંકલેશ્વર જીઆઇડીસીમાં મેઘાણી મંડપ સર્વિસ દ્વારા મા ખોડીયારની ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ રથયાત્રાનું નિયમ ચોકડી ખાતેથી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું જે ગોલ્ડન પોઇન્ટ,સીટી સેન્ટર, સરદાર પાર્ક, સરદાર ભવન,પંચવટી સોસાયટી અને પારસમણી ચોકડી થઈ પરત નિયમ ચોકડી ખાતે પહોંચી હતી જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા. ડી.જે.ના તાલ સાથે ભક્તોએ ગરબે ઘૂમી માતાજીની આરાધના કરી હતી.
Latest Stories