અંકલેશ્વર: અનુપમ મિશન દ્વારા શ્રાવણ માસ નિમિત્તે હિંડોળા દર્શનનો કાર્યક્રમ યોજાયો, ભાવિક ભક્તોએ લીધો લાભ

અંકલેશ્વરના ગડખોલ વિસ્તારમાં આવેલ અનુપમ મિશન દ્વારા શ્રાવણ માસ દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે જે અંતર્ગત હિંડોળા દર્શનનો કાર્યક્રમ યોજાયો

New Update
  • અંકલેશ્વરમાં કાર્યક્રમનું આયોજન

  • અનુપમ મિશન દ્વારા આયોજન

  • શ્રાવણ માસ નિમિત્તે આયોજન કરાયું

  • હિંડોળા દર્શનનો કાર્યક્રમ યોજાયો

  • ભાવિક ભક્તોએ લીધો લાભ

અંકલેશ્વરના અનુપમ મિશન દ્વારા પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે હિંડોળા દર્શન સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાઇ રહ્યા છે જેનો ભાવિક ભક્તોએ લાભ લીધો હતો. અંકલેશ્વરના ગડખોલ વિસ્તારમાં આવેલ અનુપમ મિશન દ્વારા શ્રાવણ માસ દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે જે અંતર્ગત હિંડોળા દર્શનનો કાર્યક્રમ યોજાયો હતો જેના દર્શનનો ભાવિક ભક્તોએ લાભ લઈ ધન્યતા અનુભવી હતી.
આ સાથે જ પારાયણ સહિતના કાર્યક્રમો પણ યોજાશે.આ કાર્યક્રમમાં રાજેશભાઈ પટેલ, રોહન પટેલ સહિતના અગ્રણીઓ તેમજ અનુપમ મિશનના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. સ્વામિનારાયણ સંપ્રદાયમા ચાતુર્માસ દરમિયાન હિંડોળા દર્શનના કાર્યક્રમનું ખૂબ જ મહત્વ રહેલું છે ત્યારે અનુપમ મિશન દ્વારા આ પ્રકારના કાર્યક્રમમાં યોજાઇ રહ્યા છે. 
Read the Next Article

અંબાજી ભાદરવી પૂનમ મહામેળો આજથી શરુ, જાણો આરતી અને દર્શનનો સમય?

બનાસકાંઠા કલેક્ટર મિહિર પટેલે માતાજીનો રથ ખેંચીને અંબાજી ભાદરવી પૂનમ મેળાનો પ્રારંભ કરાવ્યો છે. આ મહામેળો 7 સપ્ટેમ્બર 2025 સુધી ચાલશે.

New Update
melo

બનાસકાંઠા કલેક્ટર મિહિર પટેલે માતાજીનો રથ ખેંચીને અંબાજી ભાદરવી પૂનમ મેળાનો પ્રારંભ કરાવ્યો છે. આ મહામેળો 7 સપ્ટેમ્બર 2025 સુધી ચાલશે.

ભાદરવો મહિનો શરૂ થયો છે. શક્તિપીઠ અંબાજી ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ ભાદરવી પૂનમનો મેળો યોજાયો છે. જેની શરૂઆત આજથી એટલે કે સોમવારથી શરુ થયો છે. બનાસકાંઠા કલેક્ટર મિહિર પટેલે માતાજીનો રથ ખેંચીને મેળાનો પ્રારંભ કરાવ્યો છે. આ મહામેળો 7 સપ્ટેમ્બર 2025 સુધી ચાલશે. ભાદરવી પૂનમના દિવસે લાખો ભક્તો અંબાજી માતાના દર્શન કરી ધન્યતા અનુભવે છે. તંત્ર દ્વારા પણ ભાદરવી પૂનમ મેળાને ધ્યાનમાં રાખીને સુરક્ષાથી લઈને દરેક પ્રકારની વ્યવસ્થાઓ કરી છે.

અંબાજી ભાદરવી પૂનમ મહામેળામાં ગુજરાત સહિત દેશની વિવિધ જગ્યાઓથી ભક્તો અંબાજી આવે છે. લાખો ભક્તો ચાલીને પગપાળા સંઘ લઈને પણ આવે છે. આ દિવસોમાં બોલ માડી અંબે જય જય અંબેના નાદથી સમગ્ર અંબાજી ગૂંજી ઉઠે છે. અંબાજી ગબ્બર અને અંબાજી મંદિર દર્શન કરવા ભક્તોનું કીડિયારું ઊભરાય છે.

અંબાજી ભાદરવી પૂનમ મહામેળા દરમિયાન અંબાજી મંદિર તંત્ર દ્વારા ભક્તોની આસ્થાને ધ્યાનમાં રાખી સમયમાં ફેરફાર કર્યા છે. મહામેળા દરમિયાન આ પ્રમાણેનો સમય રહેશે.

  • સવારે 6થી 6.30ના આરતી
  • સવારે 6થી 11.30 વાગ્યા સુધી દર્શન
  • સવારે 1130થી 12.30ના દર્શન બંધ રહેશે
  • બપોરે 12.30થી સાંજના 5 વાગા સુધી દર્શન
  • સાંજે 5થી રાત્રે 12 વાગ્યા સુધી દર્શન
  • રાત્રે 12 વાગ્યાથી લઈને સવારે 6 વાગ્યા સુધી દર્શન બંધ

અંબાજી ભાદરવી પૂનમ મેળો શું ખાસ રહેશે?

  • પ્રસાદ વિતરણ માટે કૂલ 28 પ્રસાદ કેન્દ્રો ઊભા કરાયા
  • મેળા દરમિયાન 30 લાખથી વધારે પ્રસાદના પેકેટ વિતરણ કરાશે
  • યાત્રિકો માટે કૂલ ચાર સ્થળોએ નિઃશુક્લ ભોજન વ્યવસ્થા કરાઈ છે
  • સુરક્ષા માટે ત્રણ સ્તરના પોલીસ બંદોબસ્ત સાથે 5000 જવાનો તૈનાત
  • 332થી વધુ કેમેરા થકી સમગ્ર મેળાનું મોનિટરિંગ કરાશે
  • 1,83,855 ચોરસ મીટર એરિયામાં કૂલ 35 જેટલા પાર્કિંગ ઊભા કરાયા
  • 22541 કરતા વધારે વાહનો પાર્ક થાય તેવી વ્યવસ્થા ગોઠવાઈ
  • શ્રદ્ધાળુઓ ઘરે બેઠા પાર્કિંગ બુક કરી શકે તે માટે show my parking એપ્લિકેશનની ઓનલાઈન સુવિધાન
  • પાર્કિંગથી મંદિર ખાતે જવા આવવા માટે મંદિર ટ્રસ્ટ તરફથી વિના મૂલ્યે મીની બસ સેવા
  • ડ્રોન લાઈટ શો સહિતના આયોજનો કરાયા