New Update
ચાણોદ ત્રિવેણી સંગમથી અંકલેશ્વર ગાર્ડન સિટી સુધી ડાક કાવડ લઈને 6 કલાકમાં 100 કિલોમીટર દોડી કાવડ યાત્રીઓ પહોંચ્યા હતા. ભગવાન પરશુરામ સેવા સમિતિ ગ્રૂપ દ્વારા કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવે છે જેના ભાગરૂપે ચાલુ વર્ષે ચાણોદ ત્રિવેણી સંગમ નર્મદા નદી કિનારેથી અંકલેશ્વર ગાર્ડન સિટી સુધી અનોખી કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.કાવડ યાત્રીઑએ ડાક કાવડ લઈને 6 કલાકમાં 100 કિલોમીટર દોડી અંકલેશ્વર ગાર્ડન સિટી ખાતે પહોંચ્યા હતા.