ભરૂચ: દેવ ઉઠી અગિયારસથી શુભકાર્યોનો પ્રારંભ, ભગવાન વિષ્ણુની કરવામાં આવે છે આરાધના

એવું માનવામાં આવે છે કે એકાદશી પર ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી વ્યક્તિ મન અને ઇન્દ્રિયો પર નિયંત્રણ મેળવે છે. દરેક એકાદશીના અલગ નામ હોય છે....

New Update
  • આજે દેવ ઉઠી અગિયારસ

  • ધાર્મિક દ્રષ્ટિએ મહત્વની એકાદશી

  • આજથી શુભ કાર્યોનો થશે પ્રારંભ

  • ભગવાન વિષ્ણુની કરવામાં આવે છે આરાધના

  • વિશેષ ફળની થાય છે પ્રાપ્તિ

એકાદશીઓમાં દેવ ઉઠી અગિયારસનું સૌથી વિશેષ મહત્વ માનવામાં આવે છે. દેવ ઉઠી અગિયારસના દિવસે ભગવાન વિષ્ણુ 4 મહિનાની નિંદ્રામાંથી જાગી જાય છે. જ્યારે ભગવાન વિષ્ણુ યોગ નિદ્રામાંથી જાગે છે ત્યારે ચાતુર્માસ સમાપ્ત થાય છે.
હિંદુ કેલેન્ડર મુજબ, એકાદશી વ્રત વર્ષમાં 24 વખત મનાવવામાં આવે છે. એકાદશી તિથિ દર મહિને બે વાર આવે છે.જે વિશ્વના સર્જક ભગવાન વિષ્ણુને સમર્પિત છે.એવું માનવામાં આવે છે કે એકાદશી પર ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી વ્યક્તિ મન અને ઇન્દ્રિયો પર નિયંત્રણ મેળવે છે. દરેક એકાદશીના અલગ નામ હોય છે. કારતક માસના શુક્લ પક્ષમાં આવતી દેવ ઉઠી અગિયારસ કહેવામાં આવે છે.
દેવ ઉઠી એકાદશીથી ગુજરાત ભરમાં લગ્ન પ્રસંગ વાસ્તુપૂજન સહિતના શુભ કાર્યોનો પ્રારંભ કરવામાં આવે છે. દેવું છે અગિયારસનો મહત્વ સમજાવતા ભરૂચના જાણીતા કર્મકાંડી વિપ્ર ગીરીશ શુક્લએ જણાવ્યું હતું કે તમામ એકાદશીઓમાં દેવ ઉઠી અગિયારસ શ્રેષ્ઠ છે. આજના દિવસે વિષ્ણુ ભગવાનનું પૂજન અર્ચન અને કથા સાંભળવાથી વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે. તુલસી વિવાહ સાથે આજથી સામાજિક ક્ષેત્રે લગ્ન સહિતના શુભ કાર્યોનો પ્રારંભ કરવામાં આવે છે.
Read the Next Article

પંચમહાલ : શક્તિ, ભક્તિ અને આસ્થા કેન્દ્ર પાવાગઢ મહાકાળી મંદિરે પ્રથમ નોરતે ઊમટ્યું માઈભક્તો ઘોડાપૂર...

પાવાગઢ મહાકાળી માતાજીના મંદિરે માઈભક્તોનું ઘોડાપૂર ઊમટ્યું હતું. નવરાત્રિના પ્રથમ દિવસે જ એક લાખથી વધુ શ્રદ્ધાળુએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી

New Update
  • શક્તિભક્તિ અને આસ્થાનું પર્વ એટલે આસો નવરાત્રિ

  • આસો નવરાત્રિનો આજથી ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો

  • પાવાગઢ સ્થિત મહાકાળી માતાનું મંદિર આસ્થાનું કેન્દ્ર

  • નવરાત્રિના પ્રથમ નોરતે માઈભક્તોનું ઘોડાપૂર ઊમટ્યું

  • એક લાખથી વધુ શ્રદ્ધાળુએ દર્શન કરી ધન્યતા અનુભવી

શક્તિભક્તિ અને આસ્થાનું પર્વ આસો નવરાત્રિનો આજથી ભવ્ય પ્રારંભ થયો છેત્યારે પાવાગઢ મહાકાળી માતાજીના મંદિરે માઈભક્તોનું ઘોડાપૂર ઊમટ્યું હતું. નવરાત્રિના પ્રથમ દિવસે જ એક લાખથી વધુ શ્રદ્ધાળુએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

વિશ્વનો સૌથી લાંબો આધ્યાત્મિક ઉત્સવ એટલે માઁ આદ્યશક્તિના આરાધનાના પર્વ આસો નવરાત્રીનો આજથી પ્રારંભ થયો છેત્યારે 51 શક્તિપીઠોમાં મહત્વનું સ્થાન ધરાવતું પંચમહાલ જિલ્લાનું તીર્થધામ પાવાગઢ મહાકાળી મંદિર માઈભક્તોમાં આસ્થાનું કેન્દ્ર બન્યું છેજ્યાં નવરાત્રિના પહેલા નોરતે શક્તિપીઠ પાવાગઢ મહાકાળી મંદિરને ફૂલોથી સજાવવામાં આવ્યું છે.

મહાકાળી માતાના મંદિરે વહેલી સવારથી જ યાત્રાળુઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. રાજસ્થાનમધ્યપ્રદેશ તેમજ ગુજરાતભરના અનેક શહેરોમાંથી યાત્રાળુઓ અહી આવતા હોય છેત્યારે નિજમંદિરના દ્વાર ખુલતા જ સમગ્ર પરિસર માતાજીના જયઘોષ સાથે ગુંજી ઉઠ્યું હતું.