ભરૂચ- અંકલેશ્વરમાં ચિરંજીવી હનુમાનજીના જન્મોત્સવની ભક્તિભાવ પૂર્વક ઉજવણી, ધાર્મિક કાર્યક્રમો યોજાયા

રોકડીયા હનુમાન મંદિર ખાતે હનુમાન જન્મોત્સવના પાવન પર્વ નિમિત્તે મહાઆરતી, દર્શન, પૂજન અર્ચન અને અન્નકૂટ, મહાપ્રસાદી સહીતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું

New Update
  • આજે ચૈત્ર સુદ પૂનમ

  • હનુમાન જયંતીની ઉજવણી

  • ઠેર ઠેર ધાર્મિક કાર્યક્રમોનું આયોજન

  • મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા

  • પવનપુત્ર હનુમાનજીના આશીર્વાદ ગ્રહણ કર્યા

Advertisment
આજરોજ ચૈત્ર સુદ પુનમ એટલે કે હનુમાન જયંતિના પર્વની ભરૂચ અંકલેશ્વરમાં અત્યંત ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચમાં પ્રાચીન સમયથી પાવન સલીલા માઁ નર્મદા નદી કિનારે આવેલ રોકડીયા હનુમાન મંદિર ખાતે હનુમાન જન્મોત્સવના પાવન પર્વ નિમિત્તે મહાઆરતી, દર્શન, પૂજન અર્ચન અને અન્નકૂટ, મહાપ્રસાદી સહીતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ તરફ સુપર માર્કેટ નજીક આવેલા સંકટ મોચન હનુમાન મંદિર, દાંડિયા બજાર સ્થિત કષ્ટભંજન હનુમાન મંદિર સહિત શહેરના વિવિધ મંદિરોમાં  ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો ભાવિક ભક્તોએ લાભ લઇ ધન્યતા અનુભવી હતી.સમસ્ત હિન્દૂ સમાજ દ્વારા ચલિત હનુમાન ચાલીસાના પાઠનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા
આ તરફ અંકલેશ્વર હાંસોટ રોડ પર આવેલા ભીડભંજન હનુમાનજી મંદિર ખાતે હનુમાન જયંતિની અત્યંત ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.હનુમાન જયંતી નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા અને પવનપુત્ર હનુમાનજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
Advertisment
હનુમાનજીના જન્મોત્સવ નિમિત્તે અંકલેશ્વર તાલુકાના પુન ગામ નજીક આવેલ લાખા હનુમાનજી મંદિર ખાતે મારુતિ યજ્ઞ અને મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું. લાખા વણઝારા દ્વારા આ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું જે ભક્તોની અનન્ય આસ્થાનું કેન્દ્ર છે.
અંકલેશ્વર તેમજ આસપાસના વિસ્તારોમાંથી શ્રદ્ધાળુઓ પગપાળા આ મંદિરે આવે છે અને લાખા હનુમાનજીના દર્શન કરી ધન્યતા અનુભવે છે. હનુમાન જયંતી નિમિત્તે યજ્ઞ સાથે વિવિધ ધાર્મિક કાર્યક્રમો પણ યોજાયા હતા જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા.
Advertisment
Read the Next Article

જો ભૂલથી પણ નિર્જળા એકાદશીના વ્રત પર આ નિયમ તોડ્યો તો વ્રત નિષ્ફળ..

આ વ્રતના પાટખંડમાં પાંડવોમાંથી ભીમસેનનું ઉદાહરણ લેવાય છે, જેમણે ખાવા-પીવાની વિશેષ ઇચ્છા હોવા છતાં નિર્જળા વ્રત રાખ્યું હતું. તેથી, આ એકાદશીને “ભીમસેની એકાદશી” પણ કહેવામાં આવે છે.

New Update
નિર્જળા એકાદશીનું મહત્વ

જ્યોતિષોના કહેવા અનુસાર, જો કોઈ વ્યક્તિ નિર્જળા એકાદશી પર ભૂલથી પણ પાણી પી લે છે, તો તેનું વ્રત તૂટી જાય છે અને ઉપવાસનું ફળ મળતું નથી. આ વ્રતના પાટખંડમાં પાંડવોમાંથી ભીમસેનનું ઉદાહરણ લેવાય છે, જેમણે ખાવા-પીવાની વિશેષ ઇચ્છા હોવા છતાં નિર્જળા વ્રત રાખ્યું હતું. તેથી, આ એકાદશીને ભીમસેની એકાદશીપણ કહેવામાં આવે છે.

Advertisment

પાણીનો ઉપયોગ આ દિવસે ફક્ત બે જ વાર કરી શકાય છે પહેલી વાર બ્રહ્મમુહૂર્તમાં સ્નાન કરતી વખતે અને બીજી વાર આચમન કરતી વખતે. વેદ વ્યાસજીએ કહ્યું છે કે આચમન માટે પણ માત્ર થોડું પાણી (છ માસથી વધુ નહીં) જ લેવાય. ફળ, રસ, અને અન્ય ખાદ્ય વસ્તુઓ સંપૂર્ણ રીતે પ્રતિબંધિત છે.

નિર્જળા એકાદશીનું પારણું પણ ચોક્કસ સમય પર જ કરવું જોઈએ. જેમ કે 6 જૂને વ્રત રાખનારા લોકો 7 જૂને સવારે 11:25 પછી જ કંઈ ખાઈ શકે છે. પારણા માટે શ્રેષ્ઠ સમય બપોરે 01:44 થી 04:31 વચ્ચે છે. વૈષ્ણવો માટે, જેમણે 7 જૂને વ્રત રાખ્યું હશે, તેઓ 8 જૂને સવારના 05:23 વાગ્યા પછી જ પાણી પી શકે છે અને 07:17 પહેલા પારણું કરી લેવું જોઈએ કારણ કે દ્વાદશી તિથિ ત્યારે પૂરું થશે.

Advertisment