ભરૂચ: મકરસંક્રાંતિ પર્વ પર ગાય માતાને ઘાસ તેમજ ઘૂઘરી ખવડાવી પુણ્યનું ભાથું બાંધતા શ્રદ્ધાળુઓ

મકરસંક્રાંતિ.આજના દિવસને દાન પુણ્ય સાથે પણ સાંકળવામાં આવે છે.આજે મકરસંક્રાંતિના પવિત્ર દિવસે ભક્તો ગૌ માતાનું પૂજન અર્ચન કરે છે અને તેઓને ધાન્ય અર્પણ કરે છે.

New Update
  • મકરસંક્રાંતિ પર્વમાં ગૌપૂજનનું છે વિશેષ મહત્વ

  • પાંજરાપોળ ખાતે ભક્તોનું ઉમટ્યું ઘોડાપુર

  • પાવન અવસરે ગૌપૂજન કરતા શ્રદ્ધાળુઓ

  • NRI શ્રદ્ધાળુઓએ પણ કર્યું ગૌપૂજન

  • ગાય માતાને લીલુ ઘાસ અર્પણ કરતા ભક્તો

ભરૂચના પાંજરાપોળ ખાતે મકરસંક્રાંતિ નિમિત્તે ગૌપુજા માટે ભક્તો ઉમટી પડ્યા હતા,અને ગાય માતાને લીલુ ઘાસ તેમજ ઘુઘરી ખવડાવીને શ્રદ્ધાળુઓએ પુણ્યનું ભાથું બાંધ્યું હતું. સૂર્ય દેવનું મકર રાશિમાં ભ્રમણ એટલે મકરસંક્રાંતિ.આજના દિવસને દાન પુણ્ય સાથે પણ સાંકળવામાં આવે છે.આજે મકરસંક્રાંતિના પવિત્ર દિવસે ભક્તો ગૌ માતાનું પૂજન અર્ચન કરે છે અને તેઓને ધાન્ય અર્પણ કરે છે.

ભરૂચ પાંજરાપોળ ખાતે શ્રદ્ધાળુઓએ ગાય માતાની પૂજા કરી તેઓને ઘાસચારો તેમજ ઘૂઘરી ખવડાવ્યા હતા. સૂર્યના રાશિ બદલવાથી દર બે મહિનામાં ઋતુ બદલાય છે.મકરસંક્રાંતિ એક ઋતુ પર્વ છેજે હેમંત અને શીત ઋતુનો સંધિકાળ છેએટલે હેમંત પૂર્ણ થયા પછી શીત ઋતુ શરૂ થાય છેએટલે ઠંડીનું વાતાવરણ હોવાને કારણે આ દિવસે સૂર્યપૂજાખીચડી અને તલ-ગોળનું સેવન કરવાની પરંપરા છે.

કેમ કે આ અનાજ શીત ઋતુમાં શરીર માટે ફાયદાકારક હોય છેસાથે જ ઉતરાયણ પર્વે મંદિરમાં દર્શન કર્યા બાદ દાન આપવાની પણ એક માન્યતા હોય છે ત્યારે આજરોજ શક્તિનાથ મંદિરે ભક્તોએ પૂજન અર્ચન કરી દાન આપીને ધન્યતા અનુભવી હતી. પાંજરાપોળ ખાતે સ્થાનિક ભક્તો ઉપરાંતNRI ભક્તોએ પણ ગૌપૂજનનો લ્હાવો લીધો હતો,અને ગૌપૂજન કરીને ધન્યતા અનુભવી હતી.

Read the Next Article

અંબાજી ભાદરવી પૂનમ મહામેળો આજથી શરુ, જાણો આરતી અને દર્શનનો સમય?

બનાસકાંઠા કલેક્ટર મિહિર પટેલે માતાજીનો રથ ખેંચીને અંબાજી ભાદરવી પૂનમ મેળાનો પ્રારંભ કરાવ્યો છે. આ મહામેળો 7 સપ્ટેમ્બર 2025 સુધી ચાલશે.

New Update
melo

બનાસકાંઠા કલેક્ટર મિહિર પટેલે માતાજીનો રથ ખેંચીને અંબાજી ભાદરવી પૂનમ મેળાનો પ્રારંભ કરાવ્યો છે. આ મહામેળો 7 સપ્ટેમ્બર 2025 સુધી ચાલશે.

ભાદરવો મહિનો શરૂ થયો છે. શક્તિપીઠ અંબાજી ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ ભાદરવી પૂનમનો મેળો યોજાયો છે. જેની શરૂઆત આજથી એટલે કે સોમવારથી શરુ થયો છે. બનાસકાંઠા કલેક્ટર મિહિર પટેલે માતાજીનો રથ ખેંચીને મેળાનો પ્રારંભ કરાવ્યો છે. આ મહામેળો 7 સપ્ટેમ્બર 2025 સુધી ચાલશે. ભાદરવી પૂનમના દિવસે લાખો ભક્તો અંબાજી માતાના દર્શન કરી ધન્યતા અનુભવે છે. તંત્ર દ્વારા પણ ભાદરવી પૂનમ મેળાને ધ્યાનમાં રાખીને સુરક્ષાથી લઈને દરેક પ્રકારની વ્યવસ્થાઓ કરી છે.

અંબાજી ભાદરવી પૂનમ મહામેળામાં ગુજરાત સહિત દેશની વિવિધ જગ્યાઓથી ભક્તો અંબાજી આવે છે. લાખો ભક્તો ચાલીને પગપાળા સંઘ લઈને પણ આવે છે. આ દિવસોમાં બોલ માડી અંબે જય જય અંબેના નાદથી સમગ્ર અંબાજી ગૂંજી ઉઠે છે. અંબાજી ગબ્બર અને અંબાજી મંદિર દર્શન કરવા ભક્તોનું કીડિયારું ઊભરાય છે.

અંબાજી ભાદરવી પૂનમ મહામેળા દરમિયાન અંબાજી મંદિર તંત્ર દ્વારા ભક્તોની આસ્થાને ધ્યાનમાં રાખી સમયમાં ફેરફાર કર્યા છે. મહામેળા દરમિયાન આ પ્રમાણેનો સમય રહેશે.

  • સવારે 6થી 6.30ના આરતી
  • સવારે 6થી 11.30 વાગ્યા સુધી દર્શન
  • સવારે 1130થી 12.30ના દર્શન બંધ રહેશે
  • બપોરે 12.30થી સાંજના 5 વાગા સુધી દર્શન
  • સાંજે 5થી રાત્રે 12 વાગ્યા સુધી દર્શન
  • રાત્રે 12 વાગ્યાથી લઈને સવારે 6 વાગ્યા સુધી દર્શન બંધ

અંબાજી ભાદરવી પૂનમ મેળો શું ખાસ રહેશે?

  • પ્રસાદ વિતરણ માટે કૂલ 28 પ્રસાદ કેન્દ્રો ઊભા કરાયા
  • મેળા દરમિયાન 30 લાખથી વધારે પ્રસાદના પેકેટ વિતરણ કરાશે
  • યાત્રિકો માટે કૂલ ચાર સ્થળોએ નિઃશુક્લ ભોજન વ્યવસ્થા કરાઈ છે
  • સુરક્ષા માટે ત્રણ સ્તરના પોલીસ બંદોબસ્ત સાથે 5000 જવાનો તૈનાત
  • 332થી વધુ કેમેરા થકી સમગ્ર મેળાનું મોનિટરિંગ કરાશે
  • 1,83,855 ચોરસ મીટર એરિયામાં કૂલ 35 જેટલા પાર્કિંગ ઊભા કરાયા
  • 22541 કરતા વધારે વાહનો પાર્ક થાય તેવી વ્યવસ્થા ગોઠવાઈ
  • શ્રદ્ધાળુઓ ઘરે બેઠા પાર્કિંગ બુક કરી શકે તે માટે show my parking એપ્લિકેશનની ઓનલાઈન સુવિધાન
  • પાર્કિંગથી મંદિર ખાતે જવા આવવા માટે મંદિર ટ્રસ્ટ તરફથી વિના મૂલ્યે મીની બસ સેવા
  • ડ્રોન લાઈટ શો સહિતના આયોજનો કરાયા