/connect-gujarat/media/post_banners/19032ccdf99094b7feb924038d89b7632f5b29ff2865e02b46e52134975d3ee1.jpg)
ચૈત્રી સુદ આઠમ નિમિત્તે ભરૂચના દાંડીયા બજાર સ્થિત આવેલ અતિ પૌરાણીક અંબાજી મંદિર ખાતે દર્શનાર્થીઓની ભીડ ઉમટી હતી
ભરૂચ શહેરના દાંડિયા બજાર વિસ્તારમાં આવેલ અને સૈકા જૂનું અંબાજી શક્તિપીઠ મંદિર ખાતે આજે ચૈત્રી આઠમના દિવસે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સાંજે માતાજીના હવનનું પણ આયોજન કરવામાં આવ્યું છે.ભરૂચમાં અતિ પ્રાચીન અને ઐતિહાસિક કોઈ મંદિર હોય તો તે છે દાંડિયા બજારનું અંબાજી મંદિર અને આ મંદિરને શ્રી શક્તિપીઠ અંબાજી મંદિરનો દરજ્જો આપવામાં આવ્યો છે. મોટા અંબાજી જેટલું જ મહત્વ દાંડિયા બજારનું શક્તિપીઠ અંબાજી મંદિર ધરાવે છે મોટા અંબાજી મંદિરમાં જે ધાર્મિક પૂજા વિધિ થાય છે તે પ્રમાણે જ આ અંબાજી મંદિરમાં પણ ધાર્મિક વિધિ યોજાય છે.આજે ચૈત્રી સુદ આઠમના દિવસે સવારથી જ દાંડિયા બજાર સ્થિત શ્રી અંબાજી શક્તિપીઠ મંદિર ખાતે ભક્તિભાવ પૂર્વક દર્શનાર્થીઓની ભીડ જોવા મળી હતી. આજે ચૈત્રી સુદ આઠમે માં અંબાજીના દર્શન કરી ભાવિ ભક્તો એ ધન્યતા અનુભવી હતી.