/connect-gujarat/media/post_banners/b32c3330767724db753ab7b2b321bc24224bb8c16bf6e389e9fe0aaece4d2712.jpg)
દિવાસાના દિનથી ભરૂચનું આતિથ્ય માણી રહેલા મેઘરાજાને દશમના દિવસે વિદાય અપાવામાં આવી હતી. મેઘરાજાની વિદાયની સાથે મેઘરાજાના મેળાનું પણ સમાપન કરવામાં આવ્યું હતું. નર્મદા મૈયાની પાવન માટીમાંથી નિર્માણ કરાયેલી મેઘરાજાની પ્રતિમાનું નર્મદાના નીરમાં જ વિસર્જન કરાયું હતું. ભરૂચમાં ઉજવાતાં મેઘરાજાના મેળાનું સમાપન થયું છે. ખારવા, વાલ્મિકી અને ભોઇ સમાજના છડીદારોએ વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ છડી ઝુલાવી હતી.
આજે દશમના દિવસે મેઘરાજાને વિદાય આપવામાં આવી હતી. વર્ષોથી દિવાસાના દિવસે ભોઇવાડમાં મેઘરાજાની પ્રતિમાની સ્થાપના કરવામાં આવે છે. દશમ સુધી મેઘરાજાની પ્રતિમાના હજારો લોકોએ દર્શન કર્યા હતા, ત્યારે આજે રવિવારે દશમના દિવસે મેઘરાજાને વિદાય આપવામાં આવી હતી. ઢોલ નગારાના નાદ સાથે ભોઇવાડમાંથી મેઘરાજાની ભવ્ય સવારી કાઢી પ્રતિમાને નર્મદા મૈયામાંથી વિસર્જન કરવામાં આવી હતી.