Connect Gujarat
ધર્મ દર્શન 

ભરૂચ : ગ્રીનપાર્કથી જ્યોતિનગર સુધી રૂ. 50 લાખના ખર્ચે સીસી માર્ગનું નિર્માણ, ધારાસભ્યના હસ્તે કરાયું લોકાર્પણ...

ભરૂચ : ગ્રીનપાર્કથી જ્યોતિનગર સુધી રૂ. 50 લાખના ખર્ચે સીસી માર્ગનું નિર્માણ, ધારાસભ્યના હસ્તે કરાયું લોકાર્પણ...
X

ભરૂચ શહેરમાં ભોલાવ ગ્રામ પંચાયતની હદમાં આવતી ગ્રીનપાર્ક સોસાયટીમાં મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત વિકાસ કાર્ય કરવામાં આવ્યું છે. જેમાં ગ્રીનપાર્ક સોસાયટીના મેઇન ગેટથી જ્યોતિનગર મેઈન ગેટ સુધીના 0.58 કિલોમીટર લાંબા માર્ગનું સી.સી. રોડમાં રૂપાંતર કરી રૂપિયા 50 લાખના ખર્ચે નિર્માણ કરવામાં આવ્યું હતું, ત્યારે આ નવીન કામનું ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે લોકાર્પણ કરી સી.સી માર્ગને લોકો માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો.

આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, ભરૂચ જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી, ભોલાવ ગ્રામ પંચાયતના સરપંચ નિમિષા પરમાર, ડેપ્યુટી સરપંચ યુવરાજસિંહ યાદવ સહિત મોટી સંખ્યામાં સોસાયટીના સભ્યો તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Next Story