Connect Gujarat
ધર્મ દર્શન 

ભરૂચ : શ્રી પરશુરામ બ્રહ્મસમાજ સંગઠન દ્વારા પાંજરાપોળ ખાતે ગૌપૂજન-ઔદુમ્બર વૃક્ષની પૂજા કરાય...

ગૌમાતાના સાનિધ્યમાં શાસ્ત્રી કિરણ જોશીએ સંગઠનના સભ્યોને ગૌપૂજા તેમજ પવિત્ર ઔદુમ્બર વૃક્ષનું પૂજન-અર્ચન કરાવ્યું હતું.

X

શ્રી પરશુરામ બ્રહ્મસમાજ સંગઠને સફળતાના 9 વર્ષ પૂર્ણ કરી નવા નામ તેમજ નવા ચિન્હ સાથે 10મા વર્ષમાં પ્રવેશ કર્યો છે, ત્યારે શ્રી પરશુરામ સંગઠનના પ્રમુખ કૃણાલ દવે દ્વારા ભરૂચ શહેરના શક્તિનાથ વિસ્તાર સ્થિત પાંજરાપોળ ખાતે સંગઠનના સભ્યોને શ્રાવણ માસ નિમિત્તે ગૌપૂજા તેમજ પવિત્ર ઔદુમ્બર વૃક્ષની પૂજા કરાવવામાં આવી હતી.

બિનરાજકીય વિચારધારા તેમજ સામાજિક સેવાકાર્ય અર્થે 9 વર્ષ પહેલાં શરૂ થયેલ શ્રી પરશુરામ બ્રહ્મસમાજ સંગઠન તેની સફળતાના 9 વર્ષ પૂર્ણ કરી નવા નામકરણ અને નવા પ્રતીક ચિન્હ સાથે હાલ ચાલી રહેલા પવિત્ર શ્રાવણ માસ દરમ્યાન 10મા વર્ષમાં પ્રવેશ કર્યો છે. જે અંતર્ગત ભરૂચ શહેરના શક્તિનાથ વિસ્તાર સ્થિત પાંજરાપોળ ખાતે ગૌમાતાના સાનિધ્યમાં શાસ્ત્રી કિરણ જોશીએ સંગઠનના સભ્યોને ગૌપૂજા તેમજ પવિત્ર ઔદુમ્બર વૃક્ષનું પૂજન-અર્ચન કરાવ્યું હતું.

આ સાથે બ્રહ્મઅગ્રણી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજના જિલ્લા પ્રમુખ બિપિન ભટ્ટ, શહેર એકમના પ્રમુખ હેમંત શુકલના હસ્તે શ્રી પરશુરામ સંગઠનના નવા પ્રતીક ચિન્હનું અનાવરણ કરવામાં આવ્યું. આ પ્રસંગે ઉપસ્થિત સભ્યોની હાજરીમાં સર્વાનુમતે કૃણાલ દવેની પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી હતી, ત્યારે સંગઠનના નવા પ્રમુખ કૃણાલ દવને સૌકોઈ સભ્યોએ અભિનંદન પાઠવ્યા હતા.

Next Story