ભરૂચ : તવરાના ચિંતાનાથ મહાદેવ મંદિરનું અદકેરૂ મહત્વ, કપિલમુનિએ અહીં કર્યું હતું તપ

New Update
ભરૂચ : તવરાના ચિંતાનાથ મહાદેવ મંદિરનું અદકેરૂ મહત્વ, કપિલમુનિએ અહીં કર્યું હતું તપ

પવિત્ર શ્રાવણ માસમાં શ્રધ્ધાળુઓ ભોળાનાથ શંભુની આરાધનામાં મશગુલ છે ત્યારે અમે તમને આજે કરાવીશું ભરૂચ તાલુકાના તવરા ગામે આવેલાં ચિંતાનાથ મહાદેવના દર્શન.

ભરૂચ તાલુકાના તવરા ગામે પાવન સલિલા મા નર્મદાના તટે તવરા ગામ આવેલું છે અને આ ગામના ચિંતાનાથ મહાદેવ મંદિર ખાતે શ્રાવણ માસમાં ભકતો દર્શન માટે આવી રહયાં છે. શ્રાવણ મહિનામાં શિવજીની ભકિતનું અનેરૂ મહત્વ છે. ખાસ કરીને પાવન સલિલા મા નર્મદાના તટે આવેલાં પૌરાણિક શિવાલયોમાં શ્રધ્ધાળુઓ શિવજીની આરાધના કરી રહયાં છે.

તવરા ગામના ચિંતાનાથ મહાદેવ મંદિરની વાત કરવામાં આવે તો અહીં કપિલમુનિએ તપ કર્યું હતું. તરણેશ્વર નું અપભ્રંશ થઈ ગામનું નામ તવરા નામ પડ્યું છે. નર્મદા સ્નાન કરી સપ્ત શિવલિંગના દર્શનથી મોક્ષની પ્રાપ્તિ થતી હોવાની લોકવાયકા છે. ચૈત્ર સુદ ચૌદશના દિવસે નર્મદા નદીમાં સ્નાન કરી દીવડાનું દાન કરી દર્શન કરવાથી અખંડ ચક્ષુ પ્રાપ્ત થવા સાથે મોક્ષ મળતો હોવાની વાયકા છે.

ચિંતાનાથ મહાદેવના દર્શન કર્યા બાદ લોકો ચિંતામાંથી મુક્ત થતા હોવાથી આ મંદિર ચિંત નાથ મહાદેવ ના નામે ઓળખાય છે. રેવા પુરાણ મુજબ બાણાસુર રાક્ષસે પણ અહીં તપ કર્યું હતું અને અહીં કોટેશ્વર મહાદેવની સ્થાપના કરી હતી. જોકે હવે આ મંદિર કડોદ ગામની સીમમાં આવેલું છે. મોગલ શાસન દરમિયાન ઔરંગઝેબે મંદિર પર ચઢાઇ કરી હતીpઔરંગઝેબેના સૈન્યે મંદિરના શિવલિંગને ખંડિત કરવાનો પ્રયાસ કરતાં તેમાંથી દૂધની ધારાઓ વહી હતી અને ઔરંગઝેબનું સૈન્ય શિવલિંગ ખંડિત કરવામાં નિષ્ફળ રહ્યું હતું.

તવરા ગામના ચિંત નાથ મહાદેવ મંદિરે શ્રાવણ માસ અને મહા શિવરાત્રીના દિવસે હજારોની સંખ્યામાં શિવભક્તો ઉમટી પડે છે. ચિંતાનાથ મહાદેવ મંદિરે પાર્થેશ્વર પૂજા કરવામાં આવે છે દરરોજ નર્મદા નદીમાંથી માટી લાવી રોજેરોજ શિવલીંગ બનાવવામાં આવે છે.

Read the Next Article

અંકલેશ્વર : શ્રાવણના પ્રથમ શનિવારે રોકડિયા હનુમાન મંદિર પરિસર જય શ્રી રામ અને જય વીર હનુમાનના નાદથી ગુંજ્યું

આ પવિત્ર સ્થાનની વિશેષતા એ છે ભક્તોને અહિયા શ્રી રામ પરિવાર, રોકડિયા હનુમાનજી, નર્મદેશ્વર મહાદેવ તેમજ ઈચ્છાપૂર્તિ શનિદેવના દર્શન થાય છે...

New Update

આજે શ્રાવણનો છે પ્રથમ શનિવાર

  • રોકડિયા હનુમાન ખાતે ઉમટ્યા ભક્તો

  • રામધૂનનું કરવામાં આવ્યું આયોજન

  • મંદિરમાં ભક્તોની લાગી ભીડ

  • દર્શનથી ભક્તોએ અનુભવી ધન્યતા 

અંકલેશ્વર તાલુકાના નૌગામા અને માંડવા ગામ નજીક આવેલ નાગ તીર્થક્ષેત્ર રોકડીયા હનુમાન મંદિરે શ્રાવણ માસના પ્રથમ શનિવારે ભક્તોની ભારે ભીડ ઉમટી હતી.

અંકલેશ્વર તાલુકાના નૌગામાના નાગતીર્થ રોકડિયા હનુમાનજી મંદિર ભક્તો માટે અનેરૂ આસ્થાનું સ્થાનક છે.હાલમાં પવિત્ર શ્રાવણની શરૂઆત થઈ છે.અને આજરોજ શ્રાવણના પ્રથમ શનિવાર હોવાથી ભકતો શ્રી રામ દુત હનુમાનજીની ભક્તિમાં લિન બન્યા છે.

રોકડિયા હનુમાન મંદિર ખાતે વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી,અને મંદિર પરિસર જય શ્રી રામ અને જય વીર હનુમાનના ગગનભેદી નારાઓથી ગુંજી ઉઠ્યું હતું,આ પવિત્ર સ્થાની વિશેષતા એ છે ભક્તોને અહિયા શ્રી રામ પરિવાર,રોકડિયા હનુમાનજી,નર્મદેશ્વર મહાદેવ તેમજ ઈચ્છાપૂર્તિ શનિદેવના દર્શન થાય છે.અને આ પાવનકારી તીર્થ સ્થાનના દર્શન કરીને ભક્તો ધન્યતા અનુભવે છે.આ અવસર નિમિતે મંદિરમાં ચોવીસ કલાક રામધૂનનું પણ આયોજન કરવામાં આવ્યું છે.જેનો લ્હાવો પણ  ભક્તો લઈ રહ્યા છે.

Latest Stories