ભરૂચ: ભક્તોનું ગુમાન હરનારા ગુમાનદેવ હનુમાનજીના દર્શનનો અનેરો મહિમા, હનુમાન જયંતિએ ભક્તોનું ઘોડાપુર ઉમટયું

ગુમાનદેવ મંદિર ભકતોમાં અનેરી આસ્થા ધરાવે છે. કહેવાય છે કે અહી બિરાજમાન હનુમાનજી ભક્તોનું ગુમાન એટ્લે કે અભિમાન દૂર કરે છે અને તેથી તે ગુમાનદેવ તરીકે ઓળખાયા છે.

author-image
By Connect Gujarat Desk
New Update

આજે શનિવાર અને હનુમાન જયંતિનો સંયોગ , ગુમાનદેવ હનુમાન મંદિરે ભક્તોનું ઘોડાપૂર

Advertisment

ભરૂચ  જિલ્લાના ઝઘડિયા નજીક આવેલ ગુમાનદેવ મંદિર ખાતે આજે શનિવાર અને હનુમાન જયંતીના અવસરે ભક્તોનું ઘોડાપૂર ઊમટ્યું હતું. ભક્તોએ હનુમાનજી સમક્ષ શીશ ઝુકાવી કષ્ટ દૂર કરવાની પ્રાર્થના કરી હતી.

ભરૂચ ઝગડિયા નજીક આવેલ ગુમાનદેવ મંદિર ભકતોમાં અનેરી આસ્થા ધરાવે છે. કહેવાય છે કે અહી બિરાજમાન હનુમાનજી ભક્તોનું ગુમાન એટ્લે કે અભિમાન દૂર કરે છે અને તેથી તે ગુમાનદેવ તરીકે ઓળખાયા છે. આ મંદિર પાછળ દંત કથા સંકળાયેલ છે તે મુજબ આ મુર્તિ સ્વયંભૂ છે.

ગુલાબ દાસજી મહારાજ કે જેઓ અયોધ્યાના હનુમાન ગઢીના સંત હતા તેઓ અહી આવ્યા હતા અને તેઓને સ્વપ્નમાં આ મુર્તિ અંગે આભાસ થયો હતો અને આ મુર્તિ સાથે એક શિયાળ ચોંટેલું હોય તેને ગોવાળિયાઓ મારતા હોવાનો આભાસ થયો હતો.

સંતે શિયાળને છોડાવી સ્થાનિકો સાથે વાત કરતાં જાણવા મળ્યું હતું કે આ શિયાળ રોજ અહી આવી મુર્તિને ગમે ત્યાં અડતું હતું જેથી આજે તેના કર્મોની સજા મળી. ઉપરાંત રોજ આ મુર્તિ ઉપર કપિલા નામની ગૌમાતા દૂધનો અભિષેક કરવા આવતી હતી. સંતે આ જાણી  મૂર્તિની વિધિવત સ્થાપના કરી હતી ઇ.સ. 1615 માં ચૈત્ર સુદ પૂર્ણિમા એટ્લે કે હનુમાન જયંતિના દિવસે આ મંદિરની સ્થાપના કરવામાં આવી હતી.

આજરોજ હનુમાન જયંતી અને શનિવારના સંયોગ વચ્ચે ગુમાનદેવ મંદિર ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા અને પવનપુત્ર હનુમાનજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

Advertisment
Read the Next Article

આજે મોટો મંગળ પર ભૂલથી પણ આ 5 કામ ન કરો, હનુમાનજી ગુસ્સે થઈ શકે છે

આ દિવસે બજરંગ બલીની પૂજા કરવાથી રાહુ, કેતુ, શનિ, મંગળ દોષ, પિતૃ દોષથી મુક્તિ મળે છે અને ભક્તોની દરેક ઇચ્છા પૂર્ણ થાય છે. જીવનના બધા દુ:ખ દૂર થાય છે અને હનુમાનજીની કૃપા રહે છે.

New Update
hanuman

આજે જ્યેષ્ઠાનો ચોથો મોટો મંગળ છે, આજે હનુમાન મંદિરમાં લાખો ભક્તોના દર્શન થશે. એવું માનવામાં આવે છે કે આજે નિયમિત રીતે હનુમાનજીની પૂજા કરવી જોઈએ અને મંદિરોમાં દાન કરવું જોઈએ અથવા પોતાની શ્રદ્ધા અનુસાર જરૂરિયાતમંદોને મદદ કરવી જોઈએ. એવું માનવામાં આવે છે કે મોટા મંગળ પર ઉપવાસ કરીને હનુમાનજીની પૂજા કરવાથી જીવનના બધા દુ:ખ દૂર થાય છે અને હનુમાનજીની કૃપા રહે છે.

આજે એટલે કે 3 જૂન જ્યેષ્ઠા મહિનાનો ચોથો મોટો મંગળ છે. એવું કહેવાય છે કે આ દિવસે હનુમાનજીને અમરત્વનું વરદાન મળ્યું હતું. એવું માનવામાં આવે છે કે આ દિવસે બજરંગ બલીની પૂજા કરવાથી રાહુ, કેતુ, શનિ, મંગળ દોષ, પિતૃ દોષથી મુક્તિ મળે છે અને ભક્તોની દરેક ઇચ્છા પૂર્ણ થાય છે. એવું કહેવાય છે કે જ્યેષ્ઠાના મંગળવારે હનુમાનજી પૃથ્વી પર ભ્રમણ કરે છે અને પોતાના ભક્તોને આશીર્વાદ આપે છે.

તમને જણાવી દઈએ કે પંચાંગ મુજબ આજે જેઠ મહિનાના શુક્લ પક્ષની અષ્ટમી તિથિ છે. આ તિથિ 2 જૂન 2025 ના રોજ રાત્રે 8:35 વાગ્યે શરૂ થઈ હતી અને 3 જૂન 2025 ના રોજ રાત્રે 9:56 વાગ્યા સુધી ચાલુ રહેશે.

Advertisment