ગીર સોમનાથ : ત્રિવેણી સંગમ ખાતે ગંગાદશેરા પર્વની ધર્મભીની ઉજવણી,મહાઆરતીમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ રહ્યા ઉપસ્થિત

શાસ્ત્રોક્ત રીતે પરમ પવિત્ર ત્રિવેણી સંગમ પર ગંગાદશેરાની ભક્તિમય ઉજવણી કરવામાં આવી હતી.ત્રિવેણી સંગમ ખાતે ગંગા માતાની અવતરણ પૂજા કરવામાં આવી

New Update
  • ગીર સોમનાથમાં ગંગાદશેરા પર્વની ઉજવણી

  • હિરણ,કપિલા,અને સરસ્વતી નદીઓનો થાય છે સંગમ

  • ભગવાન શ્રી કૃષ્ણએ પણ કર્યું હતું તર્પણ

  • મહાઆરતી સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા

  • શ્રદ્ધાળુઓએ મહાઆરતીનો લીધો ધર્મભીનો લ્હાવો  

ગીર સોમનાથના ત્રિવેણી સંગમ ખાતે ગંગાદશેરા પર્વ નિમિત્તે ગંગા અવતરણ પૂજા અને મહાઆરતી સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.આ પ્રસંગે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા.

ગીર સોમનાથ પ્રભાસ ક્ષેત્રમાં જ્યાં હિરણકપિલાઅને સરસ્વતી નદીઓનું સમુદ્ર સાથે સંગમ થાય છે. ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના બાંધવોની મુક્તિ માટે તર્પણ કર્યું હતું. શાસ્ત્રોક્ત રીતે પરમ પવિત્ર ત્રિવેણી સંગમ પર ગંગાદશેરાની ભક્તિમય ઉજવણી કરવામાં આવી હતી.ત્રિવેણી સંગમ ખાતે ગંગા માતાની અવતરણ પૂજા કરવામાં આવી હતી.ગંગા અવતરણનું પાવન દ્રશ્ય સર્જવામાં આવ્યું હતું. 

ત્યારબાદ સંધ્યા મહાઆરતી યોજાઇ હતી.જેમાં અલૌકિક ધુપ-દિપ સાથે ત્રિવેણી સંગમ ગુંજી ઉઠ્યું હતું. ટ્રસ્ટ પરિવારસ્થાનિક તીર્થ પૂરોહિતો સહિત સૌ ભક્તો દ્વારા ત્રિવેણી માતાની સુંદર આરતી કરવામાં આવી હતી. જેમાં ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર એન.વી.ઉપાધ્યાયઅધિક કલેકટર રાજેશ આલ સહિતના મહાનુભાવો તેમજ સામાજિક અગ્રણીઓ સહિત બહોળી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા.

Read the Next Article

ભરૂચઃ અષાઢી બીજે ઇસ્કોન દ્વારા રથયાત્રાનું ભવ્ય આયોજન, ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન શુભદ્રા સાથે નગરચર્યાએ નિકળશે

અષાઢી બીજના દિવસે ઇસ્કોન દ્વારા ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો પણ યોજાશે. ભક્તોને જોડાવા આમંત્રણ અપાયું

New Update
  • ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન

  • અષાઢી બીજના રોજ આયોજન કરાયું

  • ઇસ્કોન દ્વારા ભવ્ય રથયાત્રા નિકળશે

  • વિવિધ ધાર્મિક કાર્યક્રમો પણ યોજાશે

  • ભક્તોને જોડાવા આમંત્રણ અપાયું

ભરૂચમાં અષાઢી બીજના દિવસે ઇસ્કોન દ્વારા ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો પણ યોજાશે. ભરૂચના ઇસ્કોન મંદિર-જીઆઈડીસી દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય જગન્નાથ રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંગે આજે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી જેમાં ચૈતન્ય ગુરુદાસ મહારાજે જણાવ્યું હતું કે યાત્રાનું આ વર્ષે 11મું વર્ષ છે.
અષાઢી બીજના પાવન દિવસે 27 જૂનના રોજ યાત્રા શહેરના શીતલ સર્કલથી ભવ્ય શોભાયાત્રા રૂપે પ્રારંભ કરશે.યાત્રા જ્યોતિનગર, તુલસીધામ અને ઝાડેશ્વર માર્ગે પસાર થતી કે.જી.એમ સ્કૂલ ખાતે સમાપન પામશે.યાત્રા બાદ શ્રી જગન્નાથજીની વિશેષ આરતી અને મહાપ્રસાદીનું આયોજન ઇસ્કોન ભરૂચ તરફથી કરવામાં આવશે. ચૈતન્ય ગુરુદાસ મહારાજે સૌ ધર્મપ્રેમી ભક્તોને વિશેષરૂપે રથયાત્રામાં ભાગ લઈ ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત કરવાની અપીલ કરી હતી.