દેવઊઠી એકાદશી પર ભગવાન વિષ્ણુની સાથે શેરડીની પૂજા કરવામાં આવે છે, જાણો કેમ

આ મહિનામાં ઘણા ઉપવાસ અને તહેવારો રાખવામાં આવે છે, જે ખૂબ જ મહત્વપૂર્ણ છે. ધાર્મિક માન્યતા અનુસાર ભગવાન વિષ્ણુ 4 મહિનાની યોગ નિદ્રામાંથી જાગે છે માટે આ એકાદશીને દેવઊઠી અગિયારસ કહેવામાં આવે છે.

New Update
દેવઊઠી એકાદશી પર ભગવાન વિષ્ણુની સાથે શેરડીની પૂજા કરવામાં આવે છે, જાણો કેમ

કારતક મહિનો ભગવાન વિષ્ણુને ખૂબ જ પ્રિય છે. આ મહિનામાં ઘણા ઉપવાસ અને તહેવારો રાખવામાં આવે છે, જે ખૂબ જ મહત્વપૂર્ણ છે. ધાર્મિક માન્યતા અનુસાર ભગવાન વિષ્ણુ 4 મહિનાની યોગ નિદ્રામાંથી જાગે છે માટે આ એકાદશીને દેવઊઠી અગિયારસ કહેવામાં આવે છે. આ વ્રત આજે 4 ઓક્ટોબર, 2022નાં રોજ મનાવવામાં આવી રહ્યું છે. આ દિવસે ભગવાન વિષ્ણુની વિશેષ પૂજા કરવામાં આવે છે અને તેમને મંત્રો દ્વારા યોગ નિદ્રાથી જાગૃત કરવામાં આવે છે.

Advertisment W3.CSS

દેવઊઠી અગિયારસના બીજા દિવસે ભગવાન વિષ્ણુના લગ્ન માતા તુલસી સાથે થાય છે. આ ખાસ પ્રસંગ શેરડીના મંડપમાં યોજાય છે. પરંતુ શું તમે જાણો છો કે આ દિવસે ખેડૂતો ઘણા વિસ્તારોમાં શેરડીની પૂજા કરે છે.

મુખ્યત્વે ઝાંસી, બુંદેલખંડ અને તેની આસપાસના વિસ્તારોમાં એકાદશીના દિવસે શેરડીની પૂજા કરવામાં આવે છે. ઈતિહાસકારો કહે છે કે એકાદશીના દિવસથી હવામાન બદલાવા લાગે છે. એટલા માટે લોકો ગોળ ખાવાનું શરૂ કરે છે. શેરડી ગોળનો મુખ્ય સ્ત્રોત છે, તેથી શેરડીની પૂજા કરવામાં આવે છે. બીજી તરફ શેરડીનો નવો પાક એકાદશીના દિવસથી લેવામાં આવે છે. આ સાથે શેરડીનો રસ અને તેની મીઠાશને હિંદુ ધર્મમાં શુભ માનવામાં આવે છે. એવું પણ માનવામાં આવે છે કે શેરડીની પૂજા કરવાથી પરિવારમાં મધુરતા રહે છે અને સુખ-સમૃદ્ધિ આવે છે.

હિન્દુ કેલેન્ડર મુજબ, આ વર્ષે કારતક મહિનાની એકાદશી 3 નવેમ્બરના રોજ સાંજે 07:30 વાગ્યે શરૂ થશે અને 04 નવેમ્બરના રોજ સાંજે 06:08 વાગ્યે સમાપ્ત થશે. ઉદયતિથિ અનુસાર 4 નવેમ્બરે દેવઊઠી અગિયારસે ઉપવાસ કરવામાં આવશે. શેરડીના મંડપમાં માતા તુલસી અને ભગવાન શાલિગ્રામના વિવાહના દિવસે શેરડીના મંડપમાં 11 દીવા પ્રગટાવવાનું શુભ માનવામાં આવે છે.