સુરેન્દ્રનગર:વર્ણીન્દ્રધામ ખાતે ત્રણ દિવસ સુધી ભવ્ય મંગલ મહોત્સવની ઉજવણીનું આયોજન

ભવ્ય મંગલ મહોત્સવની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં નિત્ય મહાઅભિષેક દરરોજ સવારે 5 વાગ્યાથી 7 સુધી રહેશે.

New Update
સુરેન્દ્રનગર:વર્ણીન્દ્રધામ ખાતે ત્રણ દિવસ સુધી ભવ્ય મંગલ મહોત્સવની ઉજવણીનું આયોજન

સુરેન્દ્રનગર પાટડી વર્ણીન્દ્રધામ ખાતે ત્રણ દિવસ સુધી ભવ્ય મંગલ મહોત્સવની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં નિત્ય મહાઅભિષેક દરરોજ સવારે 5 વાગ્યાથી 7 સુધી રહેશે. પ્રથમ દિવસે 500 લીટર દૂધ, બીજા દિવસે 500 ફૂલની પાંખડીનો અને ત્રીજા દિવસે વિવિધ રંગોથી અભિષેક કરવામાં આવશે. અને વિષ્ણુસહસ્ત્ર નામના પાઠ દ્વારા ઠાકોરજીનું પૂજન કરવામાં આવશે.પાટડી વર્ણીન્દ્રધામ ખાતે ત્રણ દિવસ સુધી ભવ્ય મંગલ મહોત્સવની ઉજવણી કરવામા આવી હતી.

જેમાં નિત્ય મહાઅભિષેક દરરોજ સવારે 5 વાગ્યાથી 7 સુધી રહેશે. પ્રથમ દિવસે 500 લીટર દૂધ અને બીજા દિવસે 500 ફૂલની પાંખડીનો અભિષેક કરવામાં આવશે. જ્યારે ત્રીજા દિવસે વિવિધ રંગો થી અભિષેક થશે. વિષ્ણુસહસ્ત્ર નામના પાઠ દ્વારા ઠાકોરજીનું પૂજન કરવામાં આવશે.જે અંતર્ગત મહોત્સવના ત્રણ દિવસ દરમિયાન અનેકવિધ સામગ્રીથી સંતો ભક્તો દ્વારા તુલસીદલ,પુષ્પ પાંખડી ,તથા ચરણ અભિષેક દ્વારા એક એક શ્લોક ઉપર પૂજન કરવામાં આવશે.25 કુંડી જલાભિષેકમાં સંતો ભક્તો દ્વારા સ્વામીનારાયણ મહામંત્રના ગાન સાથે કેસર જળથી ભગવાનનો અભિષેક થશે

Latest Stories