સુરેન્દ્રનગર:વર્ણીન્દ્રધામ ખાતે ત્રણ દિવસ સુધી ભવ્ય મંગલ મહોત્સવની ઉજવણીનું આયોજન

ભવ્ય મંગલ મહોત્સવની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં નિત્ય મહાઅભિષેક દરરોજ સવારે 5 વાગ્યાથી 7 સુધી રહેશે.

New Update
સુરેન્દ્રનગર:વર્ણીન્દ્રધામ ખાતે ત્રણ દિવસ સુધી ભવ્ય મંગલ મહોત્સવની ઉજવણીનું આયોજન

સુરેન્દ્રનગર પાટડી વર્ણીન્દ્રધામ ખાતે ત્રણ દિવસ સુધી ભવ્ય મંગલ મહોત્સવની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં નિત્ય મહાઅભિષેક દરરોજ સવારે 5 વાગ્યાથી 7 સુધી રહેશે. પ્રથમ દિવસે 500 લીટર દૂધ, બીજા દિવસે 500 ફૂલની પાંખડીનો અને ત્રીજા દિવસે વિવિધ રંગોથી અભિષેક કરવામાં આવશે. અને વિષ્ણુસહસ્ત્ર નામના પાઠ દ્વારા ઠાકોરજીનું પૂજન કરવામાં આવશે.પાટડી વર્ણીન્દ્રધામ ખાતે ત્રણ દિવસ સુધી ભવ્ય મંગલ મહોત્સવની ઉજવણી કરવામા આવી હતી.

Advertisment

જેમાં નિત્ય મહાઅભિષેક દરરોજ સવારે 5 વાગ્યાથી 7 સુધી રહેશે. પ્રથમ દિવસે 500 લીટર દૂધ અને બીજા દિવસે 500 ફૂલની પાંખડીનો અભિષેક કરવામાં આવશે. જ્યારે ત્રીજા દિવસે વિવિધ રંગો થી અભિષેક થશે. વિષ્ણુસહસ્ત્ર નામના પાઠ દ્વારા ઠાકોરજીનું પૂજન કરવામાં આવશે.જે અંતર્ગત મહોત્સવના ત્રણ દિવસ દરમિયાન અનેકવિધ સામગ્રીથી સંતો ભક્તો દ્વારા તુલસીદલ,પુષ્પ પાંખડી ,તથા ચરણ અભિષેક દ્વારા એક એક શ્લોક ઉપર પૂજન કરવામાં આવશે.25 કુંડી જલાભિષેકમાં સંતો ભક્તો દ્વારા સ્વામીનારાયણ મહામંત્રના ગાન સાથે કેસર જળથી ભગવાનનો અભિષેક થશે

Advertisment
Read the Next Article

આજે મોટો મંગળ પર ભૂલથી પણ આ 5 કામ ન કરો, હનુમાનજી ગુસ્સે થઈ શકે છે

આ દિવસે બજરંગ બલીની પૂજા કરવાથી રાહુ, કેતુ, શનિ, મંગળ દોષ, પિતૃ દોષથી મુક્તિ મળે છે અને ભક્તોની દરેક ઇચ્છા પૂર્ણ થાય છે. જીવનના બધા દુ:ખ દૂર થાય છે અને હનુમાનજીની કૃપા રહે છે.

New Update
hanuman

આજે જ્યેષ્ઠાનો ચોથો મોટો મંગળ છે, આજે હનુમાન મંદિરમાં લાખો ભક્તોના દર્શન થશે. એવું માનવામાં આવે છે કે આજે નિયમિત રીતે હનુમાનજીની પૂજા કરવી જોઈએ અને મંદિરોમાં દાન કરવું જોઈએ અથવા પોતાની શ્રદ્ધા અનુસાર જરૂરિયાતમંદોને મદદ કરવી જોઈએ. એવું માનવામાં આવે છે કે મોટા મંગળ પર ઉપવાસ કરીને હનુમાનજીની પૂજા કરવાથી જીવનના બધા દુ:ખ દૂર થાય છે અને હનુમાનજીની કૃપા રહે છે.

આજે એટલે કે 3 જૂન જ્યેષ્ઠા મહિનાનો ચોથો મોટો મંગળ છે. એવું કહેવાય છે કે આ દિવસે હનુમાનજીને અમરત્વનું વરદાન મળ્યું હતું. એવું માનવામાં આવે છે કે આ દિવસે બજરંગ બલીની પૂજા કરવાથી રાહુ, કેતુ, શનિ, મંગળ દોષ, પિતૃ દોષથી મુક્તિ મળે છે અને ભક્તોની દરેક ઇચ્છા પૂર્ણ થાય છે. એવું કહેવાય છે કે જ્યેષ્ઠાના મંગળવારે હનુમાનજી પૃથ્વી પર ભ્રમણ કરે છે અને પોતાના ભક્તોને આશીર્વાદ આપે છે.

તમને જણાવી દઈએ કે પંચાંગ મુજબ આજે જેઠ મહિનાના શુક્લ પક્ષની અષ્ટમી તિથિ છે. આ તિથિ 2 જૂન 2025 ના રોજ રાત્રે 8:35 વાગ્યે શરૂ થઈ હતી અને 3 જૂન 2025 ના રોજ રાત્રે 9:56 વાગ્યા સુધી ચાલુ રહેશે.

Advertisment
Latest Stories