અંકલેશ્વર: નગરપાલિકા સંચાલિત હિન્દી માધ્યમ પ્રાથમિક શાળામાં વિકાસના વિવિધ કાર્યોનું MLA ઇશ્વરસિંહ પટેલના હસ્તે લોકાર્પણ

અંકલેશ્વરની હિન્દી માધ્યમ પ્રાથમિક શાળા અને કન્યા શાળા બ્રાન્ચ નંબર-માં નિર્માણ પામેલ નવા ઓરડા સહિતના વિકાસના કામોનું ધારાસભ્ય ઇશ્વરસિંહ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું

author-image
By Connect Gujarat Desk
New Update
  • અંકલેશ્વર નગરમાં વિકાસના કામો

  • હિન્દી માધ્યમ શાળા અને કન્યાશાળામાં નિર્માણ

  • નવા ઓરડા અને હોલનું નિર્માણ

  • રૂ.2 કરોડથી વધુનો ખર્ચ કરાયો

  • ધારાસભ્ય ઇશ્વરસિંહ પટેલ રહ્યા ઉપસ્થિત

અંકલેશ્વરની યુનિટી સ્કૂલ પાસે હિન્દી માધ્યમ પ્રાથમિક શાળા અને કન્યા શાળા બ્રાન્ચ નંબર-માં નિર્માણ પામેલ નવા ઓરડા સહિતના વિકાસના કામોનું ધારાસભ્ય ઇશ્વરસિંહ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
અંકલેશ્વર નગર પાલિકા દ્વારા અંકલેશ્વરની યુનિટી સ્કૂલ પાસે હિન્દી માધ્યમ પ્રાથમિક શાળા અને કન્યા શાળા બ્રાન્ચ નંબર-1માં નવા ઓરડા, આચાર્યની ઓફિસ અને હોલનું રૂપિયા 2 કરોડથી વધુણા ખર્ચે નિર્માણ કરવામાં આવ્યું હતું.આ બંને પ્રકલ્પોનું અંકલેશ્વર-હાંસોટના ધારાસભ્ય ઇશ્વરસિંહ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં નગર પાલિકા પ્રમુખ લલિતા બહેન રાજપુરોહિત,ઉપ પ્રમુખ ભાવેશ કાયસ્થ,કારોબારી ચેરમેન નિલેશ પટેલ,શાસનાધિકારી ડો.દિવ્યેશ પરમાર અને મુખ્ય અધિકારી કેશવ કલોડીયા તેમજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન ગણેશ અગ્રવાલ સહિત આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.
બાળકોને અભ્યાસ અર્થે સારી ભૌતિક સુવિધા મળી રહે એ માટે નગર સેવા સદન દ્વારા વિવિધ શાળાઓમાં સુવિધાઓમાં વધારો કરવામાં આવી રહ્યો છે જે અંતર્ગત બન્ને શાળાઓમાં નવા ઓરડાનું નિર્માણ કરવામાં આવ્યું છે.
Read the Next Article

આજે રાષ્ટ્રીય ધ્વજ દિવસ નિમિત્તે જાણો શું છે અશોક ચક્રના 24 આરાનો અર્થ, ત્રિરંગાના ત્રણ રંગો શું કહે છે?

ત્રિરંગાને 22 જુલાઈ 1947 ના રોજ બંધારણ સભા દ્વારા અપનાવવામાં આવ્યો હતો અને તેથી જ આ તારીખે રાષ્ટ્રીય ધ્વજ દિવસ ઉજવવામાં આવે છે. આજે અમે તમને વિગતવાર જણાવીશું કે ત્રિરંગાના ત્રણ રંગો અને અશોક ચક્રના 24 આરાનો અર્થ શું છે.

New Update
national flag

ભારતનો રાષ્ટ્રીય ધ્વજ, જેને આપણે પ્રેમથી ત્રિરંગા કહીએ છીએ, તે આપણા દેશના ગૌરવ અને સન્માનનું પ્રતીક છે.

ત્રિરંગાને 22 જુલાઈ 1947 ના રોજ બંધારણ સભા દ્વારા અપનાવવામાં આવ્યો હતો અને તેથી જ આ તારીખે રાષ્ટ્રીય ધ્વજ દિવસ ઉજવવામાં આવે છે. 

તેની ડિઝાઇન પિંગલી વેંકૈયા દ્વારા તૈયાર કરવામાં આવી હતી. તેના ત્રણ રંગો અને મધ્યમાં અશોક ચક્ર દેશની, તેના મૂલ્યોની અને બલિદાનની વાર્તા કહે છે. ત્રિરંગા ત્રણ રંગો, કેસરી, સફેદ અને લીલો અને મધ્યમાં વાદળી અશોક ચક્રથી બનેલો છે. દરેક રંગનો પોતાનો ખાસ અર્થ છે, જે આપણા દેશની આત્માને પ્રતિબિંબિત કરે છે. આજે અમે તમને વિગતવાર જણાવીશું કે ત્રિરંગાના ત્રણ રંગો અને અશોક ચક્રના 24 આરાનો અર્થ શું છે.

કેસર: ત્રિરંગાનો સૌથી ઉપરનો ભાગ કેસરી રંગનો છે. આ રંગ શક્તિ, હિંમત અને બલિદાનનું પ્રતીક છે. આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓએ દેશની આઝાદી માટે પોતાના જીવ આપ્યા હતા, અને આ રંગ તેમના બલિદાન અને હિંમતને સલામ કરે છે. ભગવો રંગ આપણને યાદ અપાવે છે કે આપણે પણ દેશ માટે કંઈક કરવાનો જુસ્સો રાખવો જોઈએ. ઉપરાંત, આ રંગ આધ્યાત્મિકતા અને બલિદાનની ભાવનાને પણ પ્રતિબિંબિત કરે છે, જે ભારતની સંસ્કૃતિનો એક ભાગ છે.

સફેદ: ત્રિરંગાનો મધ્ય ભાગ સફેદ છે, જે શાંતિ, સત્ય અને શુદ્ધતાનું પ્રતીક છે. આ રંગ આપણને કહે છે કે ભારત એક એવો દેશ છે જે શાંતિ અને અહિંસામાં માને છે. મહાત્મા ગાંધીના સત્ય અને અહિંસાના સિદ્ધાંતો આ રંગમાં પ્રતિબિંબિત થાય છે. સફેદ રંગ આપણને પરસ્પર ભાઈચારો અને એકતાનો સંદેશ આપે છે, જેથી આપણે બધા સાથે મળીને એક સારો સમાજ બનાવી શકીએ.

લીલો: ત્રિરંગાનો નીચેનો ભાગ લીલો છે, જે ફળદ્રુપતા, પ્રગતિ અને સમૃદ્ધિને પ્રતિબિંબિત કરે છે. ભારત એક કૃષિપ્રધાન દેશ છે, અને આ રંગ આપણી પૃથ્વી, પ્રકૃતિ અને વિકાસની આકાંક્ષાની હરિયાળી દર્શાવે છે. લીલો રંગ આપણને પર્યાવરણનું રક્ષણ કરવા અને દેશને સમૃદ્ધ બનાવવા માટે પ્રેરણા આપે છે.

ત્રિરંગાની મધ્યમાં વાદળી અશોક ચક્ર છે, જે સમ્રાટ અશોકના સારનાથ સ્તંભમાંથી લેવામાં આવ્યું છે. આ ચક્ર ધર્મ, પ્રગતિ અને ગતિશીલતાનું પ્રતીક છે. તેને ધર્મ ચક્ર પણ કહેવામાં આવે છે, જે જીવનને સતત આગળ વધવાનો સંદેશ આપે છે.

અશોક ચક્રમાં 24 આરો છે, અને દરેક આરોનો પોતાનો ખાસ અર્થ છે. આ આરો 24 કલાકનું પ્રતિનિધિત્વ કરે છે, જે દર્શાવે છે કે દેશે દરેક ક્ષણે પ્રગતિ તરફ આગળ વધવું જોઈએ. આ ઉપરાંત, આ 24 આરો 24 ગુણો અથવા સિદ્ધાંતો સાથે પણ સંકળાયેલા છે, જે આદર્શ જીવન અને સમાજ માટે જરૂરી છે.

Indian Flag | National Flag Day | Educational | HISTORY OF THE DAY | knowledge