અંકલેશ્વર: ખરોડ પબ્લિક સ્કૂલમાં શિક્ષિકાએ વિદ્યાર્થીને મારતા 2 ટંકા લેવાની ફરજ પડી, આચાર્યાએ ભૂલ સ્વીકારી

અંકલેશ્વરની ખરોડ પબ્લિક સ્કૂલમાં વિદ્યાર્થીને શિક્ષક દ્વારા માર મરાતા વિવાદ જોવા મળ્યો હતો. વિદ્યાર્થીને હાથમાંથી લોહી નીકળતા હોસ્પિટલમાં લઈ જતા બે ટાંકા લેવાની ફરજ પડી હતી

New Update
  • અંકલેશ્વરની ખરોડ પબ્લિક સ્કૂલનો બનાવ

  • શિક્ષિકા દ્વારા વિદ્યાર્થીને મરાયો માર

  • વિદ્યાર્થીને હાથના ભાગે 2 ટાંકા આવ્યા

  • આચાર્યાએ ભૂલ સ્વિકારી

  • ભવિષ્યમાં આવી ઘટના ન બને એવી બાંહેધરી આપી

અંકલેશ્વરની ખરોડ પબ્લિક સ્કૂલમાં વિદ્યાર્થીને શિક્ષક દ્વારા માર મરાતા વિવાદ જોવા મળ્યો હતો. વિદ્યાર્થીને હાથમાંથી લોહી નીકળતા હોસ્પિટલમાં લઈ જતા બે ટાંકા લેવાની ફરજ પડી હતી
અંકલેશ્વરમાં આવેલી જાણીતી ખરોડ પબ્લિક સ્કૂલનો વિવાદ સામે આવ્યો છે.ખરોડ પબ્લિક સ્કૂલમાં ધોરણ 6માં અભ્યાસ કરતા વિદ્યાર્થીને શાળામાં શિક્ષિકા દ્વારા ફૂટપટ્ટી વડે માર મારવામાં આવ્યો હતો. જેના પગલે બાળકના હાથમાંથી લોહી વહી રહ્યું હતું. પરિવારજનો બાળકને હોસ્પિટલ લઈ જતા તેના હાથના ભાગે બે ટાંકા લેવાની ફરજ પડી હતી.આ અંગે પરિવારજનો દ્વારા શાળામાં રજૂઆત કરવામાં આવતા શાળાના આચાર્ય ડોક્ટર અંજલી કુલશ્રેષ્ઠ દ્વારા શિક્ષિકાની ભૂલ સ્વીકારવામાં આવી હતી. 
આચાર્યા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે વિદ્યાર્થી ક્લાસમાં ખૂબ જ તોફાન કરી રહ્યો હતો તેને ડરાવવા જતા શિક્ષક દ્વારા ફૂટપટ્ટી વાગી ગઈ હતી જો કે ક્લાસમાં ફૂટપટ્ટી લઇ જવાની મનાઈ છે પરંતુ શિક્ષક શાળામાં નવા હોવાથી તેમને ખ્યાલ ન રહ્યો માટે આ ઘટના બની છે. ભવિષ્યમાં આવી ઘટના ન બને એનું ધ્યાન રાખવામાં આવશે.
Read the Next Article

વિદ્યાર્થીઓમાં આત્મહત્યાનું કારણ ચિંતાજનક,સુપ્રીમ કોર્ટે શૈક્ષણિક સંસ્થાઓ માટે કડક ગાઈડલાઈન જાહેર કરી

આત્મહત્યાના એક કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે શૈક્ષણિક સંસ્થાઓમાં વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્યનું ધ્યાન રાખવા માટે મહત્વના નિર્દેશો આપ્યા હતા. કોર્ટે નેશનલ ગાઈડલાઈન્સ જાહેર કરી છે

New Update
supreme-court-

દરેક સ્તરે સ્પર્ધાના જમાનામાં શાળા અને કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓમાં માનસિક તણાવ સતત વધી રહ્યો છેહતાશાને કારણે વિદ્યાર્થીઓની આત્મહત્યાના બનાવો ચિંતાજનક રીતે વધી રહ્યા છે. શુક્રવારે આત્મહત્યાના એક કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે શૈક્ષણિક સંસ્થાઓમાં વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્યનું ધ્યાન રાખવા માટે મહત્વના નિર્દેશો આપ્યા હતા. કોર્ટે નેશનલ ગાઈડલાઈન્સ જાહેર કરી છેજેનું શૈક્ષણિક સંસ્થાઓએ ફરજીયાત પણે પાલન કરવાનું રહેશે. કોર્ટે વિદ્યાર્થીઓની આત્મહત્યાને અવગણી ન શકાય એવી તંત્રની નિષ્ફળતા ગણાવી હતી.

સુપ્રીમ કોર્ટના જસ્ટિસ વિક્રમ નાથ અને સંદીપ મહેતાની બેન્ચ દ્વારા આપવામાં આવેલા નિર્દેશો શાળાઓકોલેજોયુનિવર્સિટીઓપ્રાઇવેટ કોચિંગ સેન્ટરોટ્રેનિંગ એકેડમીઓ અને હોસ્ટેલ્સ પર લાગુ થશે. આ અંગે સત્તાવાર કાયદો ઘડવામાં ન આવે ત્યાં સુધી સુપ્રીમ કોર્ટે આપેલી ગાઈડલાઈન્સ દેશના કાયદા તરીકે લાગુ રહેશે.

નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યુરોના આંકડા મુજબવર્ષ2022માં ભારતમાં કુલ1,70,924આત્મહત્યા નોંધાઈ હતીજેમાં13,044એટલે કે7.6%વિદ્યાર્થીઓ હતા. જેમાંથી2,200થી વધુ વિદ્યાર્થીઓની આત્મહત્યા માટે પરીક્ષામાં નિષ્ફળતાના કારણો જવાબદાર હતા. આ આંકડાઓને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટેની બેન્ચે કહ્યું કે ભારતના યુવાનોમાં વધી રહેલી હતાશા દેશના એજ્યુકેશનલ ઇકોસિસ્ટમમાં ગંભીરમાળખાકીય ખામીને ઉજાગર કરે છે.