New Update
અંકલેશ્વરની ખરોડ પબ્લિક સ્કૂલનો બનાવ
શિક્ષિકા દ્વારા વિદ્યાર્થીને મરાયો માર
વિદ્યાર્થીને હાથના ભાગે 2 ટાંકા આવ્યા
આચાર્યાએ ભૂલ સ્વિકારી
ભવિષ્યમાં આવી ઘટના ન બને એવી બાંહેધરી આપી
અંકલેશ્વરની ખરોડ પબ્લિક સ્કૂલમાં વિદ્યાર્થીને શિક્ષક દ્વારા માર મરાતા વિવાદ જોવા મળ્યો હતો. વિદ્યાર્થીને હાથમાંથી લોહી નીકળતા હોસ્પિટલમાં લઈ જતા બે ટાંકા લેવાની ફરજ પડી હતી
અંકલેશ્વરમાં આવેલી જાણીતી ખરોડ પબ્લિક સ્કૂલનો વિવાદ સામે આવ્યો છે.ખરોડ પબ્લિક સ્કૂલમાં ધોરણ 6માં અભ્યાસ કરતા વિદ્યાર્થીને શાળામાં શિક્ષિકા દ્વારા ફૂટપટ્ટી વડે માર મારવામાં આવ્યો હતો. જેના પગલે બાળકના હાથમાંથી લોહી વહી રહ્યું હતું. પરિવારજનો બાળકને હોસ્પિટલ લઈ જતા તેના હાથના ભાગે બે ટાંકા લેવાની ફરજ પડી હતી.આ અંગે પરિવારજનો દ્વારા શાળામાં રજૂઆત કરવામાં આવતા શાળાના આચાર્ય ડોક્ટર અંજલી કુલશ્રેષ્ઠ દ્વારા શિક્ષિકાની ભૂલ સ્વીકારવામાં આવી હતી.
આચાર્યા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે વિદ્યાર્થી ક્લાસમાં ખૂબ જ તોફાન કરી રહ્યો હતો તેને ડરાવવા જતા શિક્ષક દ્વારા ફૂટપટ્ટી વાગી ગઈ હતી જો કે ક્લાસમાં ફૂટપટ્ટી લઇ જવાની મનાઈ છે પરંતુ શિક્ષક શાળામાં નવા હોવાથી તેમને ખ્યાલ ન રહ્યો માટે આ ઘટના બની છે. ભવિષ્યમાં આવી ઘટના ન બને એનું ધ્યાન રાખવામાં આવશે.
Latest Stories