ભરૂચ : એમ.કે.કોલેજ ઓફ કોમર્સ ખાતે એક દિવસીય શૈક્ષણિક સેમિનાર યોજાયો, મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા

ભરૂચ શહેરની એમ.કે.કોલેજ ઓફ કોમર્સ ખાતે NEP-2020 પર રાષ્ટ્રીય પરિષદ શિક્ષણની પુનઃ કલ્પના વિષય પર એક દિવસીય શૈક્ષણિક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update
  • રાષ્ટ્રીય પરિષદ શિક્ષણની પુનઃ કલ્પના વિષય સંવાદ

  • એમ.કે.કોલેજ ઓફ કોમર્સ-ભરૂચ દ્વારા આયોજન કરાયું

  • વિદ્યાર્થીઓ માટે એક દિવસીય શૈક્ષણિક સેમિનાર યોજાયો

  • વાઈસ ચાન્સેલરો સહિતના આમંત્રિત મહેમાનોની હાજરી

  • સેમિનારમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા

Advertisment

 ભરૂચ શહેરની એમ.કે.કોલેજ ઓફ કોમર્સ ભરૂચ ખાતે એક દિવસીય શૈક્ષણિક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ શહેરની એમ.કે.કોલેજ ઓફ કોમર્સ ખાતે NEP-2020 પર રાષ્ટ્રીય પરિષદ શિક્ષણની પુનઃ કલ્પના વિષય પર એક દિવસીય શૈક્ષણિક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કોન્ફરન્સમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજના 300 અધ્યાપકોએ રજીસ્ટ્રેશન કરાવ્યુ હતુંતથા 150 અધ્યાપકોએ પોતાના પેપર્સનું પ્રેઝનટેશન કર્યું હતું. આ કોન્ફરન્સમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર ડૉ. કિશોરસિંહજી ચાવડાબીરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર ડૉ. મધુકર પડવીસાર્વજનિક યુનિવર્સિટીના પ્રોવોસ્ટ ડૉ. કિરણ પંડ્યા ઉપસ્થિત રહ્યા હતા.

એમ.કે.કોલેજના આચાર્ય ડૉ. વિજયકુમાર જોશીએ મહેમાનોનું સ્વાગત કર્યું હતું. આ શૈક્ષણિક કોન્ફરન્સ યોજવા બદલ તમામ વાઈસ ચાન્સલરોએ કોલેજને અભિનંદન આપ્યા હતા. કાર્યક્રમનું સંચાલન ડૉ. નીશા કાલાવાડિયા તથા આભારવિધી IQAC કૉ-ઓર્ડિનેટર ડૉ. રાહુલ મહેતાએ કરી હતી.

Advertisment
Read the Next Article

ભરૂચ: શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા ચોક્કસ સ્ટેશનરીમાંથી જ નોટબુક-યુનિફાર્મ ખરીદવા વાલીઓને દબાણ કરાતું હોવાના આક્ષેપ

શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા ખાસ સ્ટેશનરી મારફતે નોટબુક સહિતની વસ્તુઓનું ઊંચા ભાવે વેચાણ કરાતું હોવાના આક્ષેપ સાથે જિલ્લા શિક્ષણાઅધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું

New Update
  • ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારીને આવેદનપત્ર પાઠવાયું

  • આગેવાનો દ્વારા પાઠવાયું આવેદનપત્ર

  • શૈક્ષણિક સંસ્થાઓ મનમાની કરતી હોવાના આક્ષેપ

  • ઊંચા ભાવે યુનિફોર્મ-નોટબુકના વેચાણના આક્ષેપ

  • કડક પગલા ભરવા કરાય માંગ

Advertisment W3.CSS
ભરૂચ જિલ્લામાં કેટલીક શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા ખાસ સ્ટેશનરી મારફતે નોટબુક સહિતની વસ્તુઓનું ઊંચા ભાવે વેચાણ કરાતું હોવાના આક્ષેપ સાથે જિલ્લા શિક્ષણાઅધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે.
હાલ નવું શૈક્ષણિક સત્ર શરૂ થવામાં ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે વાલીઓ વિદ્યાર્થીઓ માટે યુનિફોર્મ બુટ નોટબુક સહિત ચોપડાઓની ખરીદીમાં વ્યસ્ત બન્યા છે ત્યારે ભરૂચ જિલ્લાની અનેક શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા શાળાની ચિહ્નિત નોટબુકો તેમજ યુનિફોર્મ છપાવીને ખાસ સ્ટેશનરી દુકાનો દ્વારા ઊંચા ભાવે વેચાણ કરાવાતું હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.
રૂ. 25થી 30ની કિંમતે ઉપલબ્ધ નોટબુકો રૂ. 50થી 60માં વેચાય રહી છે જેના લીધે વાલીઓ પર આર્થિક બોજ વધ્યો છે.આ મુદ્દે ભરૂચના યુવા આગેવાન યોગી પટેલ દ્વારા આજે જિલ્લા શિક્ષણ અધિકારીને આવેદનપત્ર પાઠવી યોગ્ય પગલાં લેવાની માંગ કરવામાં આવી છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે શાળાઓના નામ અને ચિહ્નોનો ઉપયોગ કરીને સ્ટેશનરી દુકાનો તરફથી ઉંચા ભાવે કરાતું વેચાણ ગેરકાયદેસર છે.