ભરૂચ : જિલ્લા શિક્ષણાધિકારી કચેરી અને અંગ્રેજી વિષયના નિષ્ણાંત શિક્ષકોના સંયુક્ત ઉપક્રમે કાર્યશાળાનું કરાયું આયોજન

ભરૂચ જિલ્લાના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના શિક્ષકો માટે જિલ્લા શિક્ષણાધિકારી કચેરી, વેલ્ફેર હાઈસ્કૂલ અને અંગ્રેજી વિષયના નિષ્ણાંત શિક્ષકો માટે અંગ્રેજી ભાષાની કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું

New Update
  • અંગ્રેજી ભાષાની કાર્યશાળા યોજાઈ

  • જિલ્લા શિક્ષણાધિકારી કચેરી અને શિક્ષકો દ્વારા કરાયું આયોજન

  • અંગ્રેજી વિષયના નિષ્ણાત શિક્ષકોએ માર્ગદર્શન પૂરું પાડ્યું 

  • જિલ્લા શિક્ષણાધિકારીએ કાર્યશાળાનું મહત્વ સમજાવ્યું  

  • વર્ગખં ટીચિંગને વધુ અસરકારક બનાવવા પર મુકાયો ભાર  

Advertisment

 ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી તેમજ અંગ્રેજી વિષયના નિષ્ણાંત શિક્ષકોના સંયુક્ત ઉપક્રમે કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી તેમજ અંગ્રેજી વિષયના નિષ્ણાંત શિક્ષકોના સંયુક્ત ઉપક્રમે આજરોજ ભરૂચ વેલ્ફેર હાઈસ્કૂલભરૂચ ખાતે ભરૂચ જિલ્લાના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના શિક્ષકો માટે જિલ્લા શિક્ષણાધિકારી કચેરીવેલ્ફેર હાઈસ્કૂલ અને અંગ્રેજી વિષયના નિષ્ણાંત શિક્ષકો માટે અંગ્રેજી ભાષાની કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. 

 કાર્યશાળાનું આયોજન રફીક પટેલ- હિંગલોટ હાઈસ્કૂલ,મોહસીન એચ.પટેલ - ધી ટંકારીઆ હાઈસ્કૂલ અને એમિલ ક્રિસ્ટી - એચ એસ શાહ હાઈસ્કૂલ જંબુસર અને અંગ્રેજી વિષયના નિષ્ણાંત શિક્ષકો દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યશાળાની શરૂઆત જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતિબા રાઉલ દ્વારા પ્રાસંગિક ઉદ્બોધન સાથે કરવામાં આવી હતી.

સદર કાર્યશાળામાં પ્રથમ સેશનમાં ઉપસ્થિત અંગ્રેજી ભાષાના વિષય નિષ્ણાત ડો.ભાવિન ચૌહાણ દ્વારા Experimenting with Classroom Communication અને Body Language Teaching ઉપર ખૂબ સહજતાથી અને સચોટ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

ત્યારબાદ દ્વિતીય સેશનમાં સદર કાર્યક્રમમાં પધારેલા ડો. પ્રદ્યુમનસિંહ રાજ દ્વારા વર્ગખંડ ટીચિંગને વધુ  અસરકારક બનાવી શકાયએ માટે Experimenting with Task Based Language Teaching વિષય ઉપર ઉત્કૃષ્ટ ઉદાહરણ દ્વારા ઉપસ્થિત શિક્ષકોને વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા પ્રેક્ટિકલ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. 

આ પ્રસંગે જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા પોતાના વક્તવ્યમાં શિક્ષકોને આ કાર્યશાળાનું મહત્વ અને વર્ગખંડમાં અંગ્રેજી વિષયને કંઈ રીતે વધુ અસરકારક રીતે ભણી શકાયએ અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.સદર કાર્યક્રમમાં વેલ્ફેર ટ્રસ્ટ તરફથી જાબીર ફાંસીવાલા પણ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisment
Read the Next Article

૧૯૭૪માં આજના દિવસે ભારતનું પહેલું પરમાણુ પરીક્ષણ કરવામાં આવ્યું હતું.

પહેલું પરમાણુ પરીક્ષણ ૧૮ મે ૧૯૭૪ના રોજ ભારતના પોખરણમાં થયું હતું. આ દિવસે કોંગ્રેસે ભૂતપૂર્વ પીએમ ઇન્દિરા ગાંધીને યાદ કર્યા અને તેમના કાર્યક્ષમ નેતૃત્વની પ્રશંસા કરી અને દેશના વૈજ્ઞાનિકોનો પણ આભાર માન્યો.

New Update
India First Nuclear Test

આજે પરમાણુ પરીક્ષણના 51 વર્ષ પૂર્ણ થાય છે. આ પરમાણુ પરીક્ષણ ૧૮ મે ૧૯૭૪ના રોજ ભારતના પોખરણમાં થયું હતું. આ દિવસે કોંગ્રેસે ભૂતપૂર્વ પીએમ ઇન્દિરા ગાંધીને યાદ કર્યા અને તેમના કાર્યક્ષમ નેતૃત્વની પ્રશંસા કરી અને દેશના વૈજ્ઞાનિકોનો પણ આભાર માન્યો.

આજે ભારતના પહેલા પરમાણુ પરીક્ષણની 51મી વર્ષગાંઠ છે. આજના દિવસે, ૧૮ મે ૧૯૭૪ ના રોજ, દેશે પોખરણમાં તેનું પહેલું પરમાણુ પરીક્ષણ કર્યું હતું. આ પરમાણુ પરીક્ષણ તત્કાલીન ભારતના વડા પ્રધાન ઇન્દિરા ગાંધીના નેતૃત્વમાં કરવામાં આવ્યું હતું. રવિવારે કોંગ્રેસે ભૂતપૂર્વ વડા પ્રધાન ઇન્દિરા ગાંધીના નેતૃત્વની પ્રશંસા કરી અને કહ્યું કે વડા પ્રધાને પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં પણ હિંમતથી કામ કર્યું.

કોંગ્રેસે X પર લખ્યું કે 18 મે, 1974 ભારત માટે સુવર્ણ દિવસ હતો કારણ કે દેશે ઇન્દિરા ગાંધીના નેતૃત્વમાં તેનું પહેલું સફળ પરમાણુ પરીક્ષણ કર્યું હતું. જેને 'સ્માઇલિંગ બુદ્ધા' નામ આપવામાં આવ્યું. વધુમાં, પાર્ટીએ લખ્યું કે આ પરીક્ષણ દેશની વૈજ્ઞાનિક ક્ષમતા અને મજબૂત રાજકીય નેતૃત્વનું પ્રતીક બની ગયું.

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ સોશિયલ મીડિયા પર લખ્યું કે 51 વર્ષ પહેલા ભારતે પોતાનું પહેલું પરમાણુ પરીક્ષણ કર્યું હતું અને આવા પરમાણુ પરીક્ષણ કરીને ભારત વિશ્વનો છઠ્ઠો દેશ બન્યો. ખડગેએ આગળ લખ્યું, 'આપણા વૈજ્ઞાનિકોની પ્રતિભા અને સમર્પણ વિના આ સિદ્ધિ અશક્ય હતી. આપણે બધા તેમના આભારી છીએ. આ પછી, તેમણે ભૂતપૂર્વ પીએમ ઇન્દિરા ગાંધીના કાર્યની પ્રશંસા કરી અને કહ્યું કે પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં પણ તેમણે પોતાની હિંમત બતાવી અને આ પરીક્ષણને સફળ બનાવ્યું.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ફેસબુક પર પોસ્ટ કરીને લખ્યું કે ઇન્દિરા ગાંધીના નેતૃત્વમાં ભારતે 51 વર્ષ પહેલા પોખરણમાં ઓપરેશન સ્માઇલિંગ બુદ્ધાનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું હતું. આ પછી તેમણે લખ્યું, 'હું તે પ્રતિભાશાળી વૈજ્ઞાનિકો અને સંશોધકોનો ખૂબ ખૂબ આભાર માનું છું જેમના સમર્પણથી આ શક્ય બન્યું છે.'

આ પરમાણુ પરીક્ષણ સફળ થવામાં એક દાયકાથી વધુ સમય લાગ્યો. આ પરીક્ષણની સફળતાનો બધો શ્રેય દેશના વૈજ્ઞાનિકોને જાય છે. વૈજ્ઞાનિકો અને રાજકારણીઓના અથાક પરિશ્રમને કારણે જ દેશ પરમાણુ પરીક્ષણો કરવામાં સફળ રહ્યો. ૭૫ વૈજ્ઞાનિકો અને ઇજનેરોની ટીમે ૧૯૬૭ થી ૧૯૭૪ સુધી સાત વર્ષ સુધી સખત મહેનત કરી. આ પહેલા, ફક્ત અમેરિકા, રશિયા, ફ્રાન્સ, યુકે અને ચીન, જે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના સભ્યો હતા, તેમની પાસે પરમાણુ શક્તિ હતી.

Advertisment