ભરૂચ : જિલ્લા શિક્ષણાધિકારી કચેરી અને અંગ્રેજી વિષયના નિષ્ણાંત શિક્ષકોના સંયુક્ત ઉપક્રમે કાર્યશાળાનું કરાયું આયોજન

ભરૂચ જિલ્લાના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના શિક્ષકો માટે જિલ્લા શિક્ષણાધિકારી કચેરી, વેલ્ફેર હાઈસ્કૂલ અને અંગ્રેજી વિષયના નિષ્ણાંત શિક્ષકો માટે અંગ્રેજી ભાષાની કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું

New Update
  • અંગ્રેજી ભાષાની કાર્યશાળા યોજાઈ

  • જિલ્લા શિક્ષણાધિકારી કચેરી અને શિક્ષકો દ્વારા કરાયું આયોજન

  • અંગ્રેજી વિષયના નિષ્ણાત શિક્ષકોએ માર્ગદર્શનપૂરું પાડ્યું

  • જિલ્લા શિક્ષણાધિકારીએ કાર્યશાળાનું મહત્વ સમજાવ્યું

  • વર્ગખંટીચિંગનેવધુ અસરકારકબનાવવા પર મુકાયો ભાર

ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી તેમજ અંગ્રેજી વિષયના નિષ્ણાંત શિક્ષકોના સંયુક્ત ઉપક્રમે કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી તેમજ અંગ્રેજી વિષયના નિષ્ણાંત શિક્ષકોનાસંયુક્ત ઉપક્રમે આજરોજ ભરૂચ વેલ્ફેર હાઈસ્કૂલભરૂચ ખાતે ભરૂચ જિલ્લાના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના શિક્ષકો માટે જિલ્લા શિક્ષણાધિકારી કચેરીવેલ્ફેર હાઈસ્કૂલ અને અંગ્રેજી વિષયના નિષ્ણાંત શિક્ષકો માટે અંગ્રેજી ભાષાની કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું.

કાર્યશાળાનું આયોજન રફીક પટેલ- હિંગલોટ હાઈસ્કૂલ,મોહસીન એચ.પટેલ - ધી ટંકારીઆ હાઈસ્કૂલ અને એમિલ ક્રિસ્ટી - એચ એસ શાહ હાઈસ્કૂલ જંબુસર અને અંગ્રેજી વિષયના નિષ્ણાંત શિક્ષકો દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યશાળાની શરૂઆત જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતિબા રાઉલ દ્વારા પ્રાસંગિક ઉદ્બોધન સાથે કરવામાં આવી હતી.

સદર કાર્યશાળામાં પ્રથમ સેશનમાં ઉપસ્થિત અંગ્રેજી ભાષાના વિષય નિષ્ણાત ડો.ભાવિન ચૌહાણ દ્વારાExperimenting with Classroom Communication અનેBody Language Teaching ઉપર ખૂબ સહજતાથી અને સચોટ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

ત્યારબાદ દ્વિતીય સેશનમાં સદર કાર્યક્રમમાં પધારેલા ડો. પ્રદ્યુમનસિંહ રાજ દ્વારા વર્ગખંડ ટીચિંગને વધુઅસરકારક બનાવી શકાયએ માટેExperimenting with Task Based Language Teaching વિષય ઉપર ઉત્કૃષ્ટ ઉદાહરણ દ્વારા ઉપસ્થિત શિક્ષકોને વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા પ્રેક્ટિકલ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

આ પ્રસંગે જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા પોતાના વક્તવ્યમાં શિક્ષકોને આ કાર્યશાળાનું મહત્વ અને વર્ગખંડમાં અંગ્રેજી વિષયને કંઈ રીતે વધુ અસરકારક રીતે ભણી શકાયએ અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.સદર કાર્યક્રમમાં વેલ્ફેર ટ્રસ્ટતરફથી જાબીરફાંસીવાલા પણ ઉપસ્થિત રહ્યા હતા.

Read the Next Article

ભરૂચ: રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા સંસ્કૃત ગૌરવ યાત્રાનું આયોજન

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020 અંતર્ગત ભરૂચમાં જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા સંસ્કૃત ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા.

New Update
  • ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન

  • જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા આયોજન

  • રાષ્ટ્રીય શિક્ષણનીતિ અંતર્ગત આયોજન કરાયું

  • સંસ્કૃત ગૌરવ યાત્રાનું આયોજન કરાયું

  • મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા

ભરૂચ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020 અંતર્ગત સંસ્કૃત ભાષાનુ ગૌરવ, સંરક્ષણ અને પ્રસાર-પ્રચાર થાય એ હેતુથી ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ, ગાંધીનગર દ્વારા પાંચ વિશિષ્ટ યોજનાઓ અમલમાં મૂકી છે જે અંતર્ગત “સંસ્કૃત સપ્તાહ યોજના”ની ત્રિદિવસીય ઉજવણી હેઠળ ભરૂચ જિલ્લામાં ગૌરવ યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.આ યાત્રા જિલ્લા શિક્ષણાધિકારી કચેરી હોસ્ટેલ ગ્રાઉન્ડથી શરૂ થઈ શક્તિનાથ સર્કલ બાદ કલેક્ટર કચેરી ખાતે સમાપન થઈ હતી. 
યાત્રામાં વિદ્યાર્થીઓ, શિક્ષકો જોડાયા હતા. યાત્રામાં ટેબ્લો અને વેશભૂષા દ્વારા વેદો, ઉપનિષદો, ઋષિમુનિઓ, સંસ્કૃતના કવિઓ, લેખકો, પુરાણો, મંત્રશાસ્ત્ર અને વાસ્તુશાસ્ત્ર જેવી સંસ્કૃત સંસ્કૃતિની વિરાસતને દર્શાવવામાં આવી હતી.આ અવસરે જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતીબા રાઉલ અને શિક્ષણ કચેરીના દિવ્યેશ પટેલના માર્ગદર્શન હેઠળ વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓએ જાગૃતિ રેલી કાઢી અને સંસ્કૃત ભાષા પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.