ભરૂચ: ફાયર સેફટી માટે સ્પેશ્યલ ગ્રાન્ટ ફાળવવા માંગ, શાળા સંચાલક મંડળે કલેકટરને પાઠવ્યુ આવેદનપત્ર

ફાયરના સાધનો ઉપલબ્ધ નહીં કરે અને ફાયર NOC  નહીં લેવામા આવે તો ગ્રાન્ટેડ શાળાઓ બંધ થશે તો ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં સામાન્ય બાળકોની મુશકેલી વધશે 

New Update

ભરૂચ કલેકટરને આવેદનપત્ર પાઠવાયું

શાળા સંચાલક મંડળે આવેદનપત્ર પાઠવ્યું

ફાયર સેફટી બાબતે કરાય રજુઆત

સ્પેશ્યલ ગ્રાન્ટ ફાળવવા કરી માંગ

મંડળના હોદ્દેદારો રહ્યા ઉપસ્થિત

ભરુચ જિલ્લા શાળા સંચાલક મંડળ દ્વારા ફાયર એન.ઓ.સી મેળવવા માટે સરકાર ફાયર સેફટીના જરૂરી સાધના સહિત શિક્ષણને લગતા પડતર પ્રશ્ને કલેકટરને આવેદન પત્ર પાઠવવામા આવ્યું હતું.
ભરુચ જિલ્લા કલેકટર કચેરી ખાતે ભરુચ જિલ્લા શાળા સંચાલક મંડળના અધ્યક્ષ દિનેશ પંડયા,પ્રમુખ પ્રવીણસિંહ ડી રણા,મહામંત્રી રાજકુમાર ટેલર,ભીખાભાઇ પટેલ સહિતના સભ્યોએ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને સંબોધીને એક આવેદન પત્ર પાઠવવામા આવ્યું છે.જેમાં જણાવ્યા અનુસાર ભરૂચ જિલ્લામાં ફાયર NOC  નહીં મેળવેલ હોય તેવી શાળાઓને તારીખ-6ઠ્ઠી ઓગસ્ટના રોજ સુધીમાં ફાયર NOC મેળવવા ઓનલાઇન અરજી કરવા જણાવ્યુ હતું
પરંતુ ભરુચ જિલ્લામાં ગ્રાન્ટેડ શાળાની આર્થિક પરિસ્થિતિને પણ ધ્યાને લેવી જોઈએ ખાસ કરીને ગ્રામ્ય શહેરી વિસ્તારની ગ્રાન્ટેડ શાળાનુ સંચાલન જે શાળા મંડળો કરે છે.તે આર્થિક રીતે સધ્ધર નથી આ ખર્ચ કરવા માટે આવકના કોઇ  સ્ત્રોત નથી ગ્રાન્ટેડ શાળા ચલાવવા માટે સરકાર તરફથી મળતી ગ્રાન્ટ પર નિર્ભર હોય છે.ફાયરના સાધનો ઉપલબ્ધ નહીં કરે અને ફાયર NOC  નહીં લેવામા આવે તો ગ્રાન્ટેડ શાળાઓ બંધ થશે તો ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં સામાન્ય બાળકોની મુશકેલી વધશે 
ત્યારે આ માટે સ્પેશ્યલ ગ્રાન્ટની ફાળવણી કરવા માંગ આવી છે.. 
Read the Next Article

જાણો નિવૃત્ત શિક્ષકોની ભરતી અંગે મોટી અપડેટ, વિરોધ બાદ સરકારનો મહત્વનો નિર્ણય

ગાંધીનગરથી શિક્ષકોની ખાલી જગ્યાને લઇ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં શિક્ષકોની ઘટને લઇ એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.

New Update
WhatsApp Image 2025-07-28 at 1.06.07 PM

સરકાર દ્વારા નિવૃત શિક્ષકોની ભરતીને લઈ વિવાદિત પરિપત્ર કરવામાં આવ્યો હતો.

આ પરિપત્ર બાદ નિવૃત શિક્ષકોમાં વિરોધ થવા પામ્યો હતો. સરકાર દ્વારા કરેલ પરિપત્રમાં ટેટ-ટાટાના ઉમેદવારોને પડતા મૂકીને નિવૃત શિક્ષકોની ભરતીનો વિવાદિત પરિપત્ર કરાયો હતો.

ગાંધીનગરથી શિક્ષકોની ખાલી જગ્યાને લઇ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં શિક્ષકોની ઘટને લઇ એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજયમાં શિક્ષકોની ખાલી જગ્યા ભરવા નિવૃત શિક્ષકોની ભરતી થશે. મહત્વનું છે કે, કાયમી ભરતી અને જ્ઞાન સહાયકની નિમણૂંક બાદ ખાલી જગ્યાઓ પર ભરતી થશે.

ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી શિક્ષકોની ઘટ હોવાની વચ્ચે હવે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો હતો. અગામી સમયમાં ધોરણ 1 થી 12માં શિક્ષકોની ઘટ નિવારવા વચગાળાની વ્યવસ્થા કરાઈ છે. જેમાં નિવૃત શિક્ષકોની ભરતી થશે.નિવૃત્ત શિક્ષકોની વય 62 વર્ષ થી વધુ ન હોવી જોઈએ. આ સાથે જ્ઞાન સહાયકને ચૂકવાતા માનદ વેતન જેટલું વેતન ચૂકવાશે.

Education | Education Department | retired teachers | Recruitment