ભરૂચ : શબરી વિદ્યાપીડમ ઇંગ્લીશ મીડીયમ સ્કૂલ દ્વારા “રીસ્તે” થીમ આધારિત વાર્ષિકોત્સવ યોજાયો...

ભરૂચ શહેરના ઝાડેશ્વર રોડ પર આવેલ શબરી વિદ્યાપીડમ ઇંગ્લીશ મીડીયમ સ્કૂલ રજત જયંતિ મહોત્સવ નિમિત્તે રીસ્તે થીમ આધારિત વાર્ષિકોત્સવની ઉજવણી કરવામાં આવી

New Update
  • શબરી વિદ્યાપીડમ ઇંગ્લીશ મીડીયમ સ્કૂલ દ્વારા આયોજન

  • રજતજયંતિ મહોત્સવ નિમિત્તે વાર્ષિકોત્સવ ભવ્ય ઉજવણી

  • રીસ્તે થીમ આધારિત વાર્ષિકોત્સવની ઉજવણી કરવામાં આવી

  • શાળાના વિદ્યાર્થીઓએ વિવિધ નૃત્યકૃતિઓ રજૂ કરવામાં આવી

  • વાર્ષિકોત્સવ પ્રસંગે ધારાસભ્ય રમેશ મિસ્ત્રી ઉપસ્થિત રહ્યા

ભરૂચ શહેરના ઝાડેશ્વર રોડ પર આવેલ શબરી વિદ્યાપીડમ ઇંગ્લીશ મીડીયમ સ્કૂલ દ્વારા રજત જયંતિ મહોત્સવ નિમિત્તે વાર્ષિકોત્સવ યોજાયો હતો.આજના આધુનિક અને તકનીકી જમાનામાં ભુલાઈ જતા પારિવારિક સંબંધો તેમજ તેનું સામાજિક મૂલ્યોનું સિંચન બાળકો પોતાના જીવનમાં કરે તે હેતુથી ભરૂચ શહેરના ઝાડેશ્વર રોડ પર આવેલ શબરી વિદ્યાપીડમ ઇંગ્લીશ મીડીયમ સ્કૂલ રજત જયંતિ મહોત્સવ નિમિત્તે રીસ્તે થીમ આધારિત વાર્ષિકોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીજિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન ધર્મેશ મિસ્ત્રી સહિત શાળાના આચાર્યશાળા પરિવાર તેમજ મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Read the Next Article

વિદ્યાર્થીઓમાં આત્મહત્યાનું કારણ ચિંતાજનક,સુપ્રીમ કોર્ટે શૈક્ષણિક સંસ્થાઓ માટે કડક ગાઈડલાઈન જાહેર કરી

આત્મહત્યાના એક કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે શૈક્ષણિક સંસ્થાઓમાં વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્યનું ધ્યાન રાખવા માટે મહત્વના નિર્દેશો આપ્યા હતા. કોર્ટે નેશનલ ગાઈડલાઈન્સ જાહેર કરી છે

New Update
supreme-court-

દરેક સ્તરે સ્પર્ધાના જમાનામાં શાળા અને કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓમાં માનસિક તણાવ સતત વધી રહ્યો છેહતાશાને કારણે વિદ્યાર્થીઓની આત્મહત્યાના બનાવો ચિંતાજનક રીતે વધી રહ્યા છે. શુક્રવારે આત્મહત્યાના એક કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે શૈક્ષણિક સંસ્થાઓમાં વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્યનું ધ્યાન રાખવા માટે મહત્વના નિર્દેશો આપ્યા હતા. કોર્ટે નેશનલ ગાઈડલાઈન્સ જાહેર કરી છેજેનું શૈક્ષણિક સંસ્થાઓએ ફરજીયાત પણે પાલન કરવાનું રહેશે. કોર્ટે વિદ્યાર્થીઓની આત્મહત્યાને અવગણી ન શકાય એવી તંત્રની નિષ્ફળતા ગણાવી હતી.

સુપ્રીમ કોર્ટના જસ્ટિસ વિક્રમ નાથ અને સંદીપ મહેતાની બેન્ચ દ્વારા આપવામાં આવેલા નિર્દેશો શાળાઓકોલેજોયુનિવર્સિટીઓપ્રાઇવેટ કોચિંગ સેન્ટરોટ્રેનિંગ એકેડમીઓ અને હોસ્ટેલ્સ પર લાગુ થશે. આ અંગે સત્તાવાર કાયદો ઘડવામાં ન આવે ત્યાં સુધી સુપ્રીમ કોર્ટે આપેલી ગાઈડલાઈન્સ દેશના કાયદા તરીકે લાગુ રહેશે.

નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યુરોના આંકડા મુજબવર્ષ2022માં ભારતમાં કુલ1,70,924આત્મહત્યા નોંધાઈ હતીજેમાં13,044એટલે કે7.6%વિદ્યાર્થીઓ હતા. જેમાંથી2,200થી વધુ વિદ્યાર્થીઓની આત્મહત્યા માટે પરીક્ષામાં નિષ્ફળતાના કારણો જવાબદાર હતા. આ આંકડાઓને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટેની બેન્ચે કહ્યું કે ભારતના યુવાનોમાં વધી રહેલી હતાશા દેશના એજ્યુકેશનલ ઇકોસિસ્ટમમાં ગંભીરમાળખાકીય ખામીને ઉજાગર કરે છે.