સુરત:ખોટી રીતે RTE હેઠળ પ્રવેશ મેળવનાર સામે થશે ગુન્હો દાખલ, શિક્ષણતંત્રની કાર્યવાહીના પગલે વાલીઓમાં ફફડાટ

જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે.દરેક શાળાને વિદ્યાર્થીઓના નામ દીઠ માહિતી આપી તમામ સામે ફોજદારી કાર્યવાહી કરવા માટે સૂચન કરવામાં આવ્યું

New Update
  • બોગસRTE હેઠળ પ્રવેશનો મામલો

  • DEO દ્વારા 68 વાલીઓ સામે કાર્યવાહીની સૂચના અપાઈ

  • ગુજરાતમાં પ્રથમ વખતDEO દ્વારા કાર્યવાહી કરાઈ

  • ખોટા આવકના દાખલ બનાવી વાલીઓએ લીધું એડમિશન

  • વાલીઓને પણ હીયરીંગમાં બોલાવવામાં આવ્યા

સુરતમાં રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ (RTE) હેઠળ 68 વાલીઓ દ્વારા આવકના ખોટા દાખલા મેળવી બાળકોનું શાળામાં એડમિશન લીધું હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.જે અંગે જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.

સુરતમાં 68 જેટલા વાલીઓ દ્વારા આવકનાં ખોટા દાખલા મેળવી શાળામાં પ્રવેશ મેળવી લીધો હોવાનુંDEO નાં ધ્યાને આવતા શાળાનાં આચાર્યોનેFIR માટે અધિકૃત કરવામાં આવ્યા છે.RTEમાં પોતાના બાળકને પ્રવેશ અપાવવા માટે વાલીઓ દ્વારા ડોક્યુમેન્ટ સાથે ચેડા કરી પ્રવેશ મેળવ્યો હોવાનું સામે આવવા પામ્યું છે. ત્યારે આ સમગ્ર મામલે સુરત જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા તમામ શાળાઓને આદેશ કર્યો છે.

તેમજ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે.દરેક શાળાને વિદ્યાર્થીઓના નામ દીઠ માહિતી આપી તમામ સામે ફોજદારી કાર્યવાહી કરવા માટે સૂચન કરવામાં આવ્યું છે.

આ સમગ્ર બાબત જિલ્લા શિક્ષણાધિકારીના ધ્યાને આવતાRTE હેઠળ પ્રવેશ મેળવનાર 100થી વધુ વિદ્યાર્થીઓનાં પ્રવેશ રદ્દ કરવામાં આવ્યા છે.તેમજ વાલીઓ તેઓની વાત રજૂ કરી શકે તે માટે તેઓને મોકો આપવામાં આવ્યો છે. અને જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા વાલીઓને હિંયરિંગ માટે બોલાવવામાં આવ્યા છે.

આ બાબતે સુરત જિલ્લા શિક્ષણાધિકારી ભગીરથસિંહ પરમારે જણાવ્યું હતું કેતમામ શાળાઓને પરિપત્ર મોકલી જણાવ્યું હતું કેખોટી રીતેRTE હેઠળ પ્રવેશ મેળવનાર વાલીઓ સામે ફોજદારી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તેમજ હાલ 68 જેટલા વિદ્યાર્થીઓના નામ સાથે શાળાઓને પરિપત્ર મોકલવામાં આવ્યા છે. તેમજ આવનારા સમયમાં બાકીનાં 32 વિદ્યાર્થીઓના નામ સાથે પરિપત્ર મોકલવામાં આવશે. તેમજ સ્ટાફની પણ પૂછપરછ હાથ ધરવામાં આવશે.

Read the Next Article

ભરૂચ:  જિલ્લાની માધ્યમિક શાળાઓને મળ્યા નવા 76 શિક્ષકો, નિમણુંકપત્ર વિતરણ સમારોહ યોજાયો

ભરૂચ જિલ્લાની માધ્યમિક શાળાઓમાં 76 જેટલા શિક્ષણ સહાયકોને ભલામણપત્ર અને નિમણૂકપત્ર આપી તેમની શિક્ષણ જગતની કારકિર્દીનો શુભારંભ કરાવવામાં આવ્યો

New Update
Appointment letter
અંકલેશ્વરની સ્વામી વિવેકાનંદ ગુજરાતી માધ્યમ શાળા ખાતે શિક્ષણ સહાયક ભલામણપત્ર - નિમણૂક પત્ર વિતરણ કાર્યક્રમ યોજાયો હતો.જેમાં, ભરૂચ જિલ્લાની માધ્યમિક શાળાઓમાં 76 જેટલા શિક્ષણ સહાયકોને ભલામણપત્ર અને નિમણૂકપત્ર આપી તેમની શિક્ષણ જગતની કારકિર્દીનો શુભારંભ કરાવવામાં આવ્યો હતો.
આ પ્રસંગે ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષક ભરતી પસંદગી સમિતિના સભ્ય અને શાળા સંચાલક મંડળ, ભરૂચના પ્રમુખ પ્રવિણસિંહ રણા, ગુજરાત માધ્યમિક શિક્ષક સંઘ અને ભરૂચ જિલ્લા માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ કિરીટસિંહ મહિડા તેમજ ભરૂચ જિલ્લા વહીવટી સંઘના પ્રમુખ પુષ્કરસિંહ રણા દ્વારા ભરૂચ જિલ્લામાં નિયુક્તિ પામનાર શિક્ષકોને અભિનંદન પાઠવી શાળાઓના શિક્ષણને વેગવંતુ અને અસરકારક બનાવવા અપીલ કરી હતી.
શિક્ષણાધિકારી સ્વાતિબા કે રાઓલ દ્વારા પ્રાસંગિક ઉદબોધનમાં નવા શિક્ષણ સહાયકોને અપડેટ રહી ગ્રાન્ટેડ શાળાઓમાં શ્રેષ્ઠ પરિણામ માટે નિષ્ઠાપૂર્વક કાર્ય કરવા જણાવ્યું હતું.સમગ્ર કાર્યક્રમનું સંચાલન શિક્ષણાધિકારી કચેરીના શિક્ષણ નિરીક્ષક અને ભરતીના નોડલ અધિકારી  દિવ્યેશ પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું.
Latest Stories