સુરત:ખોટી રીતે RTE હેઠળ પ્રવેશ મેળવનાર સામે થશે ગુન્હો દાખલ, શિક્ષણતંત્રની કાર્યવાહીના પગલે વાલીઓમાં ફફડાટ

જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે.દરેક શાળાને વિદ્યાર્થીઓના નામ દીઠ માહિતી આપી તમામ સામે ફોજદારી કાર્યવાહી કરવા માટે સૂચન કરવામાં આવ્યું

New Update
  • બોગસ RTE હેઠળ પ્રવેશનો મામલો

  • DEO દ્વારા 68 વાલીઓ સામે કાર્યવાહીની સૂચના અપાઈ

  • ગુજરાતમાં પ્રથમ વખત DEO દ્વારા કાર્યવાહી કરાઈ

  • ખોટા આવકના દાખલ બનાવી વાલીઓએ લીધું એડમિશન

  • વાલીઓને પણ હીયરીંગમાં બોલાવવામાં આવ્યા

 સુરતમાં રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ (RTE) હેઠળ 68 વાલીઓ દ્વારા આવકના ખોટા દાખલા મેળવી બાળકોનું શાળામાં એડમિશન લીધું હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.જે અંગે જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.

સુરતમાં 68 જેટલા વાલીઓ દ્વારા આવકનાં ખોટા દાખલા મેળવી શાળામાં પ્રવેશ મેળવી લીધો હોવાનું DEO નાં ધ્યાને આવતા શાળાનાં આચાર્યોને FIR માટે અધિકૃત કરવામાં આવ્યા છે.RTEમાં પોતાના બાળકને પ્રવેશ અપાવવા માટે વાલીઓ દ્વારા ડોક્યુમેન્ટ સાથે ચેડા કરી પ્રવેશ મેળવ્યો હોવાનું સામે આવવા પામ્યું છે. ત્યારે આ સમગ્ર મામલે સુરત જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા તમામ શાળાઓને આદેશ કર્યો છે.

તેમજ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે.દરેક શાળાને વિદ્યાર્થીઓના નામ દીઠ માહિતી આપી તમામ સામે ફોજદારી કાર્યવાહી કરવા માટે સૂચન કરવામાં આવ્યું છે.

આ સમગ્ર બાબત જિલ્લા શિક્ષણાધિકારીના ધ્યાને આવતા RTE હેઠળ પ્રવેશ મેળવનાર 100થી વધુ વિદ્યાર્થીઓનાં પ્રવેશ રદ્દ કરવામાં આવ્યા છે.તેમજ વાલીઓ તેઓની વાત રજૂ કરી શકે તે માટે તેઓને મોકો આપવામાં આવ્યો છે. અને જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા વાલીઓને હિંયરિંગ માટે બોલાવવામાં આવ્યા છે.

આ બાબતે સુરત જિલ્લા શિક્ષણાધિકારી ભગીરથસિંહ પરમારે જણાવ્યું હતું કેતમામ શાળાઓને પરિપત્ર મોકલી જણાવ્યું હતું કેખોટી રીતે RTE હેઠળ પ્રવેશ મેળવનાર વાલીઓ સામે ફોજદારી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તેમજ હાલ 68 જેટલા વિદ્યાર્થીઓના નામ સાથે શાળાઓને પરિપત્ર મોકલવામાં આવ્યા છે. તેમજ આવનારા સમયમાં બાકીનાં 32 વિદ્યાર્થીઓના નામ સાથે પરિપત્ર મોકલવામાં આવશે. તેમજ સ્ટાફની પણ પૂછપરછ હાથ ધરવામાં આવશે.

Read the Next Article

રેલ્વેમાં નોકરી મેળવવાની સુવર્ણ તક, 6374 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે

રેલ્વે ટેકનિશિયનની કુલ 6374 જગ્યાઓ પર ભરતી કરશે. તેની વિગતવાર સૂચના ટૂંક સમયમાં બહાર પાડી શકાય છે. પસંદગી લેખિત પરીક્ષા વગેરે દ્વારા કરવામાં આવશે. આ જગ્યાઓ રેલ્વેના વિવિધ ઝોનમાં ભરવામાં આવશે.

New Update
railways

રેલ્વે ટેકનિશિયનની કુલ 6374 જગ્યાઓ પર ભરતી કરશે.

તેની વિગતવાર સૂચના ટૂંક સમયમાં બહાર પાડી શકાય છે. પસંદગી લેખિત પરીક્ષા વગેરે દ્વારા કરવામાં આવશે. આ જગ્યાઓ રેલ્વેના વિવિધ ઝોનમાં ભરવામાં આવશે.

રેલ્વેમાં નોકરી માટે તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે સારા સમાચાર છે. રેલ્વે ભરતી બોર્ડ (RRB) એ જાહેરાત કરી છે કે ટેકનિશિયનની 6374 જગ્યાઓ ભરવામાં આવશે. આ ભરતી ઝુંબેશ ટેકનિશિયન ગ્રેડ-1 અને ટેકનિશિયન ગ્રેડ-3 ની જગ્યાઓ માટે હશે. બોર્ડ દ્વારા એ પણ સ્પષ્ટતા કરવામાં આવી છે કે આ સંખ્યા હજુ પ્રારંભિક છે અને અંતિમ સૂચનામાં તેમાં ફેરફાર શક્ય છે. એટલે કે, પોસ્ટ્સની સંખ્યા વધુ કે ઓછી હોઈ શકે છે.

ટૂંક સમયમાં ભરતી બોર્ડ આ ખાલી જગ્યાની વિગતવાર સૂચના બહાર પાડશે, જેમાં અરજી પ્રક્રિયા, લાયકાત અને પસંદગી પ્રક્રિયા વગેરે વિશેની બધી માહિતી પણ હશે. આ ભરતી રેલ્વેના તમામ ઝોનમાં કરવામાં આવશે. ઉમેદવારોએ ધ્યાનમાં રાખવું જોઈએ કે તેઓએ ફક્ત ઓનલાઈન મોડમાં જ અરજી કરવાની રહેશે.

કયા ઝોનમાં કેટલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે?

૧. પૂર્વીય રેલ્વે (ER): ૧,૧૧૯ જગ્યાઓ

૨. પશ્ચિમ રેલ્વે (WR): ૮૪૯ જગ્યાઓ

૩. ઇન્ટિગ્રલ કોચ ફેક્ટરી (ICF): ૪૦૪ જગ્યાઓ

૪. ઉત્તરીય રેલ્વે (NR): ૪૭૮ જગ્યાઓ

૫. ઉત્તર મધ્ય રેલ્વે (NCR): ૨૪૧ જગ્યાઓ

૬. મધ્ય રેલ્વે (CR): ૩૦૫ જગ્યાઓ

RRB ગ્રેડ-૧ ટેકનિશિયન પોસ્ટ્સ માટે, ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી ૧૮ વર્ષ અને મહત્તમ ૩૬ વર્ષ હોવી જોઈએ. તે જ સમયે, ગ્રેડ-૩ પોસ્ટ્સ માટે મહત્તમ વય મર્યાદા ૩૩ વર્ષ નક્કી કરવામાં આવી છે. અનામત શ્રેણીના ઉમેદવારોને સરકારના નિયમો અનુસાર મહત્તમ વય મર્યાદામાં પણ છૂટછાટ આપવામાં આવશે. તે જ સમયે, અરજદાર પાસે સંબંધિત ટ્રેડમાં B.Sc ડિગ્રી અથવા ડિપ્લોમા હોવો જોઈએ.