Connect Gujarat
મનોરંજન 

અમિતાભ બચ્ચન લતા દીનાનાથ મંગેશકર એવોર્ડથી સન્માનિત, મુંબઈમાં યોજાયો સમારોહ

મેગાસ્ટાર અમિતાભ બચ્ચનને બુધવારે 'લતા દીનાનાથ મંગેશકર એવોર્ડ'થી સન્માનિત કરવામાં આવ્યા હતા.

અમિતાભ બચ્ચન લતા દીનાનાથ મંગેશકર એવોર્ડથી સન્માનિત, મુંબઈમાં યોજાયો સમારોહ
X

મેગાસ્ટાર અમિતાભ બચ્ચનને બુધવારે 'લતા દીનાનાથ મંગેશકર એવોર્ડ'થી સન્માનિત કરવામાં આવ્યા હતા. મુંબઈના દીનાનાથ મંગેશકર નાટ્યગૃહમાં આયોજિત આ એવોર્ડ ફંક્શનમાં અમિતાભ પુત્ર અભિષેક બચ્ચન સાથે પહોંચ્યા હતા. અહીં બિગ બીને ભારતીય સિનેમામાં તેમના અસાધારણ યોગદાન માટે સન્માનિત કરવામાં આવ્યા હતા.મંગેશકર ભાઈ-બહેનોની ત્રીજી સૌથી મોટી બહેન ગાયિકા ઉષા મંગેશકરે આ કાર્યક્રમમાં અમિતાભને આ સન્માન આપ્યું હતું. આ પહેલા ગાયિકા આશા ભોંસલે અમિતાભને આ એવોર્ડ આપવાના હતા પરંતુ તેમની ખરાબ તબિયતના કારણે તેઓ આ કાર્યક્રમમાં હાજર રહી શક્યા ન હતા. આ એવોર્ડ સમારોહમાં સંગીતકાર એ.આર. રહેમાનને માસ્ટર દીનાનાથ એવોર્ડ અને અભિનેતા રણદીપ હુડ્ડાને વિશેષ એવોર્ડ આપવામાં આવ્યો હતો. અભિનેત્રી પદ્મિની કોલ્હાપુરીનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.

Next Story