/connect-gujarat/media/media_files/2025/04/20/ND9SIPDrrGeCtMDGSL70.jpg)
જો કે, આ વખતે અનુરાગ કશ્યપે એવી વાત કરી કાઢી કે જેના પછી તેમની સામે FIR દાખલ કરવાની માંગ થઈ રહી છે.
ફિલ્મ દિગ્દર્શક અનુરાગ કશ્યપ સોશિયલ મીડિયા પર કાસ્ટ સિસ્ટમ (જાતિ વ્યવસ્થા) પર વારંવાર કઈંકને કઈંક લખી રહ્યા છે. જો કે, આ વખતે અનુરાગ કશ્યપે એવી વાત કરી કાઢી કે જેના પછી તેમની સામે FIR દાખલ કરવાની માંગ થઈ રહી છે.
પ્રતીક ગાંધી અને પત્રલેખાની ફિલ્મ ‘ફૂલે’ 25 એપ્રિલે સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. સાવિત્રીબાઈ ફૂલે પર આધારિત આ ફિલ્મ આજકાલ ખૂબ જ વિવાદમાં છે. આ ફિલ્મ પર જાતિવાદને પ્રોત્સાહન આપવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. સેન્સર બોર્ડે ફિલ્મમાં કેટલાક ફેરફારો કરવાનો આદેશ આપ્યો છે. આવી સ્થિતિમાં અનુરાગ કશ્યપે જાતિવાદ પર સવાલ ઉઠાવ્યા છે. અનુરાગ કશ્યપના સવાલો પર હવે ભાજપના સભ્ય અને બિગ બોસના સ્પર્ધક તજિન્દર પાલ સિંહ બગ્ગાએ તેમની સામે FIR નોંધાવવાની માંગ કરી છે.
અનુરાગ કશ્યપે તાજેતરમાં ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટમાં કહ્યું હતું કે, ધડકના સ્ક્રીનિંગ દરમિયાન સેન્સર બોર્ડે કહ્યું હતું કે સરકારે ભારતમાં જાતિ વ્યવસ્થા નાબૂદ કરી દીધી છે. જેના પછી ‘સંતોષ’ પણ ભારતમાં રિલીઝ થઈ ન હતી. હવે બ્રાહ્મણોને ‘ફૂલે’ ફિલ્મના વિષયથી સમસ્યા છે. જ્યારે જાતિ વ્યવસ્થા જ નથી તો પછી શેનો બ્રાહ્મણ?
અનુરાગ કશ્યપે પોતાની પોસ્ટમાં આગળ લખ્યું, “તમે કોણ છો? તમને કેમ સમસ્યા થાય છે? જ્યારે જાતિ વ્યવસ્થા નહોતી, ત્યારે સાવિત્રીબાઈ ફૂલે અને જ્યોતિબા ફૂલે કેમ હતા? ક્યાંક તો તમારી પાસે કોઈ બ્રાહ્મણવાદ નથી; કેમ કે સરકારના મતે, ભારતમાં કોઈ જાતિ વ્યવસ્થા નથી. બધા ભેગા મળીને બધાને મૂર્ખ બનાવી રહ્યા છે. ભાઈઓ, સાથે મળીને નક્કી કરો કે ભારતમાં જાતિવાદ છે કે નહીં? શું તમે બ્રાહ્મણ છો કે તમારા પિતા, જે ઉપર બેઠેલા છે. નક્કી કરો.”
જો કે, અનુરાગ કશ્યપની આ વાત લોકોને રાસ નથી આવી અને સોશિયલ મીડિયા પર ભારે ટીકા થઈ રહી છે. તેજિંદર પાલ સિંહ બગ્ગાએ પણ તેમની સામે FIR નોંધાવવાની માંગ કરી છે. બગ્ગાએ X પર અનુરાગ કશ્યપની પોસ્ટનો સ્ક્રીનશોટ શેર કર્યો અને લખ્યું, “હું મુંબઈ પોલીસને અનુરાગ કશ્યપ વિરુદ્ધ FIR દાખલ કરવા અને તેમની ધરપકડ કરવાની માંગ કરું છું. તેમના જેવા માનસિક રીતે અસ્થિર લોકો સમાજ માટે ખતરો છે. આવા લોકોને અવગણવા જોઈએ નહીં.”