અથિયા શેટ્ટી આજે 4 વાગ્યે કેએલ રાહુલની દુલ્હન બનશે,લગ્નમાં કરવામાં આવી ખાસ વ્યવસ્થા

અભિનેત્રી અથિયા શેટ્ટી અને ભારતીય બેટ્સમેન કેએલ રાહુલ તેમના લગ્નના સમાચારમાં છે.

New Update
અથિયા શેટ્ટી આજે 4 વાગ્યે કેએલ રાહુલની દુલ્હન બનશે,લગ્નમાં કરવામાં આવી ખાસ વ્યવસ્થા

અભિનેત્રી અથિયા શેટ્ટી અને ભારતીય બેટ્સમેન કેએલ રાહુલ તેમના લગ્નના સમાચારમાં છે. બંનેના લગ્ન સ્થળથી લઈને ગેસ્ટ લિસ્ટ સુધી, ચાહકો લગભગ દરેક વિગતો જાણવા માટે રાહ જોઈ રહ્યા છે. અથિયા અને કેએલ રાહુલે ગઈકાલે રાત્રે સંગીત સેરેમની કરી હતી, જ્યાં બોલિવૂડ અને ક્રિકેટ જગતના ઘણા સેલેબ્સ પહોંચ્યા હતા. હવે આજે એટલે કે 23 જાન્યુઆરીએ આ કપલ લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યું છે.

અથિયા શેટ્ટી અને કેએલ રાહુલના લગ્ન ખંડાલામાં સુનીલ શેટ્ટીના આલીશાન બંગલામાં થઈ રહ્યા છે. વેડિંગ વેન્યુ પહેલાથી જ તેની સજાવટને લઈને ચર્ચામાં રહી ચુક્યું છે. જ્યારે, સંગીત સમારોહની મજા અને સ્ટાર્સથી ભરપૂર ભવ્યતાએ આથિયા અને કેએલ રાહુલના લગ્નને પ્રસિદ્ધિમાં લાવ્યા છે.

અથિયા શેટ્ટી અને કેએલ રાહુલના લગ્ન સમારોહ મળતી માહિતી પ્રમાણે કપલ 23 જાન્યુઆરી, 2023 ના રોજ સાંજે 4 વાગ્યે સાત ફેરા લેશે. આ પછી નવવિવાહિત કપલ મીડિયા સાથે પણ વાતચીત કરશે. અભિનેતા સુનીલ શેટ્ટીએ જણાવ્યુ હતું કે લગ્ન પછી તેમની પુત્રી અને જમાઈ સાંજે 6:30 વાગ્યે મીડિયાને મળશે. અથિયા શેટ્ટી અને કેએલ રાહુલના લગ્નમાં સાઉથ ઈન્ડિયા ટચ જોવા મળશે

અથિયા અને કેએલ રાહુલના લગ્નમાં માત્ર થોડા મહેમાનો જ આવવાના છે. લગભગ 100 મહેમાનોને સ્ટાર્સ સ્ટડેડ લગ્નમાં આમંત્રણ આપવામાં આવ્યું છે. આ સિવાય મહેમાન માટે કોઈ ફોન પોલિસી રાખવામાં આવી નથી એટલે કે સુરક્ષા જાળવવા માટે મહેમાનોએ ફોન વગર લગ્નમાં પ્રવેશ કરવો પડશે.

લગભગ ચાર વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા બાદ અથિયા શેટ્ટી અને કેએલ રાહુલ પાર્ટનર બનવા જઈ રહ્યા છે. બંનેની મુલાકાત એક કોમન ફ્રેન્ડ દ્વારા થઈ હતી અને આ મુલાકાત મિત્રતાથી શરૂ થઈ હતી અને હવે લગ્નમાં પરિવર્તિત થવા જઈ રહી છે. અથિયા અને કેએલ રાહુલે લાંબા સમય સુધી તેમના સંબંધોને ગુપ્ત રાખ્યા હતા, પરંતુ અભિનેત્રીએ ભાઈ અહાન શેટ્ટીની પ્રથમ ફિલ્મ તડપની સ્ક્રીનિંગ વખતે તેને સત્તાવાર રીતે જાહેર કર્યું હતું.

Read the Next Article

ફિલ્મ 'ઉદયપુર ફાઈલ્સ' પર વધતા વિવાદમાં હવે દિલ્હી હાઈકોર્ટે રીલીઝ પર રોક લગાવી છે

દિલ્હી હાઇકોર્ટમાં ગુરુવારે 'ઉદયપુર ફાઇલ્સ'ની રિલીઝના સંબંધે સુનાવણી થઈ હતી. 'ઉદયપુર ફાઇલ્સ' ફિલ્મના નિર્માતાના વકીલે કહ્યું કે, નૂપુર શર્માનું નિવેદન કટ કરવામાં આવ્યું છે.

New Update
film

દિલ્હી હાઇકોર્ટે 'ઉદયપુર ફાઇલ્સ' પર રોક લગાવી છે. જણાવી દઈએ કે, આ ફિલ્મ રાજસ્થાનના ઉદયપુરના કન્હૈયાલાલ સાહુની હત્યા પર આધારિત છે. હાઇકોર્ટના ચીફ જસ્ટિસ ડીકે ઉપાધ્યાય અને જસ્ટિસ અનીશ દયાલની બેન્ચે અરજદારોને આદેશ આપ્યો છે કે બે દિવસમાં તે તેમની ફરિયાદ કેન્દ્ર સરકાર સમક્ષ રજૂ કરે.

જણાવી દઈએ કે, અરજદારો એ જ છે જે કન્હૈયાલાલ સાહુની હત્યાના કેસમાં આરોપી છે. તેમણે કોર્ટમાં દલીલ કરી હતી કે ફિલ્મ રિલીઝ થવાથી તેમની ન્યાયિક પ્રક્રિયા પર અસર પહોંચશે. દિલ્હી હાઇકોર્ટે બે દિવસમાં જમીયત ઉલેમા હિન્દને કેન્દ્ર સરકાર પાસે અપીલ કરવા કહ્યું છે, અપીલ દાખલ થયાના 7 દિવસની અંદર કેન્દ્ર સરકારે આ ફિલ્મના રિલીઝ પર નિર્ણય લેવાનો રહેશે.

દિલ્હી હાઇકોર્ટમાં ગુરુવારે 'ઉદયપુર ફાઇલ્સ'ની રિલીઝના સંબંધે સુનાવણી થઈ હતી. 'ઉદયપુર ફાઇલ્સ' ફિલ્મના નિર્માતાના વકીલે કહ્યું કે, નૂપુર શર્માનું નિવેદન કટ કરવામાં આવ્યું છે. મારી પાસે કન્હૈયાલાલ હત્યાકાંડમાં રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)ની ચાર્જશીટ છે, જેમાં એ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. હાઇકોર્ટે કહ્યું કે, તમે તપાસ દરમિયાન એકત્રિત કરવામાં આવેલી માહિતીના આધાર પર ફિલ્મની વાર્તાને સાચી સાબિત નથી કરી શકતા.  

ફિલ્મ નિર્માતાના વકીલે કહ્યું કે, ફિલ્મની સ્ટોરી ભારત-પાકિસ્તાનની વાર્તા પર આધારિત છે. આ સાવ ખોટું છે છે કે બધા મુસલમાનોને નકારાત્મક રૂપમાં દેખાડવામાં આવ્યા છે. 55 કટ આ વાતનો પુરાવો છે કે સાંપ્રદાયિક વેરભાવના પાસા પર પણ ધ્યાન આપવામાં આવ્યું છે. શુક્રવાર (આજે) માટે 1800 થિયેટર પણ બુક કરવામાં આવ્યા છે અને અંદાજે લાખ ટિકિટ એડવાન્સમાં બૂક થઈ ગઈ છે.

ત્યારે, સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC)ના એડિશનલ સોલિસિટર જનરલ (ASG) ચેતન શર્માએ કહ્યું કે, તમે ફિલ્મ જુઓ, આ કોઈ વિશેષ સમુદાય પર નથી, પણ ગુના પર આધારિત ફિલ્મ બનાવાઇ છે. પૂરી વાર્તા એ જ છે સાંપ્રદાયિક વેરભાવના વચ્ચે વ્યૂહાત્મક રીતે સીમા પારથી ફેલાવામાં આવી રહી છે. ફિલ્મમાં સમુદાયોનો એક ડાયલોગ પણ છે કે, 'આપણે બધાએ સાથે મળીને રહેવું જોઈએ'ને સામેલ કરવામાં આવ્યો છે.

ચેતન શર્માએ કહ્યું કે, CBFC બોર્ડ આ તથ્યથી વાકેફ છે કે કોઈ ખાસ સમુદાયને લક્ષ્ય બનાવવું જોઈએ નહીં. ફિલ્મનો વિષય કોઈ સમુદાય ખાસ સમુદાય પર નથી, પણ ગુના પર છે. દેવબંદનો રેફરેંસ હટાવવામાં આવ્યો છે. નૂપુર શર્મા અને જ્ઞાનવાપીના સંદર્ભનો પણ ઉલ્લેખ નથી કરવામાં આવ્યો.

ત્યારે વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે કોર્ટ સામે દલીલ કરી હતી કે અમે પહેલીવાર ફિલ્મ જોઈ છે મારું માનવું છે કે ફિલ્મ એક સમુદાયને બદનામ કરવા ઉપરાંત બીજું કંઈ નથી. સિબ્બલે કહ્યું કે, ફિલ્મ હિંસા અને નફરતથી ભરપૂર છે અને એક ચોક્કસ સમુદાયને લક્ષ્ય બનાવે છે. એક સમુદાયને એવી રીતે દર્શાવવામાં આવ્યો છે જાણે કે તે સમાજની બધી ખરાબીઓનું પ્રતિનિધિત્વ કરે છે.

જે વ્યક્તિએ આ ફિલ્મ બનાવી છે, તેનું બેકગ્રાઉન્ડ આજે એક અંગ્રેજી અખબારમાં છપાયું છે, ફિલ્મની શરૂઆત એવા દ્રશ્યથી થાય છે જ્યાં એક ખાસ સમુદાયનો વ્યક્તિ બીજા સમુદાયની જગ્યાએ માંસનો ટુકડો ફેંકે છે, અને બીજા દ્રશ્યમાં પોલીસ તે ખાસ સમુદાય સાથે સંબંધિત વિદ્યાર્થીની ધરપકડ કરે છે.

Latest Stories