Connect Gujarat
મનોરંજન 

બોલિવૂડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિઝે માતા વૈષ્ણો દેવીના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા...

બોલિવૂડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિઝ છેલ્લા ઘણા સમયથી તેની પ્રોફેશનલ લાઈફ કરતાં તેના અંગત જીવન માટે વધુ ચર્ચામાં છે. વર્ષ 2021 અભિનેત્રી માટે કંઈ ખાસ ન હતું.

બોલિવૂડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિઝે માતા વૈષ્ણો દેવીના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા...
X

બોલિવૂડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિઝ છેલ્લા ઘણા સમયથી તેની પ્રોફેશનલ લાઈફ કરતાં તેના અંગત જીવન માટે વધુ ચર્ચામાં છે. વર્ષ 2021 અભિનેત્રી માટે કંઈ ખાસ ન હતું. ગયા વર્ષે, અભિનેત્રી ઠગ સુકેશ ચંદ્રશેખરના મની લોન્ડરિંગ કેસમાં ફસાવવા માટે સમાચારમાં હતી. અને હવે અભિનેત્રી માં વૈષ્ણો દેવીના દર્શન કરીને જમ્મુ પહોંચી છે. તેની કેટલીક તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યા છે. જેકલીન બુધવારે માં વૈષ્ણો દેવીના દર્શને ગઈ હતી. અભિનેત્રીએ શિશ જુકવી માતાના આશીર્વાદ લીધા હતા.

અભિનેત્રીએ તેની સફર વિશે પણ વાત કરી અને કહ્યું કે તેની સફર અદ્ભુત હતી અને બધું એકદમ શાંતિપૂર્ણ હતું. જેક્લિને કહ્યું કે તે બીજી વખત ત્યાં ગઈ, તેનો અહીંનો અનુભવ અદ્ભુત હતો અને તે માતા વૈષ્ણોદેવીના દરબારમાં આવતી જ રહેશે.


બોલિવૂડના ઘણા એવા પ્રખ્યાત સ્ટાર્સ છે જેઓ માના પરમ ભક્ત છે. અભિનેત્રી પહેલા ગયા વર્ષે શાહરૂખ ખાને પણ માતાને વંદન કર્યા હતા. કંગના રનૌત તેના જન્મદિવસ પર તેની બહેન રંગોલી ચંદેલ સાથે મા વૈષ્ણો દેવીના દર્શન કરવા પોહચ્યાં હતા. તે જ સમયે, વર્ષ 2021 માં બિપાશા બાસુ અને કરણ સિંહ ગ્રોવર પણ માતાના દર્શન કરવા આવ્યા હતા. રાજકુમાર રાવ અને પત્રલેખાએ પણ માં વૈષ્ણો દેવીના ભવ્ય મંદિરની મુલાકાત લીધી છે. શિલ્પા શેટ્ટીએ પણ વર્ષ 2021માં માતાના દરબારમાં પ્રણામ કર્યા હતા.

Next Story