/connect-gujarat/media/media_files/2025/04/27/TbbuTVUxmAbnFqwrVT4f.jpg)
ફૈયાઝ વસીફુદ્દીન ડાગરની અરજી પર સુનાવણી કરતા દિલ્હી હાઈકોર્ટે રહેમાનને 2 કરોડ રૂપિયા જમા કરાવવાનો આદેશ આપ્યો છે.
સંગીતકાર એઆર રહેમાન અને પ્રોડક્શન કંપની મદ્રાસ ટોકીઝ 'પોનીયિન સેલ્વન 2' ના 'વીરા રાજા વીરા' ગીતને કારણે વિવાદમાં છે. તેમના પર કોપીરાઈટનો આરોપ છે અને આ સુનાવણી કરતા, દિલ્હી હાઈકોર્ટે સંગીતકારને 2 કરોડ રૂપિયા ચૂકવવાનો આદેશ આપ્યો છે.
આ રકમ કોર્ટના રજિસ્ટ્રાર ઓફિસમાં જમા કરાવવાનો નિર્દેશ આપ્યો છે.
ગાયક ફૈયાઝ વસિફુદ્દીન ડાગરે કોપીરાઈટ અંગે અરજી દાખલ કરી હતી અને આ નિર્ણય આ જ કેસમાં આવ્યો છે. કોર્ટે આ રકમ કોર્ટના રજિસ્ટ્રાર ઓફિસમાં જમા કરાવવાનો નિર્દેશ આપ્યો છે.
પદ્મશ્રી પુરસ્કાર વિજેતા ભારતીય શાસ્ત્રીય ગાયક ફૈયાઝ વસિફુદ્દીન ડાગરે 2023માં કોર્ટનો સંપર્ક કર્યો હતો અને આરોપ લગાવ્યો હતો કે આ ગીત તેમના પિતા નાસિર ફૈયાઝુદ્દીન ડાગર અને કાકા ઝહીરુદ્દીન ડાગર દ્વારા 'શિવા સ્તુતિ' ગીતમાંથી નકલ કરવામાં આવ્યું છે. તેમણે એઆર રહેમાન અને મદ્રાસ ટોકીઝ સહિત અન્ય લોકો દ્વારા ગીતના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી હતી.
ફયાઝ ડાગરની વચગાળાની અરજી પર સુનાવણી કરતી વખતે, ન્યાયાધીશ પ્રતિભા એમ સિંહે કહ્યું કે 'વીરા રાજા વીરા' ગીત ફક્ત 'શિવ સ્તુતિ' પર આધારિત અને પ્રેરિત નથી, પરંતુ વાસ્તવમાં કેટલાક ફેરફારો સાથે તેના જેવું જ છે.
કોર્ટે એઆર રહેમાન અને મદ્રાસ ટોકીઝને રજિસ્ટ્રીમાં 2 કરોડ રૂપિયા જમા કરાવવાનો આદેશ આપ્યો છે. કોર્ટે શોધી કાઢ્યું કે સંગીતકાર અને નિર્માણ કંપનીએ ગીતની રચના માટે જુનિયર ડાગર ભાઈઓને કોઈ ક્રેડિટ આપી નથી. તેથી, ફિલ્મ નિર્માતાને ઓનલાઈન પ્લેટફોર્મ પર ફિલ્મમાં આ ક્રેડિટ ઉમેરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ સાથે, પ્રતિવાદીઓ પર 2 લાખનો દંડ પણ લાદવામાં આવ્યો છે.
જોકે, એઆર રહેમાને આરોપોને નકારી કાઢ્યા છે. કહ્યું કે 'શિવ સ્તુતિ' ધ્રુપદ શાદીની અંદર એક પરંપરાગત રચના છે, જે જાહેર ક્ષેત્રનો ભાગ છે. એવી પણ દલીલ કરવામાં આવી હતી કે 'વીરા રાજા વીરા' ગીત એક મૂળ રચના છે, જે પશ્ચિમી સંગીતના મૂળભૂત સિદ્ધાંતોનો ઉપયોગ કરીને 227 વિવિધ સ્તરો સાથે બનાવવામાં આવી છે, જે હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતની પરંપરાઓથી ઘણી આગળ છે.