Connect Gujarat
મનોરંજન 

કુબૂલ હૈ ફેમ નિશી સિંહનું 50 વર્ષની વયે નિધન, 4 વર્ષથી પેરાલિસિસ સામે ઝઝૂમી રહ્યા હતા

ટીવી સિરિયલમાં કામ કરનાર 'કુબૂલ હૈ' અને 'ઇશ્કબાઝ' ફેમ નિશી સિંહનું રવિવારે 18 સપ્ટેમ્બર ના રોજ લાંબી બીમારી સામે લડ્યા બાદ નિધન થયું હતું.

કુબૂલ હૈ ફેમ નિશી સિંહનું 50 વર્ષની વયે નિધન, 4 વર્ષથી પેરાલિસિસ સામે ઝઝૂમી રહ્યા હતા
X

ટીવી સિરિયલમાં કામ કરનાર 'કુબૂલ હૈ' અને 'ઇશ્કબાઝ' ફેમ નિશી સિંહનું રવિવારે 18 સપ્ટેમ્બર ના રોજ લાંબી બીમારી સામે લડ્યા બાદ નિધન થયું હતું. નિશી છેલ્લા ચાર વર્ષથી પેરાલિસિસથી પીડાતા હતા અને બેડરેસ્ટ પર હતા. 17 સપ્ટેમ્બરની રાત્રે તેમની તબિયત બગડી હતી, ત્યારબાદ તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા અને ત્યારબાદ બપોરે 3 વાગ્યે તેમનું મૃત્યુ થયું હતું.

મળતી માહિતી પ્રમાણે નિશીના પતિ સંજય સિંહે 'નિશીને ફેબ્રુઆરી 2020ના રોજ બીજો સ્ટ્રોક આવ્યો હતો, જેમાંથી તે સ્વસ્થ થઈ રહ્યા હતા. જો કે, આ વર્ષે મે મહિનામાં તેમને ફરીથી સ્ટ્રોક આવ્યો અને તેના કારણે તેમની તબિયત સતત બગડતી રહી. છેલ્લા કેટલાક અઠવાડિયાથી તેમને ગળામાં ઈન્ફેક્શનના કારણે ખાવામાં તકલીફ થઈ રહી હતી. તે ખોરાકમાં માત્ર પ્રવાહી ખોરાક લેતા હતા. અમે ત્રણ દિવસ પહેલા તેમનો 50મો જન્મદિવસ ઉજવ્યો હતો. તેઓ વાત કરી શકતા ન હતા, પરંતુ તે ખૂબ જ ખુશ દેખાતી હતા.

નિશી સિંહના પતિએ વધુમાં કહ્યું, 'તેણે જીવિત રહેવા માટે ઘણો સંઘર્ષ કર્યો. બપોરે 3 વાગ્યાની આસપાસ તેમનું મૃત્યુ થયું હતું. સૌથી મોટી સમસ્યા એ છે કે અમે 32 વર્ષ સાથે હતા. તેણીની તબિયત સારી નહોતી, ત્યારે પણ તે મારી સાથે હતા. હવે મારા બાળકો સિવાય મારી પાસે કોઈ નથી, જેને હું પરિવાર કહી શકું. મારી પુત્રીએ તેની માતાની સંભાળ રાખવા માટે તેનો અભ્યાસ પણ છોડી દીધો હતો.

તેમના પતિએ કહ્યુ કેઇ ઈન્ડસ્ટ્રીના ઘણા મિત્રોએ તેને આર્થિક મદદ કરી. જેમાં રમેશ તૌરાની, ગુલ ખાન, સુરભી ચાંદના અને CINTAAના નામ સામેલ છે. નિશીની વાત કરીએ તો તેણે ટીવી સિરિયલ્સની સાથે ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. નિશી 'ઇશ્કબાઝ', 'કુબૂલ હૈ', 'તેનાલી રામા' અને 'હિટલર દીદી' જેવા ઘણા લોકપ્રિય ટીવી શોનો ભાગ રહી ચુકી છે.

Next Story