અંકલેશ્વર: સિંગર પૂર્વા મંત્રીએ કહ્યું "વડાપ્રધાને શું પાવરફુલ ગરબો લખ્યો છે ! આ ગરબો ગાવો મારા માટે સ્વપ્ન સમાન"

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લખેલ ગરબાને સિંગર પૂર્વા મંત્રીએ સ્વર આપ્યો છે ત્યારે પૂર્વા મંત્રીએ વડાપ્રધાન લીખિત ગરબાને ગાવો એક સ્વપ્ન સમાન ગણાવ્યું હતું

New Update

PM નરેન્દ્ર મોદીએ લખ્યો માતાજીનો ગરબો

આવતી કળાય નામનો ગરબો લખ્યો

સિંગર પૂર્વા મંત્રીએ આપ્યો સ્વર

પી.એમ.મોદીનો માન્યો આભાર

ગરબાને સ્વર આપવો સ્વપ્ન સમાન ગણાવ્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લખેલ ગરબાને સિંગર પૂર્વા મંત્રીએ સ્વર આપ્યો છે ત્યારે પૂર્વા મંત્રીએ વડાપ્રધાન લીખિત ગરબાને ગાવો એક સ્વપ્ન સમાન ગણાવ્યું હતું

વડાપ્રધાન નરેન્દ્ર મોદી માતાજીના અનન્ય ભક્ત છે તાજેતરમાં જ તેઓએ તેમના એક્સ હેન્ડલ પર આવતી કળાય નામનો માતાજીનો ગરબો શેર કર્યો છે. આ ગરબો વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જાતે  લખવામાં આવ્યો છે અને તેને સ્વર જાણીતા સિંગર પૂર્વા મંત્રીએ આપ્યો છે.પૂર્વા મંત્રી હાલ અંકલેશ્વર ગાર્ડન સિટીમાં નવરાત્રી મહોત્સવમાં ભાગ લઈ રહ્યા છે અને ખેલૈયાઓને ઝુમાવી રહ્યા છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના વખાણ કરતા તેઓએ આ પળને સ્વપ્ન સમાન ગણાવી વડાપ્રધાનનો આભાર માન્યો હતો. પૂર્વા મંત્રીએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે વડાપ્રધાને લખેલ ગરબો ગાતા સમયે મારા પર કોઈ દબાવ ન હતો પરંતુ તેમના દ્વારા જેટલો પાવરફુલ રીતે માતાજીનો ગરબો લખવામાં આવ્યો છે એટલું જ સારી રીતે મારો ગાવાનો ધ્યેય હતો. ફેન્સ અને ઓડિયન્સના કારણે મને આ ગરબો ગાવાનો મોકો મળ્યો છે. આવનારા દિવસોમાં મારા અનેક મ્યુઝિક આલ્બમ રિલીઝ થશે.અત્રે ઉલ્લેખનીય છે કે હાલ અંકલેશ્વરની ગાર્ડનસિટીમાં આયોજીત નવરાત્રી મહોત્સવમાં પૂર્વા મંત્રી ભાગ લઈ રહ્યા છે અને તેઓના અનોખા અંદાજના કારણે લોકોમાં આકર્ષણનું કેન્દ્ર પણ બન્યા છે.પૂર્વા મંત્રી તેમના ગરબા થકી ખેલૈયાઓને ડોલાવી રહ્યા છે

#India #PM Modi #Narendra Modi #Written #Garbo #Purva Mantri #Aavati Kalay
Here are a few more articles:
Read the Next Article