સાઉથની ફેમસ એક્ટ્રેસ મહાલક્ષ્મી શંકરના પતિ રવિન્દર ચંદ્રશેખરની કરાઇ ધરપકડ, 16 કરોડની છેતરપિંડીનો આરોપ.....

સાઉથ સિનેમાના જાણીતા ફિલ્મ પ્રોડ્યુસર રવિન્દર ચંદ્રશેખરનને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે.

New Update
સાઉથની ફેમસ એક્ટ્રેસ મહાલક્ષ્મી શંકરના પતિ રવિન્દર ચંદ્રશેખરની કરાઇ ધરપકડ, 16 કરોડની છેતરપિંડીનો આરોપ.....

સાઉથ સિનેમાના જાણીતા ફિલ્મ પ્રોડ્યુસર રવિન્દર ચંદ્રશેખરનને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. સેન્ટ્રલ ક્રાઇમ બ્રાંચ (CCB)એ પ્રોડ્યુસરની 16 કરોડની છેતરપીંડીના કેસમાં ધરપકડ કરવામાં આવી છે. રવિન્દર ચંદ્રશેખરન વિરુદ્ધ ચેન્નઇ સેન્ટ્રલ ક્રાઇમ બ્રાંચમાં એક ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ચંદ્રશેખર વિરુદ્ધની ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ઓક્ટોબર 2020માં લિબ્રા પ્રોડક્શન પ્રાઇવેટ લિમિટેડના 39 વર્ષના રવિન્દર ચંદ્રશેખરનને 'મદવ મીડિયા પ્રાઇવેટ લિમિટેડ'ના બાલાજી કાપા સામે એક બિઝનેસ પ્રપોઝલ રાખ્યું હતું. આ પ્રપોઝલ નગર પાલિકાના સોલિડ વેસ્ટને એનર્જીમાં બદલાવ માટેનું હતું. જે માટે ચંદ્રશેખરને બાલાજી કાપા પાસે આર્થિક મદદ માગી હતી. 17 સપ્ટેમ્બર 2020ના એક ઇન્વેસ્ટમેન્ટ એગ્રીમેન્ટ સાઇન કર્યું અને પ્રોડ્યુસરને 15.83 રોકડમાં પેમેન્ટ કર્યું હતું. ત્યારબાદ ચંદ્રશેખરને એનર્જીનો બિઝનેસ શરૂ પણ ન કર્યો અને પૈસા પરત પણ ન કર્યા હતા. આ પ્રકરણને લઈને પ્રોડ્યુસર ચંદ્રશેખરન સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. જેમની સામે કેસની તપાસ હાથ ધરવામાં આવી છે. નોંધનિય છે કે આ પ્રથમ ઘટના નથી જ્યારે ચંદ્રશેખરન કોઇ વિવાદમાં ફસાયા હોય. આ પહેલા 2022માં તેઓએ સાઉથ એક્ટ્રેસ મહાલક્ષ્મી શંકર સાથે બીજા લગ્ન કર્યા હતા, આ વાતને લઇને તેઓ ખુબ જ ટ્રોલ થયા હતા. અગાઉ તેમના લગ્ન આર.શાંતિ સાથે થયા હતા જે લાંબો સમય સુધી ટકી ન હતી. મહાલક્ષ્મી સાથે તેઓએ બીજા લગ્ન કર્યા હતા. મહાલક્ષ્મી સાથે બીજા લગ્ન બાદ જ્યારે સોશિયલ મીડિયા પર બંનેએ વેડિંગ ફોટો પોસ્ટ કર્યા તો તે વાયરલ થઇ ગયા. યુઝર્સે કોમેન્ટ કરી કે અભિનેત્રીએ પૈસા માટે પ્રોડ્યુસર સાથે લગ્ન કર્યા છે.

Read the Next Article

દિલજીતની નવી ફિલ્મમાં પાકિસ્તાની એક્ટ્રેસ હાનિયા આમિર, સોશિયલ મીડિયામાં ભારે ટ્રોલિંગ

દિલજીત દોસાંઝ અને નીરુ બાજવા સ્ટારર હોરર- કોમેડી સરદારજી 3 નું ટ્રેલર રવિવારે રિલીઝ થયું છે. ટ્રેલરમાં પાકિસ્તાની એક્ટ્રસ હાનિયા આમિર પણ જોવા મળી રહી છે.

New Update
diljit

દિલજીત દોસાંઝ અને નીરુ બાજવા સ્ટારર હોરર- કોમેડી સરદારજી 3 નું ટ્રેલર રવિવારે રિલીઝ થયું છે. ટ્રેલરમાં પાકિસ્તાની એક્ટ્રસ હાનિયા આમિર પણ જોવા મળી રહી છે.

આ જોયા પછી નેટીઝન્સ હવે દિલજીત દોસાંઝને ટ્રોલ કરી રહ્યા છે. હકીકતમાં પહલગામ આતંકી હુમલા પછી પાકિસ્તાની કલાકારોને ભારત આવવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. પાકિસ્તાની સ્ટાર્સના ઈન્સ્ટા એકાઉન્ટ પણ બંધ કરી દેવામાં આવ્યા છે. તો સરદાર જી 3નું ટ્રેલર હાનિયા આમિરને જોઈને ભડક્યા છે. આ ફિલ્મને બાયકોટ કરવાની માંગ કરવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે, સ્ટૂડિયોના પોસ્ટર શેર કરતાં તેમાં લખ્યું, ' અમને એ જાહેર કરતાં બહુ આનંદ થઈ રહ્યો છે કે, સરદાર જી 3 27 જૂનના પોજ વિદેશોમાં રિલીઝ થશે. જોકે, ભારતમાં તેની રિલીઝને હાલમાં રોકી દેવામાં આવી છે. અમે તમારા પ્રેમ અને ધીરજની કદર કરીએ છીએ, અને ખૂબ જ જલ્દી ભારતમાં તેની રિલીઝ થવાની તારીખ શેર કરીશું. અપડેટ માટે જોડાયેલા રહેજો. તમને દરેકને મોટા પડદા પર ફિલ્મ બતાવવા માટે અમે રાહ જોઈ રહ્યા છીએ.

તો સોશિયલ મીડિયા પર ટ્રેલર શેર કરતાં દિલજીત દોસાંઝે પણ લખ્યું છે કે, આ માત્ર વિદેશોમાં રિલીઝ થઈ રહી છે. તેમણે લખ્યું કે, સરદાર જી 3 જૂનમાં માત્ર વિદેશોમાં રિલીઝ થઈ રહી છે.' 

વિદેશમાં રિલીઝ થયા હોવા છતાં, 'સરદાર જી 3' ના ટ્રેલરની સોશિયલ મીડિયા પર ઘણી ટીકા થઈ રહી છે. એક ચાહકે લખ્યું, "દેશ પહેલા આવે છે - દિલજીતને  પાકિસ્તાની સહ-કલાકારો સાથે આટલો આરામદાયક જોઈને નિરાશા અનુભવી રહ્યો છું." બીજાએ લખ્યું, 'પહલગામ પછી દિલજીત પાસેથી આવી અપેક્ષા નહોતી - સીમા ક્યાં છે?' બીજાએ લખ્યું, 'સરદાર જી 3 ને બાયકોટ કરો.' જ્યારે બીજાએ લખ્યું, 'માફ કરશો પાજી, અમે આ ફિલ્મ જોવા નથી જવાના, અમે અમારા દેશની વિરુદ્ધ નહીં જઈ શકીએ.'