કંગના રનૌતની ફિલ્મ 'ઇમરજન્સી'નું ટીઝર આવ્યું બહાર, આ તારીખે સિનેમાઘરોમાં રિલીઝ થશે ફિલ્મ

કંગના રનૌતની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'ઇમરજન્સી'ની રિલીઝ ડેટ સામે આવી ગઈ છે. કંગનાએ ફિલ્મનું ટીઝર શેર કર્યું છે

New Update
કંગના રનૌતની ફિલ્મ 'ઇમરજન્સી'નું ટીઝર આવ્યું બહાર, આ તારીખે સિનેમાઘરોમાં રિલીઝ થશે ફિલ્મ

કંગના રનૌતની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'ઇમરજન્સી'ની રિલીઝ ડેટ સામે આવી ગઈ છે. કંગનાએ ફિલ્મનું ટીઝર શેર કર્યું અને એ પણ જણાવ્યું કે તે આ વર્ષે 24 નવેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. જો કે પહેલા ફિલ્મની રિલીઝ ડેટ ઓક્ટોબર રાખવામાં આવી હતી, પરંતુ હવે તે નવેમ્બરમાં રિલીઝ થશે.

1 મિનિટ 12 સેકન્ડના આ ટીઝરને શેર કરતા કંગનાએ લખ્યું, “રક્ષક કે સરમુખત્યાર? આપણા ઈતિહાસના સૌથી અંધકારમય સમયગાળાના સાક્ષી છે જ્યારે આપણા દેશના નેતાએ તેના લોકો સામે યુદ્ધની ઘોષણા કરી. 24મી નવેમ્બરે વિશ્વભરમાં ઈમરજન્સી જાહેર થઈ રહી છે."

ઈમરજન્સી આ વર્ષની સૌથી વધુ રાહ જોવાઈ રહેલી ફિલ્મોમાંની એક છે. તે હિન્દીમાં રિલીઝ થશે. આ ફિલ્મનું નિર્દેશન કંગના રનૌત દ્વારા કરવામાં આવ્યું છે અને રિતેશ શાહે સ્ક્રિપ્ટ લખી છે.

ટીઝરની શરૂઆત 25 જૂન, 1975ની તારીખથી થાય છે, જે દિવસે દેશમાં ઈમરજન્સી લાગુ કરવામાં આવી હતી. આ પછી અશાંતિનું દ્રશ્ય આવે છે, અખબારની હેડલાઈન છે જેના પર લખવામાં આવ્યું છે કે દેશમાં ઈમરજન્સી લાદવામાં આવી છે. ત્યારબાદ અનુપમ ખેરની એક ઝલક પણ જોવા મળે છે, જેમાં તે જેલના સળિયા પાછળ જોવા મળે છે.

લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે, પોલીસ દમનકારી નીતિ અપનાવી રહી છે, ગોળીઓ ચલાવી રહી છે. પછી ઈન્દિરા ગાંધીનો શક્તિશાળી અવાજ આવે છે, ઈન્દિરા ઈઝ ઈન્ડિયા, ઈન્ડિયા ઈઝ ઈન્દિરા. છેલ્લે લખ્યું છે કે આ ફિલ્મ 24 નવેમ્બરે દુનિયાભરના સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે.

'ઇમરજન્સી' એક એવી ફિલ્મ છે જે ભારતના પૂર્વ વડાપ્રધાનની સફરને દર્શાવે છે. આ ફિલ્મ બતાવે છે કે તેણે 1975માં બનેલી ઘટનાઓનો કેવી રીતે સામનો કર્યો, જેણે ભારતનો ઈતિહાસ બદલી નાખ્યો. ભૂતપૂર્વ વડા પ્રધાન ઇન્દિરા ગાંધી દેશના ત્રીજા વડા પ્રધાન હતા અને આજ સુધી વડા પ્રધાન બનનાર તેઓ એકમાત્ર મહિલા છે.

Read the Next Article

મલાઈકા અરોરા કેમ હાજર થઈ કોર્ટમાં? સૈફ અલીના પક્ષમાં આપવાની હતી જુબાની, જાણો મામલો

મુંબઈની મેજિસ્ટ્રેટ કોર્ટે નવમી જુલાઈ વર્ષ 2012ના બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાન સાથે સંકળાયેલા હોટલ વિવાદ કેસમાં ફરિયાદ પક્ષના સાક્ષી અને અભિનેત્રી મલાઈકા અરોરા વિરુદ્ધ ઈસ્યુ કરાયેલા જામીનપાત્ર વોરંટ રદ કર્યા છે. 

New Update
malaika saif

મુંબઈની મેજિસ્ટ્રેટ કોર્ટે નવમી જુલાઈ વર્ષ 2012ના બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાન સાથે સંકળાયેલા હોટલ વિવાદ કેસમાં ફરિયાદ પક્ષના સાક્ષી અને અભિનેત્રી મલાઈકા અરોરા વિરુદ્ધ ઈસ્યુ કરાયેલા જામીનપાત્ર વોરંટ રદ કર્યા છે. 

આ ઉપરાંત અભિનેત્રીનું નામ સાક્ષી તરીકે પણ દૂર કરવામાં આવ્યું છે. મલાઈકા સામે આ જામીનપાત્ર વોરંટ એટલા માટે ઈસ્યુ કરવામાં આવ્યું કારણ કે તે કેસની છેલ્લી સુનાવણીમાં હાજર રહી ન હતી. બુધવારે જ્યારે તે કેસની સુનાવણી માટે પહોંચી ત્યારે કોર્ટે જામીનપાત્ર વોરંટ રદ કર્યું હતું.

આ કેસ 21મી ફેબ્રુઆરી 2012નો છે, જ્યારે બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાન, પત્ની કરીના કપૂર, બહેન અમૃતા અરોરા, મલાઈકા અરોરા અને અન્ય મિત્રો સાથે એક ફાઇવ સ્ટાર હોટેલમાં ડિનર માટે ગયા હતા. આ દરમિયાન, સૈફ અલી ખાનનો હોટેલમાં હાજર દક્ષિણ આફ્રિકાના નાગરિક અને NRI વ્યક્તિ ઈકબાલ મીર શર્મા સાથે ઝઘડો થયો. ઈકબાલ શર્માએ કોલાબા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. 

ફરિયાદમાં તેમણે જણાવ્યું હતું કે, 'સૈફ અલી ખાને મારા નાક પર મુક્કો માર્યો હતો, જેના કારણે મને ગંભીર ઈજા થઈ હતી અને ફ્રેક્ચર થયું હતું.' આ ઘટના પછી પોલીસે સૈફ અલી ખાન, તેના મિત્ર બિલાલ અમરોહી અને અમૃતા અરોરાના પતિ શકીલ લડાક વિરુદ્ધ ફરિયાદ નોંધી હતી. આ કેસ કોર્ટમાં પહોંચ્યો હતો અને તેની સુનાવણી ગયા વર્ષે શરૂ થઈ હતી.

મલાઈકા અરોરા આ કેસમાં સરકારી વકીલો તરફથી સાક્ષી હતી. માર્ચ 2025માં કોર્ટમાં જુબાની આપવા માટે તેમને સમન્સ મોકલવામાં આવ્યા હતા, પરંતુ તે હાજર થઈ ન હતા. એપ્રિલમાં ફરીથી સમન્સ મોકલવામાં આવ્યા હતા, પરંતુ તેમણે તે વખતે પણ ગેરહાજરી રહી હતી.

આ મામલે કોર્ટે મલાઈકા સામે 5,000 રૂપિયાનું જામીનપાત્ર વોરંટ ઈસ્યુ કર્યું હતું. 30મી એપ્રિલ, 2025ના રોજ કોર્ટે તેમને ચેતવણી આપી હતી કે જો તે હાજર નહીં થાય તો બિનજામીનપાત્ર વોરંટ ઈસ્યુ કરવામાં આવશે. ત્યારબાદ મલાઈકા બુધવારે (નવમી જુલાઈ) કોર્ટમાં હાજર થઈ હતી અને વોરંટ રદ કરવામાં આવ્યું. આ કેસની આગામી સુનાવણી 22 ઓગસ્ટે થશે.

CG Entertainment | Bollywood | Saif Ali Khan | Malaika Arora