તારક મહેતામાં કામ કરી ચૂકેલ આ અભિનેતા 4 દિવસથી ગુમ,પોલીસે અપહરણની ફરિયાદ દાખલ કરી

લોકપ્રિય ટીવી સિરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના સોઢી વિશે સમાચાર આવ્યા હતા કે અભિનેતા 22 એપ્રિલથી ગાયબ છે.

New Update
તારક મહેતામાં કામ કરી ચૂકેલ આ અભિનેતા 4 દિવસથી ગુમ,પોલીસે અપહરણની ફરિયાદ દાખલ કરી

લોકપ્રિય ટીવી સિરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના સોઢી વિશે સમાચાર આવ્યા હતા કે અભિનેતા 22 એપ્રિલથી ગાયબ છે. હવે પોલીસે આ મામલામાં અપહરણનો ગુનો નોંધ્યો છે. આઈપીસીની કલમ 365 હેઠળ એફઆઈઆર પણ નોંધવામાં આવી છે. પોલીસને એક CCTV ફૂટેજ પણ મળ્યા છે જેમાં અપહરણનો મામલો સામે આવ્યો છે.આપને જણાવી દઈએ કે ગુરચરણ સિંહના પિતા હરગીત સિંહે કહ્યું હતું કે- “SHOએ મને ફોન કર્યો હતો અને તેમણે મને ખાતરી આપી છે કે તેઓ ગુરચરનને જલ્દી શોધી લેશે અને મને આશા છે કે ગુરુચરન જ્યાં પણ હશે સલામત હશે. ભગવાન તેની રક્ષા કરે.”તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ફેમ ગુરચરણ સિંહ 50 વર્ષના છે. છેલ્લા 4 દિવસથી ગુમ. અભિનેતાના પિતાએ દિલ્હીના પાલમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસની પ્રાથમિક તપાસ મુજબ, ગુરચરણ 22 એપ્રિલની સવારે મુંબઈ જવા નીકળ્યા હતા. તેમની દિલ્હી એરપોર્ટથી 8:30 વાગ્યે ફ્લાઈટ હતી, પરંતુ તેમણે ફ્લાઈટ લીધી ન હતી અને મુંબઈ પહોંચ્યો ન હતો.

Read the Next Article

કલાકારોને પૈસા નહિ મળતાં વેલકમ ટૂ ધી જંગલ અટકી પડી

અગાઉ પણ આ ફિલ્મનું શૂટિંગ શરુ થયું ત્યારે કેટલાક કલાકારોએ એ મુદ્દે ફિલ્મ છોડી હતી કે ફિલ્મની સ્ક્રિપ્ટનાં કોઈ ઠેકાણાં નથી. સેટ પર ગમે ત્યારે ડાયલોગ બદલાઈ જાય છે

New Update
1466

અક્ષય કુમારની  મલ્ટી સ્ટારર ફિલ્મ 'વેલકમ ટૂ ધ જંગલ'માં કલાકારોને પેમેન્ટસ નહિ થતાં ફિલ્મનું શૂટિંગ અટકી પડયું છે. 

ફી નહીં મળવાથી એકટર્સો અને સ્ટાર્સ ફિલ્મમાંથી નીકળી ગયા છે. 

આ ફિલ્મની ઘોષણા ૨૦૨૩માં કરવામાં આવી હતી અને ૨૦૨૪ના ડિસેમ્બરમાં રીલિઝ કરવાની યોજના હતી. પરંતુ અત્યાર સુધી ફક્ત ૬૦ ટકા જ શૂટિંગ કરવામાં આવ્યું છે અને બાકીના ૪૦ ટકા શૂટિંગ માટે વારંવાર શિડયૂલ નક્કી થયા પછી કેન્સલ કરવામાં આવ્યા છે. પરિણામે એકટર્સ અને સ્ટાફનો સમય બરબાદ થતા તેઓ ફિલ્મ છોડી રહ્યા છે. 

ફિલ્મમાં રવીના ટંડન, સંજય દત્ત, સુનિલ  શેટ્ટી સહિતના કલાકારોનો શંભુમેળો છે. 

અગાઉ પણ આ ફિલ્મનું શૂટિંગ શરુ થયું ત્યારે કેટલાક કલાકારોએ એ મુદ્દે ફિલ્મ છોડી હતી કે ફિલ્મની સ્ક્રિપ્ટનાં કોઈ ઠેકાણાં નથી. સેટ પર ગમે ત્યારે ડાયલોગ બદલાઈ જાય છે. કેટલાક કલાકારોનાં તો પાત્રો પણ બદલાઈ રહ્યાં છે. 'વેલકમ' સીરિઝની ગુડવિલનો લાભ લેવા માટે જ ફિલ્મ બનાવવામાં આવી રહી છે.