પીઢ અભિનેતા ધર્મેન્દ્રની "ગરમ ધરમ ધાબા"એ મુશ્કેલી વધારી,કોર્ટે પાઠવ્યું સમન્સ

દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે ફ્રેન્ચાઈઝી સંબંધિત છેતરપિંડીના કેસમાં પીઢ બોલિવૂડ અભિનેતા ધર્મેન્દ્ર અને અન્ય બે વિરુદ્ધ સમન્સ જારી કર્યા છે.

New Update
a

બોલિવૂડના પીઢ અભિનેતા ધર્મેન્દ્ર તેમની રેસ્ટોરન્ટ ફ્રેન્ચાઈઝી ગરમ ધરમ ધાબાને લઈને મુશ્કેલીમાં છે.

દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે ફ્રેન્ચાઈઝી સંબંધિત છેતરપિંડીના કેસમાં પીઢ બોલિવૂડ અભિનેતા ધર્મેન્દ્ર અને અન્ય બે વિરુદ્ધ સમન્સ જારી કર્યા છે. આ કેસની આગામી સુનાવણી 20મી ફેબ્રુઆરી 2025એ કરવામાં આવી છે.આ દિવસે ધર્મેન્દ્રએ કોર્ટની કાર્યવાહીમાં હાજર રહેવું પડશે. જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ યશદીપ ચહલ દ્વારા જે સમન્સ જારી કરવામાં આવ્યું છે તેદિલ્હી સ્થિત બિઝનેસમેન સુશીલ કુમાર દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદ પર આધારિત છેજેમણે આરોપ લગાવ્યો હતો કે તેમને ફ્રેન્ચાઇઝીમાં રોકાણ કરવાની લાલચ આપીને છેતરપિંડી કરવામાં આવી હતી.

5 ડિસેમ્બરે પસાર કરાયેલા સમન્સ ઓર્ડરમાંન્યાયાધીશે કહ્યુંરેકોર્ડ પરના પુરાવા સૂચવે છે કે આરોપી વ્યક્તિઓએ ફરિયાદીને તેમના સામાન્ય હેતુને આગળ વધારવા અને છેતરપિંડીનો ભૌતિક ગુનો કરવા માટે પ્રેરિત કર્યા છે.

કોર્ટે આદેશ આપ્યો છે કેપુરાવાના આધારે કોર્ટ કલમ 34 IPCની સાથે કલમ 420, 120B હેઠળ ગુનો કરવા બદલ ધર્મેન્દ્ર અને અન્ય બે વિરુદ્ધ કાર્યવાહી કરશે. છેતરપિંડીના કેસમાં વધુ સુનાવણી 20 ફેબ્રુઆરી, 2025ના રોજ હાથ ધરવામાં આવશે. અભિનેતા ધર્મેન્દ્ર અને તેમના સિવાય અન્ય બે લોકોને આ કેસમાં સુનાવણી માટે આપેલી તારીખે હાજર રહેવું પડશે તેમ જાણવા મળ્યું છે.

Read the Next Article

'હેરા ફેરી 3'માં પરેશ રાવલનું કમબેક કન્ફર્મ, ખુદ કર્યો ખુલાસો

પરેશ રાવલ કોમેડી ફિલ્મ 'હેરા ફેરી 3'માં વાપસી થઈ છે. પીઢ અભિનેતાએ પોતે ખુલાસો કર્યો છે કે તેઓ ફરી એકવાર ફિલ્મમાં બાબુ ભૈયાની ભૂમિકામાં જોવા મળશે.

New Update
paresh rawal

પરેશ રાવલ કોમેડી ફિલ્મ 'હેરા ફેરી 3'માં વાપસી થઈ છે. પીઢ અભિનેતાએ પોતે ખુલાસો કર્યો છે કે તેઓ ફરી એકવાર ફિલ્મમાં બાબુ ભૈયાની ભૂમિકામાં જોવા મળશે.

પરેશ રાવલે અક્ષય કુમાર સાથેના વિવાદ વિશે પણ વાત કરી છે અને કહ્યું છે કે તેમની વચ્ચે જે પણ વિવાદ હતો તે હવે ઉકેલાઈ ગયો છે.

બોલિવૂડ હંગામા સાથેના પોડકાસ્ટમાં પરેશ રાવલે પુષ્ટિ આપી છે કે તેઓ 'હેરા ફેરી 3' કરવા માટે સંમત થયા છે. અક્ષય કુમાર સાથેના ઝઘડા પર અભિનેતાએ કહ્યું- 'ખરેખર કોઈ વિવાદ નથી. જ્યારે કોઈ પ્રોજેક્ટ દર્શકોને વધારે પસંદ આવે છે, ત્યારે તમારે તેને વધુ કાળજીપૂર્વક હેન્ડલ કરવાની જરૂર છે.'

પરેશ રાવલે વધુમાં કહ્યું, 'જનતાએ અમને પ્રેમ આપ્યો છે અને તેની સાથે જવાબદારી પણ આવે છે. આપણે તેને ક્યારેય હળવાશથી ન લેવું જોઈએ. અમે તેના માટે પોતાનું બેસ્ટ કામ કરવા માટે ઋણી છીએ. મને લાગ્યું કે સૌએ એકસાથે આવવું જોઈએ અને પોતાનું શ્રેષ્ઠ આપવું જોઈએ. તે એકમાત્ર ચિંતા હતી. પરંતુ હવે બધું બરાબર છે. તે ઠીક થવાનું હતું. અમારે ફક્ત થોડી ફાઈન-ટ્યૂનિંગની જરૂર હતી. છેવટે, આમાં સામેલ બધા પ્રિયદર્શન, અક્ષય અને સુનીલ ક્રિએટિવ છે અને લાંબા સમયથી મિત્ર છે.'

આ વર્ષે મે મહિનામાં પરેશ રાવલે 'હેરા ફેરી 3' માંથી બહાર નીકળવાની પુષ્ટિ કરી હતી. એવા પણ સમાચાર હતા કે અભિનેતાએ 15 ટકા વ્યાજ સાથે 11 લાખ રૂપિયાની સાઇનિંગ અમાઉન્ટ પણ પરત કરી દીધી છે. ત્યારબાદ ફ્રેન્ચાઇઝીના અધિકારો ખરીદનારા અક્ષય કુમારે પણ તેમની સામે કરાર ભંગનો કેસ દાખલ કર્યો હતો. ચાહકોથી લઈને ઘણા સેલેબ્સ સુધી સૌએ પરેશ રાવલના 'હેરા ફેરી 3' માંથી બહાર થવા પર નિરાશા વ્યક્ત કરી હતી.