Connect Gujarat
મનોરંજન 

તેલુગુ ફિલ્મના દિગ્ગજ અભિનેતા ચંદ્ર મોહનનું 82 વર્ષની વયે નિધન, 900થી વધુ ફિલ્મમાં કર્યું હતું કામ...

તેલુગુ ફિલ્મના દિગ્ગજ અભિનેતા ચંદ્ર મોહનનું 82 વર્ષની વયે નિધન, 900થી વધુ ફિલ્મમાં કર્યું હતું કામ...
X

તેલુગુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી એક દુખદ સમાચાર સામે આવ્યા છે. પીઢ અભિનેતા ચંદ્રનોહનનું 82 વર્ષની વયે નિધન થયું છે. દક્ષિણ ભારતના સૌથી પ્રતિભાસાળી અભિનેતા અને કોમેડિયન મલ્લમપલ્લી ચંદ્ર મોહનનું આજે 82 વર્ષની વયે હૃદયરોગના હુમલાથી નિધન થયું છે. તેમણે હૈદરાબાદના જ્યુબિલી હિલ્સની એક ખાનગી હોસ્પિટલમાં આજે સવારે 9.45 કલાકે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. અભિનેતા ચંદ્ર મોહન હૃદય સંબંધિત બીમારીની સારવાર લઈ રહ્યા હતા. તેમને તમિલનાડુના સર્વોચ્ચ સન્માન સહિત અનેક પુરસ્કારો મળ્યા હતા.

અભિનેતા ચંદ્ર મોહનનો જન્મ 23 મે 1941 ના રોજ થયો હતો. તેમણે પોતાના કરિયરની શરૂઆત 1966થી કરી હતી. ત્યાર બાદ તેને ક્યારેય પાછળ વાળીને જોયું નથી. તેને શ્રીદેવી, જયાપ્રદા, જયાસુધા જેવી અભિનેત્રીઓ સાથે કામ કર્યું હતું. અભિનેતાએ લગભગ 935 ફિલ્મોમાં કામ કર્યું છે. જેમાંથી ઘણી ફિલ્મોમાં તેણે મુખ્ય ભૂમિકા ભજવી હતી.

Next Story